ભારત રત્ન ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામે ૨૦૦૬માં બિહાર વિધાનમંડળની સંયુક્ત બેઠકમાં એક સપનું વર્ણવેલું હતું. જ્ઞાનનું કેન્દ્ર એવી નાલંદા વિદ્યાપીઠને પુનર્જીવિત કરવાનું સપનું, એના ગૌરવનો જીર્ણોદ્ધાર કરવાનું સપનું. બિહારને પણ આ સપનું સાચું પડે એની લાંબા સમયથી ઝંખના હતી. આ કાર્યમાં આગળ જતાં એશિયાના બૌદ્ધ ધર્મી કે એને વરેલા દેશોએ પણ સહભાગી થવાની ઇચ્છા વ્યક્ત કરેલી. ૨૦૦૭માં નોબેલ પુરસ્કાર વિજેતા અર્થશાસ્ત્રી અમર્ત્ય સેનની અધ્યક્ષતામાં ‘નાલંદા મેન્ટર ગ્રૂપ'ની રચના કરવામાં આવી અને ૨૦૧૨માં તે નાલંદા યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ પણ બન્યા. જોકે, વિવાદો, ગેરવહીવટ અને યુનિવર્સિટીનાં કાર્યો માટે ફાળવેલા પૈસાના અંગત ઉપયોગના આક્ષેપોમાં ઘેરાઈ જવાને કારણે અમર્ત્ય સેનનો કાર્યકાળ પૂરો થયા પછી એમણે નાલંદા છોડી અથવા છોડવી પડી. ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ પણ એવું જ ઉચિત સમજતા હતા કે, નાલંદામાં કુલપતિ કે અન્ય કોઈ પણ મહત્ત્વના પદે જોડાનારા લોકો પોતાનો પૂરેપૂરો સમય ત્યાં જ આપતા હોય, પરંતુ વિશ્વભરનાં સંગઠનો કે સંસ્થાઓ સાથે કાર્ય કરતાં અને પોતાની ખુદની કારકિર્દી ધરાવતાં અમર્ત્ય સેન એ બધું છોડીને છેક બિહારના નાલંદામાં આવીને ફુલ-ટાઇમ જોડાય એવું શક્ય લાગતું ન હતું, એવી એમની પાસેથી અપેક્ષા રાખવી પણ વાજબી ન ગણાય.
શૈક્ષણિક માળખાના નિર્માણની ધીમી ગતિ અને અમર્ત્ય સેનના સરકાર સામેના વલણને કારણે પણ નાલંદા યુનિવર્સિટી જ્ઞાનનું કેન્દ્ર બનવાને બદલે રાજકીય રમતનું મંચ બની રહી હોય એવું જણાતું હતું. ઉપરાંત, ચીન પણ આ પ્રોજેક્ટમાં સામેલ હતું, જેના તરફથી યુનિવર્સિટીની શરૂઆતની એક આંતરરાષ્ટ્રીય સમિતિમાં એક પ્રોફેસરને પણ સમાવવામાં આવેલા અને ચીને આર્થિક યોગદાન આપવાની તૈયારી પણ દર્શાવેલી. વર્તમાન દલાઈ લામા કોઈ પ્રકારે નાલંદા યુનિવર્સિટી સાથે ન સંકળાય એ માટે ચીને આ સમિતિના દ્વારા દબાણ કર્યું હોવાની અફવા પણ વહેતી થયેલી. આ બધાં અવરોધક પરિબળોને કારણે એવું ચિત્ર ઊભું થયેલું કે નાલંદા યુનિવર્સિટીની વાતો ફક્ત કાગળ પર જ રહી જશે. કિન્તુ, નાલંદાના શૈક્ષણિક તથા ભૌતિક માળખાનું નિર્માણ કાર્ય ચાલતું રહ્યું અને અંતે એની ઇમારતો તથા કૅમ્પસ તૈયાર થઈ ગયાં, જેનું ૧૬ જૂનના રોજ વડાપ્રધાને ઉદ્ઘાટન કર્યું.
