૧૯૫૭માં રશિયાએ માનવનિર્મિત ઉપગ્રહ સ્પતનિક અંતરીક્ષમાં તરતો મૂક્યો ત્યારથી જમીનની જેમ અંતરીક્ષમાં પણ પગદંડો જમાવવાની જામેલી હોડ ચરમસીમાએ પહોંચી. એ હોડમાં મુખ્ય બે ખિલાડી હતા અમેરિકા અને અવિભાજિત સોવિયેત રશિયા. જો કે અંતરીક્ષ કાર્યક્રમ-સ્પેસ પ્રોગ્રામ્સની બોલબાલા જામી ત્યારથી ભારતીય વિજ્ઞાનીઓનો એમાં ઊંડો રસ રહ્યો હતો. ૧૯૭૦ના દાયકામાં ભારતને એ રસ અને વિજ્ઞાનીઓની મહેનતનાં ફળ પણ મળવાની શરૂઆત થઈ.
૧૯૭૦ના દાયકાના શરૂઆતનાં વર્ષોની વાત છે. આપણા સ્પેસ પ્રોગ્રામના પિતામહ ગણાતા ભારતીય અવકાશવજ્ઞાન સંસ્થા (ઈસરો)ના સ્થાપક ડૉ. વિક્રમ સારાભાઈએ અમદાવાદની ફિઝિકલ રિસર્ચ લંબોરેટરીમાં પચ્ચીસ સંશોધકો એન્જિનિયર્સની ટીમ તૈયાર કરી. અંતરીક્ષ વિજ્ઞાની ડૉ. એસ.આર. રાવના નેતૃત્વમાં સંશોધકોની આ ટીમે ૧૦૦ કિલો વજનનો એક ઉપગ્રહ તૈયાર કર્યો, જે અમેરિકા દ્વારા લૉન્ચ થવાનો હતો. જો કે અમેરિકા અને રશિયા વચ્ચેના ગજગ્રાહને કારણે એ શક્ય ન બન્યું. એવામાં ડિસેમ્બર, ૧૯૭૧માં ડૉ. વિક્રમ સારાભાઈનું અચાનક મૃત્યુ થઈ ગયું.
આવા બમણા આઘાતને લીધે થોડાક મહિના માટે તમામ પ્રોગ્રામ અટકી પડ્યા, પણ ભારતને એનો પહેલો સેટેલાઈટ લૉન્ચ કરવામાં મદદ માટે રશિયાએ તૈયારી બતાવતાં ૧૯૭૨માં એક ઉપગ્રહ પ્રોજેક્ટ માટે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઈઝેશન (ISRO) અને સોવિયેત સંઘ વચ્ચે એગ્રીમેન્ટ થયા.
Denne historien er fra May 08, 2023-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra May 08, 2023-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?
જાણકારો કહે છે કે ભારત તથા આફ્રિકન રાષ્ટ્રોને વિકાસની દૃષ્ટિએ પોતાના સમોવડિયા બનતાં રોકવા માટે વિકસિત દેશોનું પાછલાં ૧૦૦ વર્ષનું સૌથી મોટું સૅમ એટલે ક્લાઈમેટ ચેન્જ.
ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ
રાજ્યમાં જૂની વર્ક્સ મિલકતોની તકરાર અને નવી વક્ત મિલકત માટે દાવા અચાનક વધ્યા છે. અલ્લાહને સમર્પિત મિલકત માટે નૈતિક અને કાનૂની આચરણ સામે હવે સવાલ કેમ ઊભા થાય છે?
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.