વિસ્મય અને તથ્ય, બન્ને અમદાવાદના ધનિક અને વગદાર પિતાના પુત્ર. સામ્યતા ગણો તો બન્નેએ અમદાવાદમાં વૈભવી કાર ઓવરસ્પીડમાં ચલાવીને ગંભીર અકસ્માત સર્જ્યો અને રાહદારીઓને મોતને ઘાટ ઉતાર્યા. બન્નેના વગદાર પિતાએ એમના નબીરાનાં કરતૂતો છુપાવવા અનેક પ્રયાસ કર્યા. ઔર એક સમય એ પણ હતો કે બન્નેના પિતા સામે પણ અમુક ગુના નોંધાયેલા છે!
પહેલાં વાત વિસ્મય અમિત શાહની. આઈ સર્જ્યન ડૉ. અમિત શાહના પુત્ર વિસ્મયે ફેબ્રુઆરી, ૨૦૧૩માં અમદાવાદના જજીઝ બંગલો વિસ્તારમાં બીએમડબ્લ્યુ કાર ગફલતભરી ચલાવીને મધ્યમવર્ગી પરિવારના બાઈકસવાર શિવમ દવે અને રાહુલ પટેલનાં મોત નિપજાવ્યાં. આ બીએમડબ્લ્યુ હિટ ઍન્ડ રન કેસમાં વિસ્મય શાહે પાંચ વર્ષ જેલની સજા ભોગવી. એના પિતા સામે આર્થિક ગુનો નોંધાયેલો.
આ પછીથી આજ લગી અમદાવાદ સહિત ગુજરાતભરમાં ઘણા અકસ્માત થયા, એમાં અનેક નિર્દોષ લોકો મોતને ભેટ્યા. જો કે વગદાર બાપના બેટા વિસ્મય શાહે સર્જેલા અકસ્માતથી ચડે એવો ગંભીર અકસ્માત ગયા પખવાડિયે થયો. ૧૯ જુલાઈ, બુધવારે રાત્રે એકાદ વાગે અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર વીસેક વર્ષના તથ્ય પ્રજ્ઞેશ પટેલે જેગુઆર કાર ઓવરસ્પીડમાં હંકારીને બ્રિજ પર ઊભેલા વીસેક લોકોને હવામાં ફંગોળ્યા. એમાં બે પોલીસ સહિત નવનાં મોત થયાં તો અમુકને ઈજા થઈ.
કમનસીબી ગણો તો આ અકસ્માત પહેલાં આ બ્રિજ પર હાર્દિક ઠાકોર નામના સગીર યુવકે એની કાર એક ડમ્પર સાથે ટકરાવેલી એટલે ત્યાં પોલીસજવાનો અને અમુક લોકો મદદ કરવા ઊભા હતા. એવામાં બે યુવતીઓ સહિત પાંચ મિત્રને જેગુઆર કારમાં બેસાડીને હાઈ વૉલ્યૂમ મ્યુઝિક વગાડતાં વગાડતાં મસ્તીભર્યા મૂડમાં કર્ણાવતી ક્લબના રસ્તેથી ઈસ્કોન બ્રિજ પર રમરમાટ નીકળેલા તથ્ય પટેલને બ્રિજ પર અકસ્માતગ્રસ્ત વાહન કે ટોળું દેખાયું નહીં અથવા કાર પર એનો કાબૂ ન રહ્યો એમાં કાર ટોળા પર ચઢવાથી નવનાં મોત થયાં. અમદાવાદમાં કાર અકસ્માતમાં આટલાં (નવ) મૃત્યુ થયાનો દાયકાનો આ પહેલો કેસ.
એક એક્સિડન્ટમાં ભોગ બનેલા લોકોને મદદ કરી રહેલા નવ રાહદારીઓ પોતે જ કંપારી છૂટી જાય એ રીતે બીજા અકસ્માતમાં મૃત્યુ પામ્યા.
Denne historien er fra August 07, 2023-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra August 07, 2023-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?
જાણકારો કહે છે કે ભારત તથા આફ્રિકન રાષ્ટ્રોને વિકાસની દૃષ્ટિએ પોતાના સમોવડિયા બનતાં રોકવા માટે વિકસિત દેશોનું પાછલાં ૧૦૦ વર્ષનું સૌથી મોટું સૅમ એટલે ક્લાઈમેટ ચેન્જ.
ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ
રાજ્યમાં જૂની વર્ક્સ મિલકતોની તકરાર અને નવી વક્ત મિલકત માટે દાવા અચાનક વધ્યા છે. અલ્લાહને સમર્પિત મિલકત માટે નૈતિક અને કાનૂની આચરણ સામે હવે સવાલ કેમ ઊભા થાય છે?
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.