ગરુડરાજ અમૃત મેળવવા માટે પહોંચ્યા દેવલોકમાં. એમને પોતાના માટે અમૃત નહોતું જોઈતું. એ અમૃત લઈ જઈને પોતાના માસિયાઈ ભાઈઓ એવા નાગને આપવાના હતા અને નાગબંધુઓ અમૃતના બદલામાં ગરુડરાજની માતા વિનતાને દાસીપણાના બંધનમાંથી મુક્ત કરવાના હતા.
માતાની મુક્તિ માટે, અમૃતની પ્રાપ્તિ માટે ગરુડરાજ અતિ મક્કમ હતા. સામે પક્ષે અમૃતના રક્ષણના મામલે દેવો પણ અતિ મક્કમ હતા. અમૃત જ્યાં રાખવામાં આવેલું એ સ્થળની નજીક દેવતાઓ તીક્ષ્ણ ધારવાળાં અગણિત અસ્ત્ર-શસ્ત્ર લઈને ગોઠવાઈ ગયા. એ સ્થળે અત્યંત શક્તિશાળી, તેજસ્વી દેવતાઓની સામૂહિક ઉપસ્થિતિથી એવું લાગી રહ્યું હતું, જાણે સૂર્યપ્રકાશથી ઝળહળતું એક બીજું આકાશ નીચે ઊતરી આવ્યું હોય.
અગાઉ આ જ અમૃત માટે અસુરોની મહાન સેના સામે ભીષણ યુદ્ધ ખેલીને વિજેતા બનેલા દેવો માટે આમ જુઓ તો ગરુડરાજનો પડકાર નાનો ગણાય, કારણ કે અગાઉ શક્તિશાળી અસરોની આખી સેના હતી, જ્યારે આ વખતે એક જ પક્ષીનો સામનો કરવાનો હતો, છતાં ગરુડરાજના આગમનના એંધાણ રૂપે દેવલોકમાં જે પ્રકારે વેગીલો વંટોળ ફૂંકાયો, ઉલ્કાપાત થયો, આકાશમાંથી લોહી વરસ્યું એ બધું જોઈને દેવોને એટલું સમજાઈ ગયું એ હતું કે આ પડકારને હળવાશથી લેવા જેવો નથી.
અમૃતસ્થળ પાસે ગોઠવાયેલા દેવો સમક્ષ અચાનક ગરુડરાજ આકાશમાંથી અત્યંત તેજ ગતિએ ધસી આવ્યા. પહેલી જ નજરે એ પક્ષીરાજની પ્રચંડતાથી દેવોમાં એવો ભય વ્યાપ્યો કે દેવો કાંપી ઊઠ્યા. એ શસ્ત્ર તો ઘુમાવવા લાગ્યા, પરંતુ ગભરાટને લીધે એમનાં શસ્ત્રો એકમેક સાથે અંદરોઅંદર જ ટકરાવા લાગ્યાં.
અમૃતરક્ષાની મુખ્ય જવાબદારી વીજળી અને અગ્નિ જેવા શક્તિશાળી વિશ્વકર્માએ સંભાળી હતી. એમણે ગરુડરાજ સામે પડકાર ફેંક્યો. બન્ને વચ્ચે તુમુલ યુદ્ધ થયું. જો કે યુદ્ધ બહુ લાંબું ન ચાલ્યું અને ગરુડનાં નખ, પાંખ અને ચાંચના પ્રહારોથી ઘાયલ થયેલા વિશ્વકર્મા મૃતપ્રાય થઈને ઢળી પડ્યા. પછી સમગ્ર દેવગણ ગરુડરાજનો પ્રતિકાર કરવા આગળ આવ્યો, પરંતુ ગરુડરાજે પાંખો અત્યંત વેગથી ફફડાવીને એટલી બધી ધૂળ ઉડાડી કે દેવતાઓ માટે કશું પણ જોવું અશક્ય બન્યું. ઈન્દ્રએ વાયુદેવને આદેશ આપ્યો: ‘આ ધૂળને દૂર તાણી જાઓ.’
Denne historien er fra July 03, 2023-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra July 03, 2023-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?
જાણકારો કહે છે કે ભારત તથા આફ્રિકન રાષ્ટ્રોને વિકાસની દૃષ્ટિએ પોતાના સમોવડિયા બનતાં રોકવા માટે વિકસિત દેશોનું પાછલાં ૧૦૦ વર્ષનું સૌથી મોટું સૅમ એટલે ક્લાઈમેટ ચેન્જ.
ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ
રાજ્યમાં જૂની વર્ક્સ મિલકતોની તકરાર અને નવી વક્ત મિલકત માટે દાવા અચાનક વધ્યા છે. અલ્લાહને સમર્પિત મિલકત માટે નૈતિક અને કાનૂની આચરણ સામે હવે સવાલ કેમ ઊભા થાય છે?
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.