૧00 વર્ષની વયે પહોંચેલા વયોવૃદ્ધ માણસ શું પ્રવૃત્તિ કરતા હોય? એવા ૯૯ ટકા વૃદ્ધો તો પથારીવશ જ હોય અને પોતાની રોજિંદી દિનચર્યા પણ માંડ કરી શકતા હોય. જો કે ૧૦૧મા વર્ષમાં પ્રવેશ કરનારા સુખદેવજી લાલાની વાત કંઈક અલગ જ છે. ૯૮ વર્ષ સુધી સંશોધન ક્ષેત્રે સતત પ્રવૃત્ત રહેલા અને અત્યારેય વાંચન અને જ્ઞાન અર્જુન સાથે કાર્યરત એવા આ રસાયણવિજ્ઞાની હજી પણ કશુંક નવું જાણવા, કશુંક નવું આપવા તત્પર છે.
પદ્મભૂષણ એવૉર્ડથી સમ્માનિત વિજ્ઞાની ડૉ. સુખદેવ લાલાએ રસાયણશાસ્ત્ર ક્ષેત્રે એક લાંબી સફર પૂરી કરી છે. ઑર્ગેનિક કેમિસ્ટ્રીના ભીષ્મ પિતા તરીકે જેમને બિરદાવવામાં આવે છે એ ડૉ. સુખદેવે પોતાની કારકિર્દીમાં અનેક અદ્વિતીય સોપાન સર કર્યા છે. ભારત સરકારે ૨૦૦૮માં એમને પદ્મભૂષણથી સમ્માનિત કર્યા છે. એ ઉપરાંત, શાંતિ સ્વરૂપ ભટનાગર એવૉર્ડ, સુદબ્રોહ ચંદ્રક, પીસી રૉય એવૉર્ડ, વિશ્વકર્માં મેડલ, અમેરિકન કેમિકલ સોસાયટીનો અર્નેસ્ટ ગન્થર એવૉર્ડ, વૈશ્વિક ઔદ્યોગિક એવૉર્ડ સહિતનાં અનેક સમ્માન એમના નામે બોલે છે.
આટલાં સમ્માન છતાં નિરાભિમાની, મિતભાષી સુખદેવ લાલા ચિત્રલેખાને કહે છેઃ ‘નૅચરલ પ્રોડક્ટ તથા ઑર્ગેનિક કેમિસ્ટ્રી માટે જે કરી શક્યો એનો આનંદ છે, પરંતુ હજી તો ખૂબ બધું કરવાનું બાકી છે. મારી વય થઈ, પરંતુ મારા વિદ્યાર્થીઓ અને આ ક્ષેત્રમાં કામ કરતા વિજ્ઞાનીઓએ જ્ઞાનયાત્રા ચાલુ રાખી છે એનો આનંદ વધુ છે.’
એમનો આશાવાદ સાચો છે, કારણ કે તથ્યો અને સંશોધનાત્મક આંકડા સાથે લાલાજીએ લખેલાં ૧૦ પુસ્તકો અને આંતરરાષ્ટ્રીય સ્તરે રજૂ થયેલાં ૨૯૦થી વધુ રિસર્ચ પેપર્સ આ ક્ષેત્રના વિદ્યાર્થીઓને ઉપયોગી થઈ રહ્યાં છે. માત્ર ભારત જ નહીં, પરંતુ વિદેશનાં વિશ્વવિદ્યાલયોમાં પણ એમનાં સંશોધનોની નોંધ લેવાતી રહે છે.
Denne historien er fra July 08, 2024-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent ? Logg på
Denne historien er fra July 08, 2024-utgaven av Chitralekha Gujarati.
Start din 7-dagers gratis prøveperiode på Magzter GOLD for å få tilgang til tusenvis av utvalgte premiumhistorier og 9000+ magasiner og aviser.
Allerede abonnent? Logg på
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.
આવા કિસ્સામાં પણ આવા ભેદભાવ કેમ?
આપણી સહાનુભૂતિ અને આપણા પ્રત્યાઘાત વર્ગ, વર્ણ અને વાડાબંધીથી પર હોવાં જોઈએ.
યુરિનરી ઈનકન્ટિનન્સઃ શરમથી સમસ્યા નહીં ઉકેલે
અનિયંત્રિત પેશાબની વ્યાધિ પાછળ વધતી ઉંમર સિવાય અન્ય કારણ પણ હોઈ શકે.