ગાંધીજીની ખાદી જનસામાન્યની પહોંચથી દૂર
ABHIYAAN|Abhiyaan Magazine 26/10/2024
ગાંધીજીની ખાદી આજે માત્ર વારે-તહેવારે, સરકારી કાર્યક્રમોમાં કે ખૂબ પૈસાપાત્ર વ્યક્તિઓ પાસે જ દેખાય છે. ખૂબ મોંઘી ખાદી ખરીદવાનું સામાન્ય લોકોનું ગજું રહ્યું નથી. ખાદી મોંઘી થઈ એ માટે સરકારી અધિકારીઓની અવ્યવહારુ નીતિ જવાબદાર છે. આજે ખાદીના વણાટ સહિતનાં કામો માટે નવી પેઢી આવવા તૈયાર નથી. ઓછું વળતર અને વધુ મહેનતના કારણે કારીગરો ખાદીથી દૂર થઈ રહ્યા છે.
સુચિતા બોઘાણી કનર
ગાંધીજીની ખાદી જનસામાન્યની પહોંચથી દૂર

ગાંધીજી ખાદીને સ્વરાજ મેળવવાનું અમોઘ અસ્ત્ર માનતા હતા. સામાન્ય લોકો ખાદીથી પગભર થઈ શકતા હતા. ચરખો ચલાવીને પોતે દેશના કામમાં સહભાગી થઈ રહ્યા છે તેવો સંતોષ પણ મેળવી શકતા હતા. આખા દેશના મોટા ભાગના લોકો ખાદી કાંતવા સાથે, વણવા સાથે સંકળાયેલા હતા, પરંતુ આજે ખાદી જનમાનસમાંથી ભૂલાઈ ગઈ છે. ગાંધી જયંતી જેવા એકાદ દિવસે જ લોકો તેને યાદ કરે છે. જ્યારે સામાન્ય લોકો ખાદીથી દૂર થયા છે ત્યારે તેની સાથે સંકળાયેલા, કાંતવાવાળા, વણવાવાળા, રંગવાવાળા, છાપવાવાળા, ધોલાઈ કરવાવાળા કે સિલાઈ કરવાવાળા કારીગરો પણ ઘટવા લાગ્યા છે. આમ પણ ખૂબ મોંઘી ખાદી સામાન્ય લોકોની પહોંચમાં નથી. માત્ર પૈસાપાત્ર વ્યક્તિઓ શોખ ખાતર ક્યારેક તે ધારણ કરે છે. આ બધાનું મુખ્ય કારણ છે, સરકારની અવ્યવહારુ નીતિ. જો સરકારી નીતિ થોડી વ્યવહારુ બને તો ફરી વખત ગરીબો રોજીરોટી રળી આપતી ખાદી સામાન્ય લોકોના પહેરવેશમાં પોતાનું સ્થાન જમાવી શકે.

ખાદી મોંઘી બની છે, તેથી તેના વેચાણ ઉપર અસર થઈ છે. ભાવ વધવાનાં અનેક કારણો છે. સરકાર ખાદી ઉપર વળતર આપે છે, પરંતુ જે ખાદી ઑક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં બની હોય તે અને તેટલી જ ખાદી વળતર યોગ્ય ગણાય છે. આખા વર્ષ દરમિયાન જે ઉત્પાદન થયું હોય તે વળતર પાત્ર હોતું નથી. આથી બહુ ઓછી ખાદી ઉપર વળતર મળે છે. તેવી જ રીતે પહેલાં ખાદીને સરકારના વિવિધ ટૅક્સમાંથી મુક્તિ હતી, પરંતુ હવે ખાદી કામને એક ઉદ્યોગ ગણીને તેને પણ લેબર લૉ નીચે આવરી લેવામાં આવ્યું છે. તેથી કારીગરો કે અન્ય લોકો જે ખાદી સાથે સંકળાયેલા છે તેમને લેબર લૉ મુજબ જ વળતર આપવું પડે છે. જો સરકાર ખાદી સંસ્થાઓને કારીગરોને ચૂકવવાના થતી રકમમાં જ સહાય આપે તો ખાદીની કિંમતમાં ઘટાડો થઈ શકે, ભાવ ઘટવાના કારણે તેનું વેચાણ વધી શકે, તે વધુ રોજગારી ઊભી કરી શકે. અત્યારે ખાદીમાંથી થતી આવક વધી નથી, પરંતુ તે માટે ચૂકવવાની રકમમાં ધરખમ વધારો થયો છે. ખાદી માટે જરૂરી એવા કાચા માલના ભાવ બે ગણાથી વધુ થયા છે. જેની અસર પણ ખાદીની કિંમત ઉપર પડે છે.

