કચ્છના માંડવીમાં બનતાં વહાણો ‘ધાવ’ નામે ઓળખાય છે. આજે પણ આ વહાણો દરિયો ખેડે છે, પરંતુ બહુ મર્યાદિત માત્રામાં. જમાના અગાઉ આ નાનાં વહાણો થકી જ કચ્છી વહાણવટાએ પૂર્વ આફ્રિકા, ગલ્ફના દેશોમાં પોતાનો વાવટો ખોડ્યો હતો. જોકે મોટા મોટા કન્ટેનર શિપ્સના જમાનામાં તેનો ઉપયોગ ઘણો ઘટ્યો છે. કંડલાથી કોચીન કે વિશાખાપટ્ટનમ જેવા બંદરોએ આ નાનાં વહાણો સહેલાઈથી નાના જથ્થામાં માલસામાન લઈ જઈ શકે છે. તેના કારણે સમયમાં બચત થાય છે, ખર્ચ ઘટે છે. પરંતુ અત્યાર સુધી કચ્છનાં મહાબંદરો ઉપર આવાં દેશી વહાણોને લાંગરવાની મંજૂરી ન હતી, પરંતુ થોડા સમય પહેલાં મુન્દ્રા અદાણી બંદર ખાતે અને હવે કંડલા બંદરે આ મંજૂરી આપવામાં આવતા દેશી વહાણવટાના નવા યુગનો આરંભ થશે તેવું લાગી રહ્યું છે. આજે મૃતઃપ્રાય લાગતા દેશી જહાજ બનાવવાના વ્યવસાયમાં પ્રાણ તો ફૂંકાશે જ, સાથે-સાથે અન્ય નવી રોજગારીનું પણ નિર્માણ થશે તેવું નિષ્ણાતો માને છે. બંદરો પરથી થતી આયાત-નિકાસ વધશે, બંદરોની આવકમાં પણ વધારો થશે, નાના અને મધ્યમ કદના આયાત નિકાસકારોને લાભ પણ મળી શકશે.
ગાંધીધામ ચેમ્બર ઑફ કોમર્સના પ્રમુખ મહેશ પૂજ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ‘દેશી વહાણો ૫૦૦થી ૨૦૦૦ ટનની ક્ષમતા ધરાવતાં હોય છે. આ જહાજોને કંડલા પોર્ટની કાર્ગો જેટી ઉપર નિયુક્ત જગ્યાની ફાળવણી કરવામાં આવતાં દેશી વહાણો પણ હવે આધુનિક કન્ટેનર શિપ્સની સાથે નિયમિત કાર્ગો મેળવી શકશે. આ વહાણો ખાસ કરીને દેશનાં અન્ય બંદરો ઉપર કાર્ગોની હેરફેર કરી શકશે. અત્યાર સુધી દેશનાં બંદરો ઉપર મોટા ભાગે રસ્તા ઉપરથી માલસામાનની હેરફેર થતી હતી, પરંતુ હવે નાનાં વહાણોના કારણે આ હેરફેર ઝડપી અને ઓછા ખર્ચે થઈ શકશે. તેના કારણે અર્થતંત્રમાં રૂપિયો ઝડપથી ફરતો થશે. રસ્તા ઉપરના ભારે ટ્રાફિકનો પ્રશ્ન હળવો બની શકશે. એક અંદાજ મુજબ કંડલાથી દૈનિક ૬૦૦૦થી ૭૦૦૦ ટ્રકો આવેજાય છે. એક-એક ટ્રકમાં ૩૦થી ૪૦ ટન કાર્ગો હોય છે. આમ રોજનો ૨૮થી ૩૦ હજાર ટન કાર્ગોની હેરફેર થાય છે. દેશી વહાણો આવવાના કારણે ટ્રકોની સંખ્યા ઘટી જશે, ડીઝલનો વ્યય પણ ઓછો થશે. ઇકોનોમી ફાસ્ટ થશે, રોજગારી વધશે. આ વહાણો કપાસ, સ્ટીલ, મેટલ, ઘઉં, કોલસા, સોલ્ટ, એડિબલ ઓઇલ જેવી વસ્તુઓનું વહન કરે છે. એડિબલ ઓઇલ માટે ૨-૩ હજાર ટનની નાની ટેન્ક પણ બને છે અને તે ઓઇલ ઉપરાંત લિક્વિડ કાર્ગો પણ લઈ જઈ શકે છે.’