Denne historien er fra Abhiyaan Magazine 06/07/2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra Abhiyaan Magazine 06/07/2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
તિરુપતિ પ્રસાદના ઘીનાં ટેન્કર જીપીએસ સિસ્ટમથી સજ્જ
નંદિનીનું વડું મથક જીપીએસ સિસ્ટમ મારફત ટૅન્કરો પર નજર રાખશે. ટૅન્કરો પર ગોઠવવામાં આવેલ ઇલેક્ટ્રોનિક લૉકને માત્ર વડામથક દ્વારા મોકલવામાં આવેલ ઓટીપી દ્વારા જ ખોલી શકાશે
હૃદય એટલે ભૌતિક અર્થમાં અંગ અને અભૌતિક અર્થમાં અનુભૂતિ...
એક એવી કથા છે કે ભગવાને સૃષ્ટિની રચના કરી અને બધી વસ્તુઓ યોગ્ય જગ્યા પર ગોઠવી. એમાં છેલ્લે સત્ય વધ્યું, ઘણું વિચાર્યા બાદ ભગવાને સત્યને માણસના હૃદયમાં મૂક્યું !
ગ્રીનકાર્ડ મેળવવાનો એક વધુ રસ્તો
ઇમિજેટ રિલેટિવ કેટેગરી હેઠળ પુખ્ત વયનાં અમેરિકન સિટીઝન સંતાનો એમનાં માતા-પિતા માટે અને અમેરિકન સિટીઝનો એમની પત્ની યા પતિ માટે ગ્રીનકાર્ડ મેળવી શકે છે
બિજ-થિંગ.
‘કુમાર’ની સો વર્ષની કલા-સંપદા
લાફ્ટર વાઇરસ
...અને શાસ્ત્રીય સંગીતને અમે ભારે પડ્યા..!
કચ્છમાં મળી નવી વનસ્પતિ
જૈવવિવિધતા ધરાવતું કચ્છ સંશોધકો માટે વિપુલ તકો પૂરી પાડે છે. તાજેતરમાં જ વનસ્પતિશાસ્ત્રના અધ્યાપકોએ લખપત તાલુકામાંથી વનસ્પતિની તદ્દન નવી જ, વિશ્વમાં ક્યાંય નોંધાઈ ન હોય અને જેનું અસ્તિત્વ જોખમમાં છે, તેવી વનસ્પતિ શોધી કાઢી છે. આ વનસ્પતિ પથરાળ જમીન અને સૂકા વિસ્તારમાં ઊગે છે. તે આ વિસ્તારની ઇકોલૉજી માટે ખૂબ મહત્ત્વની છે. પશુઓ તેને ખાતા નથી, પરંતુ તે મધમાખી સહિતના અન્ય જીવજંતુઓ માટે તે આધારરૂપ છે. તેના સંવર્ધન માટે પ્રયત્ન થવો જોઈએ. આ વનસ્પતિના ઔષધીય ઉપયોગ માટે સંશોધન થવું જોઈએ.
વિવાદ
ચાઇનીઝ લસણ સામે સૌરાષ્ટ્રના ખેડૂતોના વિરોધનું કારણ શું?
ભેજનું પ્રમાણ વધવાથી કફ, શ્વાસ, દમનો હુમલો આવે છે
કફ વિકૃતિનું મુખ્ય કારણ બને છે. તેથી જમ્યા પછી પાણી પણ પીવાની મનાઈ છે, જે કફકારક છે. જમ્યા પહેલાં પાણી પીએ તો પથ્થરસમાન છે, જમ્યા પછી પીએ તો ઝેરસમાન છે અને જમતી વખતે પીએ તો અમૃતસમાન છે
હેલ્થ સ્પેશિયલ
નાની ઉમરના લોકોમાં કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે
સ્વાસ્થ્ય પ્રત્યેની બેદરકારીનું પરિણામ એટલે મેટાબોલિક સિન્ડ્રોમ
*આપણે જે ભોજન આરોગીએ છીએ તેમાં રહેલાં પોષક તત્ત્વોને ઊર્જામાં બદલવાનું કામ મેટાબૉલિઝમ કરે છે. *મેટાબૉલિક સિન્ડ્રોમ વ્યક્તિની કુટેવો, સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી, મેદસ્વિતા, શારીરિક શ્રમનો અભાવ, વ્યાયામ ન કરવાનો સ્વભાવ અને વધુ પડતા તાણવાળા સ્વભાવને કારણે થાય છે.