દેશી વહાણોના નવા યુગનો પ્રારંભ થશે
ABHIYAAN|Abhiyaan Magazine 21/09/2024
પ્રાચીન કાળથી ભારતમાં બનતાં વહાણોનો જમાનો વીતી ગયો હોય તેમ મોટાં મોટાં બંદરો ઉપર નાનાં એવાં દેશી વહાણો દેખાતાં બંધ થયાં હતાં, પરંતુ તાજેતરમાં દીનદયાળ પોર્ટ ઑથોરિટી દ્વારા દેશી વહાણોને કાર્ગો જેટી ઉપર લાંગરવાની મંજૂરી આપીને તે માટે જગ્યાની ફાળવણી કરાઈ છે. આ વહાણો થકી નાના જથ્થાનો અને દેશનાં અન્ય બંદરો તરફનો કાર્ગો ઓછા સમયમાં, ઓછા ખર્ચામાં જઈ આવી શકશે. તેમ જ નવી રોજગારીની તકો ઊભી થશે, અર્થતંત્રમાં રૂપિયો ઝડપથી ફરતો થશે.
સુચિતા બોઘાણી કનર
દેશી વહાણોના નવા યુગનો પ્રારંભ થશે

કચ્છના માંડવીમાં બનતાં વહાણો ‘ધાવ’ નામે ઓળખાય છે. આજે પણ આ વહાણો દરિયો ખેડે છે, પરંતુ બહુ મર્યાદિત માત્રામાં. જમાના અગાઉ આ નાનાં વહાણો થકી જ કચ્છી વહાણવટાએ પૂર્વ આફ્રિકા, ગલ્ફના દેશોમાં પોતાનો વાવટો ખોડ્યો હતો. જોકે મોટા મોટા કન્ટેનર શિપ્સના જમાનામાં તેનો ઉપયોગ ઘણો ઘટ્યો છે. કંડલાથી કોચીન કે વિશાખાપટ્ટનમ જેવા બંદરોએ આ નાનાં વહાણો સહેલાઈથી નાના જથ્થામાં માલસામાન લઈ જઈ શકે છે. તેના કારણે સમયમાં બચત થાય છે, ખર્ચ ઘટે છે. પરંતુ અત્યાર સુધી કચ્છનાં મહાબંદરો ઉપર આવાં દેશી વહાણોને લાંગરવાની મંજૂરી ન હતી, પરંતુ થોડા સમય પહેલાં મુન્દ્રા અદાણી બંદર ખાતે અને હવે કંડલા બંદરે આ મંજૂરી આપવામાં આવતા દેશી વહાણવટાના નવા યુગનો આરંભ થશે તેવું લાગી રહ્યું છે. આજે મૃતઃપ્રાય લાગતા દેશી જહાજ બનાવવાના વ્યવસાયમાં પ્રાણ તો ફૂંકાશે જ, સાથે-સાથે અન્ય નવી રોજગારીનું પણ નિર્માણ થશે તેવું નિષ્ણાતો માને છે. બંદરો પરથી થતી આયાત-નિકાસ વધશે, બંદરોની આવકમાં પણ વધારો થશે, નાના અને મધ્યમ કદના આયાત નિકાસકારોને લાભ પણ મળી શકશે.

ગાંધીધામ ચેમ્બર ઑફ કોમર્સના પ્રમુખ મહેશ પૂજ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ‘દેશી વહાણો ૫૦૦થી ૨૦૦૦ ટનની ક્ષમતા ધરાવતાં હોય છે. આ જહાજોને કંડલા પોર્ટની કાર્ગો જેટી ઉપર નિયુક્ત જગ્યાની ફાળવણી કરવામાં આવતાં દેશી વહાણો પણ હવે આધુનિક કન્ટેનર શિપ્સની સાથે નિયમિત કાર્ગો મેળવી શકશે. આ વહાણો ખાસ કરીને દેશનાં અન્ય બંદરો ઉપર કાર્ગોની હેરફેર કરી શકશે. અત્યાર સુધી દેશનાં બંદરો ઉપર મોટા ભાગે રસ્તા ઉપરથી માલસામાનની હેરફેર થતી હતી, પરંતુ હવે નાનાં વહાણોના કારણે આ હેરફેર ઝડપી અને ઓછા ખર્ચે થઈ શકશે. તેના કારણે અર્થતંત્રમાં રૂપિયો ઝડપથી ફરતો થશે. રસ્તા ઉપરના ભારે ટ્રાફિકનો પ્રશ્ન હળવો બની શકશે. એક અંદાજ મુજબ કંડલાથી દૈનિક ૬૦૦૦થી ૭૦૦૦ ટ્રકો આવેજાય છે. એક-એક ટ્રકમાં ૩૦થી ૪૦ ટન કાર્ગો હોય છે. આમ રોજનો ૨૮થી ૩૦ હજાર ટન કાર્ગોની હેરફેર થાય છે. દેશી વહાણો આવવાના કારણે ટ્રકોની સંખ્યા ઘટી જશે, ડીઝલનો વ્યય પણ ઓછો થશે. ઇકોનોમી ફાસ્ટ થશે, રોજગારી વધશે. આ વહાણો કપાસ, સ્ટીલ, મેટલ, ઘઉં, કોલસા, સોલ્ટ, એડિબલ ઓઇલ જેવી વસ્તુઓનું વહન કરે છે. એડિબલ ઓઇલ માટે ૨-૩ હજાર ટનની નાની ટેન્ક પણ બને છે અને તે ઓઇલ ઉપરાંત લિક્વિડ કાર્ગો પણ લઈ જઈ શકે છે.’

