૨વિની ઉંમર ૪૦ વર્ષની છે. એ મલ્ટિનૅશનલ કંપનીમાં સારા પગારે કામ કરે છે. એણે અત્યારથી જ પોતાનું વસિયતનામું બનાવી રાખ્યું છે. મેઘના હજી હમણાં ૩૭ની થઈ. એ પણ પોતાનું વિલ તૈયાર કરી રહી છે તો ૪૫ વર્ષના રોહિતે એ માટે પોતાના ફાઈનાન્સિયલ પ્લાનરની સલાહ લેવા માંડી છે.
બીજી બાજુ,બિઝનેસમૅન મહેશભાઈ ૬૫ના થયા છે, પણ એમણે હજી વસિયતનામું બનાવવાનો વિચાર કર્યો નથી. હિનાબહેન બે વરસ પહેલાં બૅન્કની નોકરીમાંથી નિવૃત્ત થયાં છે. એમની પાસે સારીએવી બચત-મિલકત છે, પરંતુ એમને અત્યારે વિલ બનાવવાની જરૂર લાગતી નથી. આમ જૂની પેઢી ઉંમરના ઢળતા પડાવ પર હોવા છતાં વિલ બનાવવા ઉત્સુક નથી કે વિચારતી નથી, જ્યારે હજી ૩૫થી ૪૫ વર્ષની વચ્ચેની વિલનો વિચાર જ નહીં, એ બનાવવાનો અમલ પણ કરવા લાગી છે. અલબત્ત, એ ચાહે ત્યારે વિલમાં ફેરફાર કરી શકે છે, પણ એણે એક વિલ તો બનાવ્યું જ છે. આજની પેઢી માને છે કે જીવનમાં ફાઈનાન્સિયલ પ્લાનિંગ સાથે વિલ બનાવી રાખવું પણ આવશ્યક છે. ૨૦૨૦-૨૦૨૧ના કોવિડના કપરા કાળે યુવાપેઢીમાં બચત-રોકાણ સાથે વિલનાં મહત્ત્વનાં બીજ રોપી દીધાં હતાં, જે હવે ધીમે ધીમે નવી જનરેશનમાં ટ્રેન્ડ બનતો જાય છે. કમનસીબે, જૂની પેઢી હજી પણ આ બાબતે હોવી જોઈએ એટલી જાગ્રત થઈ નથી.
વિલ બનાવવાનું મહત્ત્વ
કોવિડ કાળમાં અનેક લોકોનાં અણધાર્યાં મોત જોયા બાદ અને હવેના સમયમાં તબીબી વિજ્ઞાનના વિકાસ વચ્ચે પણ યુવાવયમાં હાર્ટ અટેક, બ્રેન સ્ટ્રોક, ડાયાબિટીસ, કૅન્સરના વધતા કિસ્સા, વગેરેએ યુવાપેઢીને વિલ બનાવવાની નક્કર શીખ આપી છે. ઊંચા પગાર સાથે કામ કરતા યુવા અધિકારીઓ અને વિવિધ વ્યવસાયમાં સફળ કારકિર્દી ધરાવતા યુવાનોમાં પોતાના પરિવારનાંહિતમાં વિલ બનાવી રાખવાનું મહત્ત્વ વધતું રહ્યું છે. આ લોકો જીવનની વાસ્તવિકતા અને અનિશ્ચિતતાનો સ્વીકાર કરતાં થઈ ગયા છે. પોતાના આકસ્મિક મૃત્યુ બાદ પરિવારજનો-સ્વજનોને મિલકત મેળવવામાં મુશ્કેલી ન પડે અને આ કામ સરળતાથી પાર પડે એ ઉદ્દેશ સાથે આજની યુવાપેઢી જીવનના મધ્ય પડાવમાં જ વિલ બનાવી લેવાનું મુનાસિબ માનવા લાગી છે.
Denne historien er fra January 29, 2024-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra January 29, 2024-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?
જાણકારો કહે છે કે ભારત તથા આફ્રિકન રાષ્ટ્રોને વિકાસની દૃષ્ટિએ પોતાના સમોવડિયા બનતાં રોકવા માટે વિકસિત દેશોનું પાછલાં ૧૦૦ વર્ષનું સૌથી મોટું સૅમ એટલે ક્લાઈમેટ ચેન્જ.
ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ
રાજ્યમાં જૂની વર્ક્સ મિલકતોની તકરાર અને નવી વક્ત મિલકત માટે દાવા અચાનક વધ્યા છે. અલ્લાહને સમર્પિત મિલકત માટે નૈતિક અને કાનૂની આચરણ સામે હવે સવાલ કેમ ઊભા થાય છે?
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.