'૧૯૪૨માં મારાં માતા-પિતા જોડાયાં, બન્નેનાં એ બીજાં લગ્ન. બાપુજી તો કરાચીમાં જ બાળલગ્નના શિકાર થયેલા.. ને ત્યાં જ એક પુત્રી તથા પત્નીનાં મૃત્યુનો માર સહન કરીને મુંબઈ આવેલા. અહીં પંદર વર્ષ પછી મારી માતાને આગલા પતિથી થયેલાં પાંચ સંતાનો સાથે સ્વીકારેલાં. છતાં ન પ્રારબ્ધમાં બદલાવ આવ્યો, ન તો સ્થિતિમાં.
‘એ અરસામાં જ મુંબઈ ખાતે હિંદી થિયેટરના મહાન રંગકર્મી તથા ફિલ્મઅભિનેતા પૃથ્વીરાજ કપૂરે પોતાની નાટ્યમંડળી પૃથ્વી થિયેટર્સ નામે શરૂ કરી હતી. સૌને માટે પૃથ્વીના દરવાજા ખુલ્લા રહેતા. બાપુજીએ ફિલ્મનો વ્યામોહ છોડીને પૃથ્વી સાથે જોડાઈ ૧૯૪૪માં જીવનની દિશા બદલવાનો યત્ન કર્યો. એ દરમિયાન ઘરનો ક્લેશ વધતો ગયો. ને મા-બાપ સહસમજૂતીથી છૂટાં પડવા તૈયાર થઈ ગયાં, કારણ કે મુંબઈના સંઘર્ષથી કંટાળી બાપુજી હવે વતન પરત ફરવાનો નિર્ણય કરી ચૂકેલા. અંતે સ્વેચ્છાએ કોઈ કડવાશ વિના એકમેકથી છૂટાં પડ્યાં ત્યારે મારી માતાએ બાપુજીને એક અનમોલ દાન આપ્યું, પુત્રદાન.. માતાને જીવન આધાર રૂપે પાંચ સંતાનો તો હતાં જ, જ્યારે બાપુજીએ હવે કદી પણ લગ્નજીવનમાં આગળ ન વધવા નિર્ધાર કરી એકલવાયા જીવનપંથે યાત્રા આદરેલી..’
કોઈ નાટક કે વેબ-સિરીઝની સ્ટોરીસિનોપ્સિસ વાંચતા હોઈએ એવું લાગે. હજી થોડું આગળ વાંચીએ..
‘પહેલું જ નાટક. બિલકુલ નવોદિતો, બિન-અનુભવી, ગ્રામીણ ભાષી, લગભગ નિરક્ષર કે અલ્પશિક્ષિત કલાકારોને સથવારે માત્ર દસ દિવસમાં તૈયાર કરવાની જવાબદારી બાપુજીએ સ્વીકારી. બાપુજીએ પોતાની જ નવી નાટ્યસંસ્થાનું બૅનર આપવાનો નિર્ણય લીધો. એનું નામઃ કલા નિકેતન.’
ઓહ, હવે સમજાયું. આ તો ભરત યાજ્ઞિકની વાત છે ને? હા. તમે સાચા છો. તમને થશે કે આમ ટુકડા ટુકડા કેમ, આ ટુકડા જોડીને તો આખી ફિલ્મ કે નાટક બની શકે એમ છે. એય કોઈ બનાવશે, પરંતુ અત્યારે તો આવી રસપ્રદ વાતોનું પુસ્તક થયું છે.
આ તો કેટલાક અંશ છે રાજકોટમાં વસેલા નાટ્યકાર ભરત યાજ્ઞિકના નાટ્યસંસ્મરણના. થોડા સમય પહેલાં એનું વિમોચન થયું. રેડિયોમાં એમણે ૪૩ વર્ષ કામ કર્યું એની દિલચસ્પ દાસ્તાં શ્રોતા દેવો ભવના ત્રણ ભાગમાં આલેખી હતી. હવે આ નવું પુસ્તક પ્રકાશિત થયું, જેનું નામ છે દર્શક દેવો ભવ. આ પુસ્તકમાં ભરતભાઈનાં રંગભૂમિનાંનાટ્યકર્મનાં સંસ્મરણો શબ્દસ્થ થયાં છે.
Denne historien er fra May 22, 2023-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra May 22, 2023-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?
જાણકારો કહે છે કે ભારત તથા આફ્રિકન રાષ્ટ્રોને વિકાસની દૃષ્ટિએ પોતાના સમોવડિયા બનતાં રોકવા માટે વિકસિત દેશોનું પાછલાં ૧૦૦ વર્ષનું સૌથી મોટું સૅમ એટલે ક્લાઈમેટ ચેન્જ.
ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ
રાજ્યમાં જૂની વર્ક્સ મિલકતોની તકરાર અને નવી વક્ત મિલકત માટે દાવા અચાનક વધ્યા છે. અલ્લાહને સમર્પિત મિલકત માટે નૈતિક અને કાનૂની આચરણ સામે હવે સવાલ કેમ ઊભા થાય છે?
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.