દિનચર્યા અને ઋતુચર્યા જીવનશૈલીનાં અભિન્ન અંગ છે. આયુર્વેદ તેમ જ ચરકસંહિતા જેવા વિવિધ ગ્રંથોમાં ઋતુચર્યા અનુસાર દિનચર્યા નક્કી કરવામાં આવી છે. આપણી સમગ્ર જીવનશૈલીના આધારભૂત જે પાયા છે તેમાં આહારવિહાર અને ખાનપાનનું અનન્ય મહત્ત્વ છે. ભારતીય પારંપરિક વિજ્ઞાન પ્રણાલી સાથે જોડાયેલા ગ્રંથો મોસમ બદલાય તે અનુસાર જીવનશૈલીમાં પણ બદલાવ લાવવો એ મૂળભૂત સિદ્ધાંત પર અમલ કરવાનું સૂચન કરે છે. આપણે વર્તમાન સમયમાં તેને ન્યુટ્રિશન બેઝ્ડ ડાયેટ ફોર્મ, સિઝન બેઝ્ડ ડાયેટ ફોર્મ વગેરે શબ્દોમાં ઓળખીએ છીએ. ન્યુટ્રિશનિસ્ટ કે ડાયેટિશિયન વિવિધ મોસમમાં ખાનપાનમાં કેવા અને કયા પ્રકારની ચીજવસ્તુઓનો ઉપયોગ કરવો તેની માહિતી આપતા હોય છે, જે સર્વજન હિતાય અને સર્વજન સુખાય પ્રેરિત છે, આપણે એવું માની શકીએ.
ઉનાળા દરમિયાન ઘણા ડિહાઇડ્રેશનનો શિકાર બનતા હોય છે, તો ક્યારેક અચાનક જ નબળાઈ કે કમજોરીનો અનુભવ કરતા હોય છે. ડૉ. મેઘા જૈના કે જેઓ દિલ્હી સ્થિત ક્લિનિકલ ન્યુટ્રિશનિસ્ટ ડૉક્ટર છે, તેઓ જણાવે છે કે, ગરમીની ઋતુમાં કબજિયાત, ડાયેરિયા અને એસિડિટી જેવી સમસ્યાઓ વકરતી જોવા મળે છે. તેનું કારણ છે, રોજિંદા ખાનપાનમાં બદલાવ ન લાવવો અથવા ઋતુ અનુસાર શરીરને અનુકૂલન સાધવામાં જે ચીજવસ્તુઓ આરોગવી પડે તેના પર ધ્યાન ન આપવું. ઘણીવાર આપણે આપણા શરીરની તાસીરને નજરઅંદાજ કરીએ છીએ અને મોસમ બદલાય તે પ્રમાણે ડાયેટ લેવાનું ટાળીએ છીએ, પરિણામે શરીરનું સંતુલન બગડી જાય છે અને બીમાર પડવાના ચાન્સ વધી જાય છે. ઉનાળા દરમિયાન મહદ્અંશે વૉટરબેઝ્ડ એટલે કે જેમાં પાણી કે રસનું પ્રમાણ વધારે હોય તેવા ડાયેટને પ્રાધાન્ય આપવાનું સૂચન તેઓ કરે છે. આ માટે તરબૂચ, શક્કરટેટી, પ્રમાણસર કેરી, તાડફળી, લીંબુપાણી, શેરડીનો રસ, છાશ, નાળિયેરપાણી વગેરે પૂરતા પ્રમાણમાં લેવાની સલાહ તેઓ આપે છે. ઉનાળાની ઋતુમાં સ્વાસ્થ્યની જાળવણી માટે શરીરમાં પાણીનું પ્રમાણ ઓછું ન થાય તેની તકેદારી રાખવી મહત્ત્વની છે અને તેથી જ કોઈ પણ હિસાબે શરીરમાં પાણીની માત્રા જળવાઈ રહે તેવાં ફળો-શાકભાજી તેમ જ વાનગીઓ આરોગવાની ટકોર કરવામાં આવે છે.
