યુદ્ધ માણસના જીવનને જ નહીં, જીવન સાથે જોડાયેલી તમામ બાબતો પર ભૂંસાય તેવી છાપ છોડે છે. યુદ્ધ ભલે બંને મોરચે સૈનિકો દ્વારા લડાતું હોય, પરંતુ તે સામાન્ય નાગરિકોને પણ પ્રભાવિત કર્યા વિના રહેતું નથી. મિસાઇલો જમીન પર પડે છે અને લોકોના અંતર ઘવાય છે. ગોળીબાર સરહદો પર થાય છે અને લોકોના હૃદય વીંધાય છે. ભૌગોલિક સ્તરે રાચતી આ સ્થિતિ માનવીના ચિત્તને તહસનહસ કરી નાખે છે. કલાનો જન્મ પણ મનુષ્યના હૃદયમાંથી થાય છે. વિક્ષિપ્ત હૈયામાંથી કલાના અપૂર્વ સ્વરૂપનો જન્મ થાય છે. જ્યાં અભિવ્યક્તિમાં આંસુ ભળેલાં છે, સૌંદર્યમાં વ્યથા, રંગોમાં પીડા અને ભાતમાં અનેક પ્રશ્નો વણેલા હોય છે, યુદ્ધની ભૂમિકા ૫૨ જન્મેલ આવું જ એક કલા સ્વરૂપ એટલે અફધાન વૉર ૨ગ્સ.
રગ્સ - કાર્પેટ - જાજમ કે જમીન પર પાથરવાની સાદડી
અફઘાનિસ્તાનમાં આ વણાટઉદ્યોગની પરંપરા હજારો વર્ષોથી ચાલી આવે છે. ઉત્તર અને પશ્ચિમ વિસ્તારોના ૩૪ પ્રાંતોમાં આ ઉદ્યોગ ચાલે છે. મોટા ભાગે અફઘાન, તુર્કી અને ઉઝબેક આ વ્યવસાય સાથે સંકળાયેલા છે. આ કલાને અસંખ્ય આંતરરાષ્ટ્રીય પુરસ્કારો પ્રાપ્ત થયા છે, જીત્યા છે. તેનું મુખ્ય બજાર પાકિસ્તાનના પેશાવર, ઇસ્લામાબાદ, ક્વેટા અને દુબઈનાં શહેરોમાં આવેલાં છે. આશરે બે મિલિયન લોકો આ ઉદ્યોગમાં કાર્યરત છે.
અફઘાનિસ્તાનના પશ્ચિમ વિસ્તારમાં બનતી જાજમોને ‘શિંદાન્ડ’ અને ‘અદ્રાસ્કન’ કહે છે. આ પરંપરાગત શૈલી રસપ્રદ અને વિશિષ્ટ હોય છે. માનવ અને પ્રાણી આકૃતિઓની વિચક્ષણ આકૃતિઓ તેની ખાસિયત છે. દેશના દક્ષિણ-પશ્ચિમ ભાગમાં અફઘાનિસ્તાનના વતની બલૂચ લોકો દ્વારા બનાવવામાં આવતી જાજમને ‘બલુચી રગ્સ' કહે છે, તેનો ઉપયોગ પ્રાર્થના સમયે થાય છે.
કાર્પેટ બનાવવાની આખી પ્રક્રિયામાં સ્ત્રીઓનો સમાન ભાગે સહયોગ હોય છે. ઘેટાં પર ઊન ઉતારવાનું કામ પુરુષો કરે છે. તેને ધોઈને સ્વચ્છ કરી સુકાવવું, તેમાંથી દોરા તૈયાર કરવાનું કામ સ્ત્રીઓ કરે છે. ઊનને રંગવાનું કામ પરંપરાગત કારીગરો કરે છે. તેમની પાસે વનસ્પતિમાંથી બનાવેલા રંગો હોય છે, પ્રમાણસર મેળવણી કરીને તેઓ અપેક્ષિત રંગથી ઊન રંગી આપે છે. એ પછી સૌથી મહત્ત્વનું કામ એટલે કે વણાટકામ શરૂ થાય છે, જેમાં મોટા ભાગે સ્ત્રીઓ કામ કરે છે. તે પછી તેને ફિનિશિંગ આપીને બજાર સુધી પહોંચાડવાનું કામ પુરુષો કરે છે.
