કચ્છમાં વિકસી રહેલો ‘કિચન ગાર્ડન'નો ખ્યાલ
ABHIYAAN|Abhiyaan Magazine 08/06/2024
મોંઘાભાવનું બજારનું શાક, ફળ ખાઈને આરોગ્યને પહોંચતી હાનિ નિવારવા માટે કિચન ગાર્ડન આદર્શ છે. પોતાના જ ઘરની અગાસી ઉપર કે આંગણામાં શાકભાજી વાવીને તાજા, આરોગ્યપ્રદ ખોરાક મેળવી શકાય છે. કોઈ પણ જાતના કેમિકલ વગર, ખરેખર ઑર્ગેનિક કે નેચરલ રીતે ઉગાડેલાં શાકભાજીનો સ્વાદ પણ બજારમાં મળતાં શાક કરતાં સવાયો હોય છે.
સુચિતા બોઘાણી કનર
કચ્છમાં વિકસી રહેલો ‘કિચન ગાર્ડન'નો ખ્યાલ

લોકો પોતાના આરોગ્ય પ્રત્યે સભાન બની રહ્યા છે. જો ખોરાક શુદ્ધ હોય, રસાયણરહિત હોય તો જ તે સ્વાસ્થ્ય પ્રદાન કરે છે, અન્યથા તે બીમારી નોતરે છે. પહેલાંના જમાનામાં ગાય આધારિત ખેતી થતી, ખાતર કે જંતુનાશકો પણ કોઈ પણ બાહ્ય રસાયણની મદદ વગર જ બનતાં, ઋતુ મુજબ અનાજ, શાક વવાતું અને ખવાતું, આ બધાંના કારણે લોકોને પ્રમાણમાં ઓછી બીમારીનો સામનો કરવો પડતો. ત્યારે દવાઓ પરની નિર્ભરતા ઓછી હતી. તે સમયે આજના પ્રમાણમાં ખોરાકની વિવિધતા ઓછી હતી, પરંતુ ગુણવત્તામાં ચડીયાતા હતા. આજે બજારમાં મળતાં તમામ શાકભાજી, ખેતપેદાશો ભેળસેળિયા અને રસાયણોયુક્ત હોવાથી તેની ગુણવત્તા નબળી હોય છે. જોકે ઘ૨માં કે આંગણામાં પૂરતી જગ્યા હોતી નથી. શાકભાજી ઉગાવવાની આવડત હોતી નથી. આથી અનેક લોકો ઇચ્છા હોવા છતાં ઘરે શાકભાજી વાવી શકતાં નથી. જો થોડા પ્રયત્નોથી થોડી જાણકારી મેળવીને, એકાદબે વખતની મહેનત ઊગી ન નીકળે તો નિરાશ થયા વગર ફરી પ્રયત્ન કરવાની તૈયારી હોય તો ઘરઆંગણે શુદ્ધ, વગર કેમિકલનાં શાકભાજી આસ્વાદ માટે મળી શકે. કચ્છમાં છેલ્લા થોડા સમયથી કિચન ગાર્ડનનો ખ્યાલ વધવા લાગ્યો છે અને વધુ ને વધુ લોકો પોતાના ઘરે શાક ઉગાડવાના પ્રયત્નો કરી રહ્યા છે.

ઘરે જ શાકભાજી વાવવા ઇચ્છનારા લોકોને બાગાયત વિભાગ પણ મદદ કરે છે. તો કુકમાના રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા પણ માર્ગદર્શન આપવામાં આવે છે. જે લોકો પોતાના ઘરે સારી રીતે શાકભાજી ઉગાડી રહ્યા છે તેઓ પણ અન્ય લોકોને મદદરૂપ થાય છે. આમ જેમને પણ રસ હોય તેમને પૂરતી માહિતી મળી રહે છે. જોકે શરૂઆતમાં તો નિષ્ફળ જવાની તૈયારી રાખીને જ કિચન ગાર્ડન માટે કામ શરૂ કરવું જોઈએ. શહેરોમાં ખેતીલાયક કે ખુલ્લી જમીનનો અભાવ હોય છે, તેથી શહેરીજનોએ શાકભાજી કે ફળો વાવવા માટે કિચન ગાર્ડન, રૂફટોપ ગાર્ડન, બાલ્કની ગાર્ડન, વર્ટિકલ ગાર્ડન વગેરે પ્રકારે શાકભાજી વાવવા જોઈએ.

આજથી ૩૦-૪૦ વર્ષ પહેલાં ઘરની મહિલાઓ ઘરના આંગણામાં વિવિધ પ્રકારનાં શાકભાજી વાવતી હતી. ઘરમાં ઊગેલા રીંગણાં, પાલખ, મેથી કે ટામેટાં તમામ સભ્યો હોંશે હોંશે ખાતાં હતાં. ત્યાર પછીના સમયમાં ઘરઆંગણાની જમીન ઘટી, ફ્લેટનું કલ્ચર વિકસ્યું અને ઘરનો બગીચો ભુલાયો. હાલના સમયમાં કોરોના જેવી મહામારીએ તાજા, સ્વચ્છ અને રસાયણરહિત શાકની જરૂરિયાત સમજાવી. તેથી ફરી વખત ઘરઆંગણાના બગીચા પ્રત્યે લોકોનું ધ્યાન ખેંચાયું છે.