Denne historien er fra Abhiyaan Magazine 18/05/2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra Abhiyaan Magazine 18/05/2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ
યુએસએ વિઝા વિન્ડો (૪)
હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’
ફિલ્મોના દરેક વિષયો પર ઝીણવટપૂર્વક સંશોધન કરી અત્યંત વિશ્વસનીય અને કડાકૂટવાળું કામ કરનાર હરીશ રઘુવંશી પાસે જે માહિતી હતી, એવી માહિતી નેશનલ આર્ચિવ ઑફ ઇન્ડિયા પાસે પણ નથી.
ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,
આહારવિજ્ઞાન સાથે જોડાયેલું પ્રોફેશન - ડાયેટિશિયન
નાયકોના નાયક એવા વિનાયક ભારતીય સમાજવ્યવસ્થાનું પ્રાચીન પ્રતીક છે
ગણેશજીની જે દેહાકૃતિ છે, એમનું જે ડિવાઇનફોર્મ છે, એ આપણા લોકસમુદાયને એટલું હૃદયસ્થ છે કે ગણેશજીના સ્વરૂપને લઈને જેટલી કલાત્મકતા થાય છે, એટલી કલાત્મકતા કદાચ બીજી કોઈ ભારતીય આકૃતિને લઈને નથી થતી.
ચાલો, ફરી શેરીઓમાં રમીએ
આજે બાળકો મોબાઇલમાં ગૂંથાયેલાં જોવા મળે છે. મોબાઇલ ગેમ પાછળ બાળકો, કિશોરો પોતાનો સમય વ્યતીત કરીને આરોગ્યને પણ હાનિ પહોંચાડે છે. મોબાઇલ અને ટીવીના યુગની પહેલાંનાં બાળકો મેદાની રમતો ખૂબ રમતાં, અત્યારે જાણે દેશી શેરી રમતો તદ્દન ભુલાઈ ગઈ છે. જે રમતોથી શારીરિકની સાથે-સાથે માનસિક શક્તિનો પણ વિકાસ થતો હતો, તેને પુનર્જીવિત કરવાની જરૂર છે.
આ મેઘરાજાની મહેર કે કહેર?
સામાન્ય રીતે શ્રાવણ માસમાં સરવરિયો વરસાદ થતો હોય છે, એમાં પણ જો મઘા નક્ષત્ર હોય તો વરસાદના એંધાણ નહીં બરાબર હોય છે. કુદરતની આ ચાલ ચાલુ સિઝનમાં બદલાઈ ગઈ છે. સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક મેઘ મહેર નહીં, પરંતુ કહેર વરસી રહ્યો છે.
પ્રવાસન.
મોતી ડુંગરી ગણેશ મંદિર : જયપુર
સબૉટેજ : આતંકનું આસુરી અત્ર
*સબૉટેજ યાને અસંતુષ્ટો અથવા શત્રુઓ દ્વારા જાણીજોઈને કરાતી વિધ્વંસ કે ભાંગફોડની પ્રવૃત્તિ. *૧૮૯૪ની ઘટના, ૧૯૦૭ની નવલકથા ધ સિક્રેટ એજન્ટ’ અને ૧૯૩૬ની આલ્ફ્રેડ હિચકોકની ફિલ્મ ‘સબૉટેજ’. * સિસ્ટમ, સમાજ કે દેશની સુરક્ષાને સબૉટેજ કરવાનાં કાવતરાંઓ નવા સ્વરૂપના આતંકવાદ તરીકે સામે આવ્યા છે.
ડિમાન્ડ, કમ્પ્લેન, પ્રાર્થના
*માનવી પોતાના આગવા ડેટા-સ્ટોર, સ્મૃતિ પર આધાર રાખે છે. સ્મૃતિમાં જે આવ્યું હોય તે પોતાના પરસેપ્શનના ફિલ્ટરમાંથી આવ્યું હોય. *ભગવાન પર ભરોસો છે, એવું ક્યારે કહેવાય? જ્યારે કોઈ ડિમાન્ડ ના હોય, કોઈ કમ્પ્લેન ના હોય. * આપણે ગૅરંટી આપીએ છીએ કે આપણી ડિમાન્ડ કે પ્રાર્થના ફળશે, પૂર્ણ થશે, પછી આપણે કોઈ કમ્પ્લેન નહીં કરીએ?
એનાલિસિસ.
શું બળાત્કારની સમસ્યાનો ભારતમાં કોઈ જ ઉકેલ નથી?