સૌરાષ્ટ્રને પાણીના મુદ્દે આત્મનિર્ભર બનાવવા અનોખું મિશન...
Chitralekha Gujarati|February 12, 2024
પાણીની કિંમત શું છે એ વાત વારંવાર દુષ્કાળનો ભોગ બનતા સૌરાષ્ટ્રવાસીઓને સમજાવવી પડે એમ નથી. એક સમયે પાણીના એક બેડા માટે મહિલાઓ દૂર દૂર સુધી ભટકતી હતી. એટલું જ નહીં, અમદાવાદથી ટ્રેન દ્વારા સૌરાષ્ટ્રને પીવાનું પાણી પૂરું પાડવામાં આવતું હતું. જો કે હવે સૌરાષ્ટ્ર પાણીની બાબતમાં આત્મનિર્ભર બનવા તરફ કદમ માંડી રહ્યું છે. તૂટેલા ચેકડેમનું રિનોવેશન અને નવાં તળાવ ઊભાં કરવાનું કામ અત્યારે અહીં એક મિશનના રૂપમાં થઈ રહ્યું છે. આવો, જાણીએ જળસંગ્રહની આ ઝુંબેશ વિશે.
દેવેન્દ્ર જાની (રાજકોટ)
સૌરાષ્ટ્રને પાણીના મુદ્દે આત્મનિર્ભર બનાવવા અનોખું મિશન...

સૌ રાષ્ટ્રમાં જળસંકટ એ વર્ષોથી ચૂંટણીપ્રચારનો મુદ્દો બને છે. સરકાર કે લોકલ ઑથોરિટીમાં સત્તા ગમે તે પક્ષની હોય, પાણીના મુદ્દે શાસકો હંમેશાં ઘેરાતાં આવ્યા છે, પણ હવે સમય બદલાઈ રહ્યો છે. પાણીની અછતના મામલે થતાં વિરોધ પ્રદર્શનો હવે ભૂતકાળ બની રહ્યાં છે. જો કે એનો મતલબ એવો નથી કે સૌરાષ્ટ્ર પાણીની બાબતમાં સમૃદ્ધ થઈ ગયું છે, પરંતુ અનેક સ્તરે પાણી બચાવો અને જળસંગ્રહનાં થઈ રહેલાં કામોનાં સારાં પરિણામ હવે સામે આવી રહ્યાં છે અને એને કારણે પાણીની કટોકટી હળવી જરૂર બની છે, એનો કોઈ ઈનકાર કરી શકે એમ નથી.

સરકાર અને સંસ્થાકીય સહયોાથી નવપલ્લવિત થયેલા જળસ્રોત.

સૌરાષ્ટ્રની ભૌગોલિક સ્થિતિ વિશે જોઈએ તો ઊંધી રકાબી જેવો ઢોળાવવાળો આ પ્રદેશ હોવાથી વરસાદનું ૭૦થી ૮૦ ટકા પાણી દરિયામાં વહી જાય છે.ગુજરાતની ભૂપૃષ્ઠ જળરાશિને મુખ્ય ત્રણ ભાગોમાં વહેંચવામાં આવી છે .જળસંપત્તિ વિભાગના એક અહેવાલ મુજબ ગુજરાતનો હિસ્સો ૮૯ ટકા, સૌરાષ્ટ્રનો હિસ્સો નવ ટકા અને કચ્છનો હિસ્સો માત્ર બે ટકા છે, જ્યારે એની સામે સૌરાષ્ટ્રનો ભૌગોલિક રીતે રાજ્યમાં ૩૧ ટકા અને કચ્છનો ૨૪ ટકા ભાગ છે. સૌરાષ્ટ્રને જે જળરાશિ મળે છે એમાંથી ૮૦ ટકા પાણીનો ઉપયોગ ખેતી–સિંચાઈ માટે થાય છે.

દક્ષિણ અને મધ્ય ગુજરાતની દષ્ટિએ સૌરાષ્ટ્ર પહેલેથી જ જળસંકટનો સામનો કરતું આવ્યું છે. દાયકાઓ પહેલાં સરકારી સ્તરે સૌરાષ્ટ્રનું આ સંકટ હળવું કરવા અનેક સંશોધન અને અભ્યાસ કરવામાં આવ્યા બાદ નર્મદા અને મહીનું પાણી સૌરાષ્ટ્રનાં ગામોમાં પહોંચાડવા યોજના બની, પરંતુ દરિયામાં વહી જતું પાણી અટકાવવા અને જળસંગ્રહનું કામ વ્યાપક રીતે કરવામાં આવે તો સૌરાષ્ટ્રની કાયાપલટ કરી શકાય એવો અભિપ્રાય અનેક તજ્જ્ઞોએ આપ્યા પછી આ દિશામાં કામ શરૂ કરવામાં આવ્યું.

Denne historien er fra February 12, 2024-utgaven av Chitralekha Gujarati.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

Denne historien er fra February 12, 2024-utgaven av Chitralekha Gujarati.

Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.

FLERE HISTORIER FRA CHITRALEKHA GUJARATISe alt
સંઘર્ષ અને સફળતા સુધીની સ્વાદિષ્ટ સફર
Chitralekha Gujarati

સંઘર્ષ અને સફળતા સુધીની સ્વાદિષ્ટ સફર

એક સમય હતો જ્યારે એ પોતાના પરિવાર માટે જ રસોઈ બનાવતાં. બાળકોને શું ભાવે છે, પતિને શું ગમશે એ પ્રમાણે જ રસોડામાં એમનું કામ શરૂ થાય. જો કે જીવનના સાડા સાત દાયકા પછી, કોવિડ સમયે એમણે અથાણાં, નાસ્તા અને ગુજરાતી થાળીના ઑર્ડર લેવાનું શરૂ કર્યું અને પછી તો ટીવી શો ‘માસ્ટર શેફ’માં ભાગ લઈ એ બધાનાં લાડીલાં બની ગયાં.

time-read
5 mins  |
February 24, 2025
આ... અબ તો લૌટ ચલેં!
Chitralekha Gujarati

આ... અબ તો લૌટ ચલેં!

