આ જગતના બાગમાંથી આપ વિદાય લઈને ગયા પછી આપે ખીલવેલાં પ્રભાતનાં પુષ્પોની વાટિકા જોઈને મેં અનેક વાર વિચાર કર્યો, આ પુષ્પો ચૂંટીને સુંદર માળા બનાવીશ, પણ જ્યારે હું બાગમાં જઈને ઊભી રહેતી ત્યારે પુષ્પોના રંગો જોઈને મારાં ચક્ષુ ભરાઈ આવતાં અને એના મઘમઘાટથી અંતર મહેકી ઊઠતું. એક-એકથી ચડિયાતાં લાગતાં પુષ્પોમાંથી પહેલાં કયું ચૂંટવું અને પછી કયું એના નિર્ણયમાં જ મારું મુગ્ધ મન મૂંઝાઈ જતું.
ચિત્રલેખાનાં સહસંસ્થાપક સ્વર્ગીય મધુરીબહેન કોટકના આ શબ્દો પ્રસિદ્ધ અભિનેત્રી સરિતાબહેન જોશીના સ્વરમાં ગુંજી ઊઠ્યા ત્યારે માત્ર ચિત્રલેખા પરિવાર જ નહીં, પણ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વ મહેમાનોનાં અંતરમાં કૃતજ્ઞતાના ભાવ ઊમટી પડ્યા.
કૃતજ્ઞતા એટલા માટે કે વર્ષો પહેલાં મધુરીબહેને ચિત્રલેખાના સંસ્થાપક સ્વર્ગીય વજુ કોટક લિખિત પ્રભાતનાં પુષ્પોની લેખમાળા પુસ્તક રૂપે રજૂ કરી, જેની પ્રસ્તાવના એમણે પાંખડી એ નામે લખી હતી. હવે એમના પૌત્ર મનન કોટકે અતિ જહેમતથી પ્રભાતનાં પુષ્પોનું ઑડિયો સંસ્કરણ તૈયાર કરાવ્યું છે, જેનું લોકાર્પણ શનિવાર, ૧૦ જૂને મુંબઈના બાન્દ્રા-કુર્લા કૉમ્પ્લેક્સસ્થિત નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (એનએસઈ)માં યોજાયેલા એક ઝાકઝમાળભર્યા સમારોહમાં કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય પછી પ્રસિદ્ધ કથાકાર ભૂપેન્દ્રભાઈ પંડ્યાએ મહારાષ્ટ્ર સરકારના પર્યટન તથા કૌશલ્યવિકાસ ખાતાના પ્રધાન મંગલ પ્રભાત લોઢા, નૅશનલ સ્ટૉક એક્સચેન્જના મૅનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ આશિષકુમાર ચૌહાણ, ઉદ્ઘોષક હરીશ ભીમાણી, અદાકાર મનોજ જોષી તથા વક્તા-લેખક જય વસાવડાની ઉપસ્થિતિમાં એનએસસીનો બેલ વગાડીને ઑડિયોરૂપમાં પ્રભાતનાં પુષ્પોનું સંસ્કરણ ડાઉનલોડ માટે ખુલ્લું મૂક્યું. સરળ તત્ત્વજ્ઞાનથી ભરેલી ૧૭૩ મણકાની શ્રેણી એટલે કે પ્રભાતનાં પુષ્પોને ગુજરાતી યુવાનો સુધી પહોંચાડવા માટે હરીશ ભીમાણીના સ્વરમાં ધ્વનિમુદ્રિત કરાયાં છે.
વજુભાઈના ચાહકો તથા ‘ચિત્રલેખા’ના પ્રેમીઓએ સભાગૃહ છલકાવી દીધું. મહારાષ્ટ્રના પર્યટનપ્રધાન મંગલ પ્રભાત લોઢાની વિશેષ ઉપસ્થિતિ રહી. લાલુભાઈ મહેતા, સ્નેહલ મુઝુમદાર, કુન્દન વ્યાસ, દિનકર જોષી, વર્ષા અડાલજા, રૂપા બાવરી, રેખા ભીમાણી, વગેરે હસ્તીની હાજરીથી સમારોહ દીપી ઊઠ્યો.
Denne historien er fra June 26, 2023-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra June 26, 2023-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?
જાણકારો કહે છે કે ભારત તથા આફ્રિકન રાષ્ટ્રોને વિકાસની દૃષ્ટિએ પોતાના સમોવડિયા બનતાં રોકવા માટે વિકસિત દેશોનું પાછલાં ૧૦૦ વર્ષનું સૌથી મોટું સૅમ એટલે ક્લાઈમેટ ચેન્જ.
ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ
રાજ્યમાં જૂની વર્ક્સ મિલકતોની તકરાર અને નવી વક્ત મિલકત માટે દાવા અચાનક વધ્યા છે. અલ્લાહને સમર્પિત મિલકત માટે નૈતિક અને કાનૂની આચરણ સામે હવે સવાલ કેમ ઊભા થાય છે?
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.