Denne historien er fra Abhiyaan Magazine 21/09/2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra Abhiyaan Magazine 21/09/2024-utgaven av ABHIYAAN.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
દેશી વહાણોના નવા યુગનો પ્રારંભ થશે
પ્રાચીન કાળથી ભારતમાં બનતાં વહાણોનો જમાનો વીતી ગયો હોય તેમ મોટાં મોટાં બંદરો ઉપર નાનાં એવાં દેશી વહાણો દેખાતાં બંધ થયાં હતાં, પરંતુ તાજેતરમાં દીનદયાળ પોર્ટ ઑથોરિટી દ્વારા દેશી વહાણોને કાર્ગો જેટી ઉપર લાંગરવાની મંજૂરી આપીને તે માટે જગ્યાની ફાળવણી કરાઈ છે. આ વહાણો થકી નાના જથ્થાનો અને દેશનાં અન્ય બંદરો તરફનો કાર્ગો ઓછા સમયમાં, ઓછા ખર્ચામાં જઈ આવી શકશે. તેમ જ નવી રોજગારીની તકો ઊભી થશે, અર્થતંત્રમાં રૂપિયો ઝડપથી ફરતો થશે.
અવાજોનો ઓચ્છવ કરતા અતરંગી ASMR વીડિયો
*ઑટોનૉમસ સેન્સરી મેરિડિયન રિસ્પોન્સ (એએસએમઆર) આપમેળે ચરમસીમાએ પહોંચતી ઉત્તેજનાને પ્રેરનારી પ્રતિક્રિયા. આ સંજ્ઞાનો સૌથી વધુ ઉપયોગ થયો છે યુ-ટ્યૂબ પર. *૨૦૧૦માં જૅનિફર એલન નામની મહિલાએ સૌપ્રથમ આ ટર્મ કોઇન કરેલી. *ASMR વીડિયો અનેકોને કોઈ ને કોઈ પ્રકારે માનસિક રાહત આપવાનું કાર્ય કરે છે.
તમે અમને વોટ આપો, અમે તમને પૈસા સાથે પાયમાલી આપીશું
મફતની યોજનાનો અમલ કરનારાં રાજ્યો બરબાદીના માર્ગે ધકેલાઈ રહ્યાં છે, અનેક રાજ્યોમાં તેનાં આર્થિક દુષ્પરિણામો બહાર આવી રહ્યાં છે.
એનાલિસિસ.
અમેરિકાના નવા પ્રમુખ માટેની ચૂંટણી પર વિશ્વની નજર
રાજકાજ
વિદેશની ધરતી પર રાહુલ ગાંધીનાં બેજવાબદાર વિધાનો
હરિયાણામાં કોંગ્રેસ અને ‘આપ’નું ગઠબંધન થયું નહીં
રસપ્રદ વાત એ છે કે બંને પક્ષોના જોડાણના આગ્રહી રાહુલ ગાંધી અત્યારે વિદેશ પ્રવાસે છે. એ સ્થિતિમાં આમ આદમી પાર્ટીએ હરિયાણામાં ધરાર એકલે હાથે ચૂંટણી લડવી પડશે
આશીર્વાદ જેમ મળેલા અવાજને ઘોંઘાટ બનાવીશું કે નાદ?
'The Noise of Time’માં લેખક જુલિયન બર્ન્સ લખે કે, ‘સમયના ઘોઘાટનો સામનો શેનાથી કરી શકાય? માત્ર આપણા આંતરિક સંગીત વડે.’ પણ આપણા આંતરિક સંગીતને સ્વરબદ્ધ કરવાની શરૂઆત આપણા શ્વાસના અવાજને સાંભળવાથી થાય?
વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ
યુએસએ વિઝા વિન્ડો (૪)
હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’
ફિલ્મોના દરેક વિષયો પર ઝીણવટપૂર્વક સંશોધન કરી અત્યંત વિશ્વસનીય અને કડાકૂટવાળું કામ કરનાર હરીશ રઘુવંશી પાસે જે માહિતી હતી, એવી માહિતી નેશનલ આર્ચિવ ઑફ ઇન્ડિયા પાસે પણ નથી.
ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,
આહારવિજ્ઞાન સાથે જોડાયેલું પ્રોફેશન - ડાયેટિશિયન