Denne historien er fra May 25, 2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra May 25, 2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ
યુએસએ વિઝા વિન્ડો (૪)
હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’
ફિલ્મોના દરેક વિષયો પર ઝીણવટપૂર્વક સંશોધન કરી અત્યંત વિશ્વસનીય અને કડાકૂટવાળું કામ કરનાર હરીશ રઘુવંશી પાસે જે માહિતી હતી, એવી માહિતી નેશનલ આર્ચિવ ઑફ ઇન્ડિયા પાસે પણ નથી.
ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,
આહારવિજ્ઞાન સાથે જોડાયેલું પ્રોફેશન - ડાયેટિશિયન
નાયકોના નાયક એવા વિનાયક ભારતીય સમાજવ્યવસ્થાનું પ્રાચીન પ્રતીક છે
ગણેશજીની જે દેહાકૃતિ છે, એમનું જે ડિવાઇનફોર્મ છે, એ આપણા લોકસમુદાયને એટલું હૃદયસ્થ છે કે ગણેશજીના સ્વરૂપને લઈને જેટલી કલાત્મકતા થાય છે, એટલી કલાત્મકતા કદાચ બીજી કોઈ ભારતીય આકૃતિને લઈને નથી થતી.
ચાલો, ફરી શેરીઓમાં રમીએ
આજે બાળકો મોબાઇલમાં ગૂંથાયેલાં જોવા મળે છે. મોબાઇલ ગેમ પાછળ બાળકો, કિશોરો પોતાનો સમય વ્યતીત કરીને આરોગ્યને પણ હાનિ પહોંચાડે છે. મોબાઇલ અને ટીવીના યુગની પહેલાંનાં બાળકો મેદાની રમતો ખૂબ રમતાં, અત્યારે જાણે દેશી શેરી રમતો તદ્દન ભુલાઈ ગઈ છે. જે રમતોથી શારીરિકની સાથે-સાથે માનસિક શક્તિનો પણ વિકાસ થતો હતો, તેને પુનર્જીવિત કરવાની જરૂર છે.
આ મેઘરાજાની મહેર કે કહેર?
સામાન્ય રીતે શ્રાવણ માસમાં સરવરિયો વરસાદ થતો હોય છે, એમાં પણ જો મઘા નક્ષત્ર હોય તો વરસાદના એંધાણ નહીં બરાબર હોય છે. કુદરતની આ ચાલ ચાલુ સિઝનમાં બદલાઈ ગઈ છે. સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક મેઘ મહેર નહીં, પરંતુ કહેર વરસી રહ્યો છે.
પ્રવાસન.
મોતી ડુંગરી ગણેશ મંદિર : જયપુર
સબૉટેજ : આતંકનું આસુરી અત્ર
*સબૉટેજ યાને અસંતુષ્ટો અથવા શત્રુઓ દ્વારા જાણીજોઈને કરાતી વિધ્વંસ કે ભાંગફોડની પ્રવૃત્તિ. *૧૮૯૪ની ઘટના, ૧૯૦૭ની નવલકથા ધ સિક્રેટ એજન્ટ’ અને ૧૯૩૬ની આલ્ફ્રેડ હિચકોકની ફિલ્મ ‘સબૉટેજ’. * સિસ્ટમ, સમાજ કે દેશની સુરક્ષાને સબૉટેજ કરવાનાં કાવતરાંઓ નવા સ્વરૂપના આતંકવાદ તરીકે સામે આવ્યા છે.
ડિમાન્ડ, કમ્પ્લેન, પ્રાર્થના
*માનવી પોતાના આગવા ડેટા-સ્ટોર, સ્મૃતિ પર આધાર રાખે છે. સ્મૃતિમાં જે આવ્યું હોય તે પોતાના પરસેપ્શનના ફિલ્ટરમાંથી આવ્યું હોય. *ભગવાન પર ભરોસો છે, એવું ક્યારે કહેવાય? જ્યારે કોઈ ડિમાન્ડ ના હોય, કોઈ કમ્પ્લેન ના હોય. * આપણે ગૅરંટી આપીએ છીએ કે આપણી ડિમાન્ડ કે પ્રાર્થના ફળશે, પૂર્ણ થશે, પછી આપણે કોઈ કમ્પ્લેન નહીં કરીએ?
એનાલિસિસ.
શું બળાત્કારની સમસ્યાનો ભારતમાં કોઈ જ ઉકેલ નથી?