Denne historien er fra Abhiyaan Magazine 21/09/2024-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra Abhiyaan Magazine 21/09/2024-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA ABHIYAANSe alt
વિઝા વિમર્શ.
ABHIYAAN

વિઝા વિમર્શ.

અમેરિકાની કઈ યુનિવર્સિટીમાં ભણવા જશો?

time-read
3 mins  |
Abhiyaan Magazine 08/02/2025
મનોરંજન
ABHIYAAN

મનોરંજન

ઇમર્જન્સી : લક્ષ્યવેધ વિનાની ફિલ્મ

time-read
2 mins  |
Abhiyaan Magazine 08/02/2025
સેવા સંસ્થાઓનું પ્રભાવી સમ્મિલિત રૂપ
ABHIYAAN

સેવા સંસ્થાઓનું પ્રભાવી સમ્મિલિત રૂપ

ઈસાઈ મિશનરીઓનાં સેવા કાર્યોથી આપણે અભિભૂત થતા રહ્યા છીએ અને એ સાથે આપણા મનમાં એક પ્રશ્ન થતો રહ્યો છે કે આપણી ધાર્મિક-આધ્યાત્મિક સંસ્થાઓ, મઠ-મંદિરોનાં અઢળક ભંડોળ છતાં તેઓ કેમ સેવા કાર્યો કરતાં નથી? આ પ્રશ્નના ઉત્તર રૂપે અમદાવાદમાં યોજાઈ ગયેલ હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળામાં પ્રસ્તુત થયેલ તથ્યો આપણો પ્રશ્ન નિરર્થક બનાવી દે એટલાં વ્યાપક સેવા કાર્યો ચાલી રહ્યાં છે.

time-read
2 mins  |
Abhiyaan Magazine 08/02/2025
વામા-વિશ્વ બ્યુટી
ABHIYAAN

વામા-વિશ્વ બ્યુટી

હોમમેડ હેર સીરમ આપશે વાળને પોષણ

time-read
2 mins  |
Abhiyaan Magazine 08/02/2025
નીરખને ગગનમાં....
ABHIYAAN

નીરખને ગગનમાં....

કલાનું ધામ, કલાકારોનું ગામ :રઘુરાજપુર

time-read
5 mins  |
Abhiyaan Magazine 08/02/2025
લગ્નગીતોમાં કચ્છની વિશિષ્ટતા વણી લેવાઈ છે
ABHIYAAN

લગ્નગીતોમાં કચ્છની વિશિષ્ટતા વણી લેવાઈ છે

કચ્છમાં મુસ્લિમ અને દલિત જ્ઞાતિઓમાં કચ્છી ભાષામાં લગ્નગીતો ગવાય છે, જ્યારે અન્ય જ્ઞાતિઓમાં ગુજરાતી અને કચ્છી બંને ભાષામાં લગ્નગીતો ગાવાનો મહિમા છે.

time-read
6 mins  |
Abhiyaan Magazine 08/02/2025
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

ગોમતીના કિનારે, જૌનપુર

time-read
5 mins  |
Abhiyaan Magazine 08/02/2025
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

ગટ ફીલિંગ : પેટને અને દિમાગને સંબંધ છે

time-read
9 mins  |
Abhiyaan Magazine 08/02/2025
વસંતપંચમી : વર દે વીણાવાદિની વર દે
ABHIYAAN

વસંતપંચમી : વર દે વીણાવાદિની વર દે

નવ ગતિ નવ લય તાલ છંદ નવ, નવલ કંઠ નવ, જલદ મંદ્ર રવ નવ નભ કે નવ વિહંગ વૃંદ કો, નવ પર નવ સ્વર દે! વર દે, વીણાવાદિની વર દે.

time-read
2 mins  |
Abhiyaan Magazine 08/02/2025
સારાન્વેષ
ABHIYAAN

સારાન્વેષ

ડ્રેક્યુલા, રક્તપિપાસા અને યૌવનની લાલસા

time-read
4 mins  |
Abhiyaan Magazine 08/02/2025