Denne historien er fra Abhiyaan Magazine 08/06/2024-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra Abhiyaan Magazine 08/06/2024-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA ABHIYAANSe alt
વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ
ABHIYAAN

વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ

યુએસએ વિઝા વિન્ડો (૪)

time-read
3 mins  |
Abhiyaan Magazine 14/09/2024
હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’
ABHIYAAN

હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’

ફિલ્મોના દરેક વિષયો પર ઝીણવટપૂર્વક સંશોધન કરી અત્યંત વિશ્વસનીય અને કડાકૂટવાળું કામ કરનાર હરીશ રઘુવંશી પાસે જે માહિતી હતી, એવી માહિતી નેશનલ આર્ચિવ ઑફ ઇન્ડિયા પાસે પણ નથી.

time-read
2 mins  |
Abhiyaan Magazine 14/09/2024
ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,
ABHIYAAN

ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,

આહારવિજ્ઞાન સાથે જોડાયેલું પ્રોફેશન - ડાયેટિશિયન

time-read
2 mins  |
Abhiyaan Magazine 14/09/2024
નાયકોના નાયક એવા વિનાયક ભારતીય સમાજવ્યવસ્થાનું પ્રાચીન પ્રતીક છે
ABHIYAAN

નાયકોના નાયક એવા વિનાયક ભારતીય સમાજવ્યવસ્થાનું પ્રાચીન પ્રતીક છે

ગણેશજીની જે દેહાકૃતિ છે, એમનું જે ડિવાઇનફોર્મ છે, એ આપણા લોકસમુદાયને એટલું હૃદયસ્થ છે કે ગણેશજીના સ્વરૂપને લઈને જેટલી કલાત્મકતા થાય છે, એટલી કલાત્મકતા કદાચ બીજી કોઈ ભારતીય આકૃતિને લઈને નથી થતી.

time-read
2 mins  |
Abhiyaan Magazine 14/09/2024
ચાલો, ફરી શેરીઓમાં રમીએ
ABHIYAAN

ચાલો, ફરી શેરીઓમાં રમીએ

આજે બાળકો મોબાઇલમાં ગૂંથાયેલાં જોવા મળે છે. મોબાઇલ ગેમ પાછળ બાળકો, કિશોરો પોતાનો સમય વ્યતીત કરીને આરોગ્યને પણ હાનિ પહોંચાડે છે. મોબાઇલ અને ટીવીના યુગની પહેલાંનાં બાળકો મેદાની રમતો ખૂબ રમતાં, અત્યારે જાણે દેશી શેરી રમતો તદ્દન ભુલાઈ ગઈ છે. જે રમતોથી શારીરિકની સાથે-સાથે માનસિક શક્તિનો પણ વિકાસ થતો હતો, તેને પુનર્જીવિત કરવાની જરૂર છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 14/09/2024
આ મેઘરાજાની મહેર કે કહેર?
ABHIYAAN

આ મેઘરાજાની મહેર કે કહેર?

સામાન્ય રીતે શ્રાવણ માસમાં સરવરિયો વરસાદ થતો હોય છે, એમાં પણ જો મઘા નક્ષત્ર હોય તો વરસાદના એંધાણ નહીં બરાબર હોય છે. કુદરતની આ ચાલ ચાલુ સિઝનમાં બદલાઈ ગઈ છે. સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક મેઘ મહેર નહીં, પરંતુ કહેર વરસી રહ્યો છે.

time-read
2 mins  |
Abhiyaan Magazine 14/09/2024
પ્રવાસન.
ABHIYAAN

પ્રવાસન.

મોતી ડુંગરી ગણેશ મંદિર : જયપુર

time-read
4 mins  |
Abhiyaan Magazine 14/09/2024
સબૉટેજ : આતંકનું આસુરી અત્ર
ABHIYAAN

સબૉટેજ : આતંકનું આસુરી અત્ર

*સબૉટેજ યાને અસંતુષ્ટો અથવા શત્રુઓ દ્વારા જાણીજોઈને કરાતી વિધ્વંસ કે ભાંગફોડની પ્રવૃત્તિ. *૧૮૯૪ની ઘટના, ૧૯૦૭ની નવલકથા ધ સિક્રેટ એજન્ટ’ અને ૧૯૩૬ની આલ્ફ્રેડ હિચકોકની ફિલ્મ ‘સબૉટેજ’. * સિસ્ટમ, સમાજ કે દેશની સુરક્ષાને સબૉટેજ કરવાનાં કાવતરાંઓ નવા સ્વરૂપના આતંકવાદ તરીકે સામે આવ્યા છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 14/09/2024
ડિમાન્ડ, કમ્પ્લેન, પ્રાર્થના
ABHIYAAN

ડિમાન્ડ, કમ્પ્લેન, પ્રાર્થના

*માનવી પોતાના આગવા ડેટા-સ્ટોર, સ્મૃતિ પર આધાર રાખે છે. સ્મૃતિમાં જે આવ્યું હોય તે પોતાના પરસેપ્શનના ફિલ્ટરમાંથી આવ્યું હોય. *ભગવાન પર ભરોસો છે, એવું ક્યારે કહેવાય? જ્યારે કોઈ ડિમાન્ડ ના હોય, કોઈ કમ્પ્લેન ના હોય. * આપણે ગૅરંટી આપીએ છીએ કે આપણી ડિમાન્ડ કે પ્રાર્થના ફળશે, પૂર્ણ થશે, પછી આપણે કોઈ કમ્પ્લેન નહીં કરીએ?

time-read
6 mins  |
Abhiyaan Magazine 14/09/2024
એનાલિસિસ.
ABHIYAAN

એનાલિસિસ.

શું બળાત્કારની સમસ્યાનો ભારતમાં કોઈ જ ઉકેલ નથી?

time-read
5 mins  |
Abhiyaan Magazine 14/09/2024