પંખિલ છેડા: ૧૮ વર્ષથી મનમાં ધરબી રાખેલી એવરેસ્ટ આરોહણની ઈચ્છા પૂર્ણ થઈ.
મુંબઈના પશ્ચિમી પરા બોરીવલીમાં રહેતો પંખિલ હરીશ છેડા આઈટી એન્જિનિયર છે તો ઈશાન મુંબઈના ઘાટકોપરમાં રહેતા ૧૭ વર્ષી મિથિલ રાજુ દેઢિયાએ ટ્વેલ્થની પરીક્ષા આપી છે અને એ ગ્રાફિક ડિઝાઈનર બનવા માગે છે. આ બન્ને અત્યારે સમાચારમાં છે, કારણ કે બન્નેએ કપરાં ચઢાણ ચઢીને, વિષમ હવામાન, પરિસ્થિતિ સામે લડીને દુનિયાનું સર્વોચ્ચ શિખર માઉન્ટ એવરેસ્ટ સર કર્યું છે.
પંખિલ કહે છે: ‘૧૯૯૮માં હિમાલયમાં પહેલી વાર પર્વતારોહણ કર્યું એ વખતે ઉંમર હતી દસ વર્ષ. ૨૦૦૩માં દસમા ધોરણમાં હું મેરિટ લિસ્ટમાં આવ્યો અને ૨૦૦૫-૨૦૦૬માં આઈઆઈટી-મુંબઈમાં કમ્પ્યુટર સાયન્સ ઍન્ડ એન્જિનિયરિંગમાં ઍડ્મિશન લીધું.’ એ ગાળામાં પંખિલે વિવિધ એક્સપિડિશન કર્યાં અને ખાસ તો ૨૦૦૫માં એવરેસ્ટ બેઝ કૅમ્પ પર પહોંચ્યો ત્યારથી એની ઈચ્છા હતી કે માઉન્ટ એવરેસ્ટ શિખર સર કરવું. ૨૦૨૨માં એણે નેપાળનું એમાડબ્લેમ શિખર સર કર્યું, જેની ખડકાળ દીવાલોનાં ચઢાણ અઘરાં, ગ્રેડ ફાઈવ કક્ષાનાં છે. હવે સમય આવી પહોંચ્યો હતો એવરેસ્ટ સર કરવાનો. આ માટે પંખિલ અને મિથિલ તોરી ઍડ્વેન્ચર્સ સાથે જોડાયા.
૨૫ એપ્રિલ, ૨૦૨૩ના દિવસે બેઝ કૅમ્પથી એ બન્ને ખુમ્બુ ગ્લૅશિયરના બરફીલા પોપકૉર્ન ફીલ્ડ તથા ફૂટબૉલ સેક્શન વટાવી કૅમ્પ વન પર પહોંચ્યા. કૅમ્પ વન સુધી પહોંચવાનો આખો પ્રદેશ પર્વતારોહકનાં શક્તિ, સામર્થ્ય અને સલામતીના દૃષ્ટિકોણની કસોટી કરે એવો છે. ગ્લૅશિયરની ખુલ્લી ક્રવાસ (ફાંટ) વટાવવી તથા ઢંકાયેલી વાસથી બચીને રહેવું પડે. વાસ પાર કરવા સીડીનો ઉપયોગ થાય છે. અહીં બે રાત્રિના રોકાણ દરમિયાન પર્વતારોહક આટલી ઊંચાઈ પર રહેવા કેળવાય છે, જેને એક્લેમેટાઈઝેશન કહેવાય છે. અહીંથી નીચે ઉતરાણ કરી ફરી કૅમ્પ વન પર આવે છે.
આ ક્રમે પંખિલ-મિથિલ ૨૯ એપ્રિલે ૭૦૦૦ મીટરની ઊંચાઈએ આવેલા કૅમ્પ થ્રી પર પહોંચી, ફરીથી નીચે ઊતરી બેઝ કૅમ્પ પર આવી ગયા. એકથી આઠ મેએ એ નામચી બજાર રોકાયા. અહીં ખાવા-પીવાની સુવિધા સારી છે. આઠથી ૧૧ મે દરમિયાન બેઝ કૅમ્પથી આજુબાજુના નાના ટ્રેક કરી શરીરને પરિસ્થિતિ સાથે કેળવતાં રહ્યા.
Denne historien er fra June 05, 2023-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra June 05, 2023-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?
જાણકારો કહે છે કે ભારત તથા આફ્રિકન રાષ્ટ્રોને વિકાસની દૃષ્ટિએ પોતાના સમોવડિયા બનતાં રોકવા માટે વિકસિત દેશોનું પાછલાં ૧૦૦ વર્ષનું સૌથી મોટું સૅમ એટલે ક્લાઈમેટ ચેન્જ.
ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ
રાજ્યમાં જૂની વર્ક્સ મિલકતોની તકરાર અને નવી વક્ત મિલકત માટે દાવા અચાનક વધ્યા છે. અલ્લાહને સમર્પિત મિલકત માટે નૈતિક અને કાનૂની આચરણ સામે હવે સવાલ કેમ ઊભા થાય છે?
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.