
વરસાદ આવે એટલે આપણી માનસિક સ્થિતિમાં પરિવર્તન આવે. દૃષ્ટિ, સ્પર્શ, ઘ્રાણ જેવી ઇન્દ્રિય વડે વરસાદ સાથે સંપર્ક સધાય તે સાથે ચિત્ત પર અવનવા શૃંગ અને ગર્ત રચાય છે. ભૌતિક આકાશમાંથી વરસતા વરસાદ સાથે શબ્દ તન્માત્રા થકી માનવીના વ્યક્તિગત આકાશમાં બદલાવ થાય છે, જે એ પ્રત્યાઘાત રૂપે વિચાર અને વાણીથી સામે વહાવે છે. બહુ ઓછા એવા હશે જેમને વરસાદ આવે એ નહીં ગમતું હોય. છતમાંથી પાણી પડે, પાણી ભરાય કે તંદુરસ્તી પર વિપરીત અસર થવા જેવા ભયનો અગ્નિ જાગૃત થાય એવું બને. બાકી બહુમતીને વરસાદ પસંદ પડે. ઘણાંને ખેતી સારી થાય એટલે હાશ થાય. ઘણાંને પાણીની વ્યવસ્થા થાય એટલે ખુશી થાય. બહુ બધાંને ઉનાળાની ગરમી અને એ પછીના બાફની વિદાય થાય એટલે મોજ પડે. ઘણાંને લીલોતરી છવાઈ જાય એટલે અને ભીની માટીની સુગંધ, પક્ષીઓનો કલરવ માણવા મળે તેથી આનંદ થાય. ઘણાંને ઉપરથી પડતાં વરસાદનાં અવાજ, દશ્ય અને તેની સાથેના પ્રત્યક્ષ કે પરોક્ષ સંસર્ગથી વિસ્મય થાય, રોમાંચ થાય. બધાં પોતપોતાની રીતે વરસાદથી પોતાને જે અનુભૂતિ થાય એ કહે.
વરસાદના આગમનથી ઉદ્ભવતું મોરનું ટેંહું ટેંહું ટેંહું જેણે લાઇવ સાંભળ્યું હોય એ અજાણતા ‘તે હું', ‘તે હું' અનુભવવાના પગથિયે પહોંચી જાય. વિજ્ઞાન ભૈરવમાં કહ્યું છે કે, વરસતા વરસાદને એક ધારે જોયા જ કરો તો ધ્યાન થઈ જાય. યદ્યપિ, મનુષ્ય માટે વરસાદ પડે ત્યારે ચૂપ રહેવું અઘરું થઈ જાય છે. વરસાદમાં પલળે કે ઇચ્છાથી સ્નાન કરે, મન કશુંક તો વિચારશે જ અને જીભ કશુંક તો બોલશે જ. હવે તો વરસાદમાં નૃત્ય કરી રિલ બનાવવામાં આવે છે. નૃત્યમાં નર્તક ગુમ થઈ જવો જોઈએ તેને સ્થાને વધુ સક્રિયતાથી હાજર થાય છે. વરસાદમાં સામાજિકતાથી બેખબર નહાતાં બાળકોને જોઈને વિસ્મય થાય. થાય કે હશે, મનુષ્ય હોય એ મનુષ્યવેડા કરે એમાં કોઈ નવી બાબત નથી. બાળકો વિવિધ પ્રકારની ચીસ પાડે. ગીત ગાય. એકલો નાનો જીવ હોય એ ગણગણે અને મોટો હોય તો લલકારવા લાગે. એવામાં મોઢામાં પાણી ભરાઈ જાય, પરંતુ બહારથી પ્રવેશેલી નવી ઊર્જા ભીતરમાં જઈ મરીમસાલા સાથે રસોઈ પામી બહાર આવ્યા વિના ના રહે. વરસાદમાં દાળવડા અને ચા કે અન્ય ખાણીપીણી ચાલે તો પણ વધુ કે ઓછા પ્રમાણમાં વરસાદની અસર હેઠળ વાક્શક્તિ સાથે સંધાન થઈ જાય.
Denne historien er fra Abhiyaan Magazine 20/07/2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra Abhiyaan Magazine 20/07/2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på

રાજકાજ
ટ્રમ્પ-ઝેલેન્સ્કીના ઉગ્ર સંવાદ પછી વૈશ્વિક પરિદૃશ્ય કઈ દિશામાં?

સ્ત્રી-પુરુષ સમાનતા - મંઝિલ હજુ દૂર
આપણા દેશમાં સ્રી અને પુરુષ વચ્ચેની વિષમતા હંમેશ જોવા મળે છે.

સ્ત્રી સશક્તિકરણ સ્વપ્ન કે હકીકત?
મહિલા દિન વિશેષ

સારાન્વેષ
એમેલિયા પેરેઝ : જેન્ડરની જંજાળ, કળામાં કકળાટ

આસ્થા અમીટ છે, તેને મિટાવી ન શકાય
જે મારી બંસરી ધિક્કારતા એ માણવા લાગ્યા, સુદર્શન હાથમાં લીધા પછીનો ફર્ક તો જુઓ.

સંદર્ભ
કેજરીવાલના કેગના રિપોર્ટમાં શરાબ કૌભાંડની કહાણી

રાજકાજ
શીખવિરોધી હિંસામાં સજ્જન કુમારને બીજી વખત આજીવન કારાવાસ

માલધારીઓએ ગાંડા બાવળથી મુક્ત કર્યું ગુગરિયાણા ગામ
ગાંડા બાવળના કારણે પૂરતું ઘાસ ઊગતું નથી

રસોડાની રાણી'નો કાંટાળો ખિતાબ
કેટલીક વાતો કહેવી પડે છે, શક્ય તેટલા ઊંચા અવાજે, વારંવાર કહેવી પડે છે. ન સંભળાય ત્યાં સુધી, ન સમજાય ત્યાં સુધી કહેવી પડે છે.

રાજકાજ
શરાબ નીતિ અંગે કેગનો રિપોર્ટ કેજરીવાલની મુશ્કેલી વધારશે