ડોનાલ્ડ ટ્રમ્પના કડક વલણ છતાં આજે પણ એવા લોકો છે, જેમને ગેરકાયદે અમેરિકા જવું છે. આ લોકોને એમ છે કે અમેરિકામાં દૂધની નદીઓ વહે છે અને ડૉલર ઝાડ પર ઊગે છે. અમેરિકા જતાંવેંત સુખ-સમૃદ્ધિ મળી જશે એવું ધારતા, અમેરિકન ડ્રીમ સાકાર કરવા લાખો-કરોડો રૂપિયા તથા જીવ જોખમમાં મૂકનારા આવા શેખચલ્લીઓ ક્યારે ચેતશે?

time-read
5 mins  |
February 24, 2025
ગેરરીતિ સામેની લડતે ગાદી અપાવી... ગેરરીતિને લીધે ગાદી ગઈ
Chitralekha Gujarati

ગેરરીતિ સામેની લડતે ગાદી અપાવી... ગેરરીતિને લીધે ગાદી ગઈ

ભ્રષ્ટાચાર સામેના જન આંદોલનના આગેવાન તરીકે રાજકારણમાં પ્રવેશેલા અરવિંદ કેજરીવાલ પછી તો પોતે જ એના કળણમાં ખૂંપતાં ગયા અને ચાદર કરતાં પગ લાંબા કરવાની લાયમાં દિલ્હી ગુમાવી બેઠા.

time-read
3 mins  |
February 24, 2025
મનશુદ્ધિ વગરની આપણી તનશુદ્ધિ
Chitralekha Gujarati

મનશુદ્ધિ વગરની આપણી તનશુદ્ધિ

ગાંધીજી પાપ-પુણ્યની વાત ધર્મના અર્થમાં નહીં, પરંતુ નૈતિકતાના અર્થમાં કરતા હતા. એમના મતે મનની અશુદ્ધિ માટે સાત પાપ જવાબદાર હતાંઃ સિદ્ધાંત વગરની રાજનીતિ, શ્રમ વગરનું ધન, વિવેક વગરનું સુખ, ચરિત્ર વગરનું જ્ઞાન, નીતિ વગરનો વેપાર, માનવતા વગરનું વિજ્ઞાન અને ત્યાગ વગરની પૂજા.

time-read
5 mins  |
February 24, 2025
નો માર્કેટિંગ
Chitralekha Gujarati

નો માર્કેટિંગ

… તેમનો આભાર માનીને બહાર નીકળ્યાં, પણ ‘હવે તો બોર્ડ પણ બહાર નથી' એ તેમના વાક્ય ફરતે હજુ મન ઘૂમરાતું હતું. ‘આપણી સેલ્સ ઓફિસને બોર્ડ નહીં હોય અથવા બોર્ડ નહીં લગાવવું' એવું આપણે નક્કી કર્યું તો ?...

time-read
5 mins  |
February 24, 2025
મજા હારમાં છે, ગજબ ગેમ છે...
Chitralekha Gujarati

મજા હારમાં છે, ગજબ ગેમ છે...

જો બન્નેનાં હૈયે લગન સેમ છે હૃદય ખોલી કહી દે, ‘મને પ્રેમ છે’ હવા, વાદળો, મ્હેક કે ચાંદની મિલન બાદ ક્યાં કંઈ હતું તેમ છે.

time-read
2 mins  |
February 24, 2025
જસ્ટ, એક મિનિટ..
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ..

વાસ્તવિકતાનો જલદીથી સ્વીકાર કરીને એવી બાબતોને પડતી મૂકીને નવી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું વધારે ડહાપણભર્યું હોય છે.

time-read
1 min  |
February 24, 2025
ભાંગી મારી જન્મોજનમની ખામી
Chitralekha Gujarati

ભાંગી મારી જન્મોજનમની ખામી

ખૂબી વધારે છે કે ખામી એ ગણતરી ક્યાં કરી? જેવો હતો એવો મેં એને દિલથી અપનાવ્યો હતો.

time-read
2 mins  |
February 17, 2025
જસ્ટ, એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

કઈ તરફનો ઝુકાવ રાખવો એ જે-તે માણસના હાથની વાત છે.

time-read
1 min  |
February 17, 2025
સફળતાની ઠોકર વાગે ત્યારે!
Chitralekha Gujarati

સફળતાની ઠોકર વાગે ત્યારે!

તમે પહેલી વાર કાર ચલાવી હશે ત્યારે તમને યાદ હશે કે તમે અત્યંત સાવચેતીપૂર્વક ડ્રાઈવિંગ કર્યું હશે, પરંતુ જેમ જેમ કારની ગતિ વધી હશે એમ તમારો આત્મવિશ્વાસ પણ વધ્યો હશે. એ જ ગતિ અતિ આત્મવિશ્વાસ તરફ લઈ જાય છે. અકસ્માતની સંભાવના એ જ વખતે સૌથી વધુ હોય છે જ્યારે અતિ આત્મવિશ્વાસ હોય.

time-read
5 mins  |
February 10, 2025