Denne historien er fra Abhiyaan Magazine 26/10/2024-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra Abhiyaan Magazine 26/10/2024-utgaven av ABHIYAAN.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA ABHIYAANSe alt
વિઝા વિમર્શ.
ABHIYAAN

વિઝા વિમર્શ.

અમેરિકાની કઈ યુનિવર્સિટીમાં ભણવા જશો?

time-read
3 mins  |
Abhiyaan Magazine 08/02/2025
મનોરંજન
ABHIYAAN

મનોરંજન

ઇમર્જન્સી : લક્ષ્યવેધ વિનાની ફિલ્મ

time-read
2 mins  |
Abhiyaan Magazine 08/02/2025
સેવા સંસ્થાઓનું પ્રભાવી સમ્મિલિત રૂપ
ABHIYAAN

સેવા સંસ્થાઓનું પ્રભાવી સમ્મિલિત રૂપ

ઈસાઈ મિશનરીઓનાં સેવા કાર્યોથી આપણે અભિભૂત થતા રહ્યા છીએ અને એ સાથે આપણા મનમાં એક પ્રશ્ન થતો રહ્યો છે કે આપણી ધાર્મિક-આધ્યાત્મિક સંસ્થાઓ, મઠ-મંદિરોનાં અઢળક ભંડોળ છતાં તેઓ કેમ સેવા કાર્યો કરતાં નથી? આ પ્રશ્નના ઉત્તર રૂપે અમદાવાદમાં યોજાઈ ગયેલ હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળામાં પ્રસ્તુત થયેલ તથ્યો આપણો પ્રશ્ન નિરર્થક બનાવી દે એટલાં વ્યાપક સેવા કાર્યો ચાલી રહ્યાં છે.

time-read
2 mins  |
Abhiyaan Magazine 08/02/2025
વામા-વિશ્વ બ્યુટી
ABHIYAAN

વામા-વિશ્વ બ્યુટી

હોમમેડ હેર સીરમ આપશે વાળને પોષણ

time-read
2 mins  |
Abhiyaan Magazine 08/02/2025
નીરખને ગગનમાં....
ABHIYAAN

નીરખને ગગનમાં....

કલાનું ધામ, કલાકારોનું ગામ :રઘુરાજપુર

time-read
5 mins  |
Abhiyaan Magazine 08/02/2025
લગ્નગીતોમાં કચ્છની વિશિષ્ટતા વણી લેવાઈ છે
ABHIYAAN

લગ્નગીતોમાં કચ્છની વિશિષ્ટતા વણી લેવાઈ છે

કચ્છમાં મુસ્લિમ અને દલિત જ્ઞાતિઓમાં કચ્છી ભાષામાં લગ્નગીતો ગવાય છે, જ્યારે અન્ય જ્ઞાતિઓમાં ગુજરાતી અને કચ્છી બંને ભાષામાં લગ્નગીતો ગાવાનો મહિમા છે.

time-read
6 mins  |
Abhiyaan Magazine 08/02/2025
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

ગોમતીના કિનારે, જૌનપુર

time-read
5 mins  |
Abhiyaan Magazine 08/02/2025
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

ગટ ફીલિંગ : પેટને અને દિમાગને સંબંધ છે

time-read
9 mins  |
Abhiyaan Magazine 08/02/2025
વસંતપંચમી : વર દે વીણાવાદિની વર દે
ABHIYAAN

વસંતપંચમી : વર દે વીણાવાદિની વર દે

નવ ગતિ નવ લય તાલ છંદ નવ, નવલ કંઠ નવ, જલદ મંદ્ર રવ નવ નભ કે નવ વિહંગ વૃંદ કો, નવ પર નવ સ્વર દે! વર દે, વીણાવાદિની વર દે.

time-read
2 mins  |
Abhiyaan Magazine 08/02/2025
સારાન્વેષ
ABHIYAAN

સારાન્વેષ

ડ્રેક્યુલા, રક્તપિપાસા અને યૌવનની લાલસા

time-read
4 mins  |
Abhiyaan Magazine 08/02/2025