ફોટોગ્રાફી એ આંખ, મગજ અને હૃદયનું કામ છે. સાધન મહત્ત્વનું છે, પણ તેનું સ્થાન ગૌણ છે. શ્રેષ્ઠ સાધન હોય, પણ નકામું ચિત્ર મળે અને જરીપુરાણા સાધન વડે પણ તમે મગજની એકાગ્રતા અને હૃદયના રસથી સામાન્ય વિષયને તમે સૌંદર્યાકૃતિ બનાવી શકો.’ - આ શબ્દો પ્રસિદ્ધ તસવીરકાર સ્વ. પ્રાણલાલ પટેલના છે. પ્રાણલાલ પટેલને ફોટોગ્રાફર નહીં, પણ ફોટોગ્રાફીનો સમસ્ત યુગ કહી શકાય. પોતાના ૧૦૫ વર્ષના દીર્ઘ જીવનકાળમાંથી ૮૫ વર્ષ છબીકલાને અર્પણ કરનાર આ વિભૂતિ ઘણા જાણીતા ફોટોગ્રાફર્સનો આદર્શ રહ્યા છે.
ભારતમાં ફોટોગ્રાફીનું આગમન આજથી ૧૬૯ વર્ષ પહેલાં એટલે કે ઈ.સ. ૧૮૫૫માં થયું અને પ્રાણલાલ પટેલે ઈ.સ. ૧૯૩૨માં ફોટોગ્રાફીના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. તેથી કહી શકાય કે તેમની તસવીરોનું કલાકીય મહત્ત્વ ઉપરાંત ઐતિહાસિક મહત્ત્વ પણ છે.
વર્ષ ૧૯૧૦માં ગુજરાતના જામનગર જિલ્લાના કેશિયા ગામમાં તેમનો જન્મ થયો હતો. પાંચ વર્ષની ઉંમરે માતાનું અવસાન થતાં તેઓ તેમના મામા સાથે અમદાવાદ આવી ગયા. મોસાળમાં તેમનો ઉછેર અને અભ્યાસ થયો. તેઓ જીવનપર્યંત અમદાવાદમાં જ રહ્યા. બાળપણમાં તેમણે દુકાનોમાં પાણી ભરવા, છાપાં વહેંચવા જેવા અનેક કામ કર્યા. નાના-મોટા કામકાજથી આવક ઊભી કરીને તેમણે વર્નાક્યુલરની પરીક્ષા પાસ કરીને શિક્ષક તરીકે જોડાયા. આ રસમાં જ તેમની કલા રુચિ સંગીત તરફ ઢળી. આ દરમિયાન જ પ્રખ્યાત ચિત્રકાર રવિશંકર રાવળની ચિત્રશાળામાં જોડાયા. લાઇફ સ્કેચ, સ્ટીલ લાઇફ, નેચર ડ્રોઇંગ વગેરે ખૂબ રસપૂર્વક શીખ્યા. તેમનાં ચિત્રો જોઈને લાગે કે જો તેમણે ફોટોગ્રાફી અપનાવી ન હોય તો જરૂર એક સારા ચિત્રકાર બની શક્યા હોત, પરંતુ નિયતિએ કોઈ અલગ જ રાહ નક્કી કરી હશે કે તેમનો પરિચય બળવંત ભટ્ટ અને બચુભાઈ રાવત સાથે થયો. તેમના સહવાસ અને માર્ગદર્શનથી પ્રાણલાલ પટેલ માટે ફોટોગ્રાફીનું એક અનોખું ફલક ખૂલી ગયું. એ પછી તેમણે ક્યારેય પાછું વળીને જોયું નથી. બંધનરૂપ બનતી નોકરીને તેમણે તિલાંજલિ આપી દીધી અને ફોટોગ્રાફી કરવા માટે કાશ્મીરના પ્રવાસે નીકળી ગયા.
શરૂઆતના તબક્કામાં તેમણે કોમર્શિયલ, પૉર્ટ્રેઇટ્સ, આઉટડોર અને પ્રેસ ફોટોગ્રાફી કરી. આર્થિક રીતે મજબૂત થતાં તેમણે પિક્ટોરિયલ ફોટોગ્રાફી પર હાથ અજમાવ્યો.જેમાં તેમને અપૂર્વ પ્રશસ્તિ મળી.
This story is from the Abhiyaan Magazine 18/05/2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the Abhiyaan Magazine 18/05/2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ગ્રીનકાર્ડ મેળવવાનો એક વધુ રસ્તો
ઇમિજેટ રિલેટિવ કેટેગરી હેઠળ પુખ્ત વયનાં અમેરિકન સિટીઝન સંતાનો એમનાં માતા-પિતા માટે અને અમેરિકન સિટીઝનો એમની પત્ની યા પતિ માટે ગ્રીનકાર્ડ મેળવી શકે છે
બિજ-થિંગ.
‘કુમાર’ની સો વર્ષની કલા-સંપદા
લાફ્ટર વાઇરસ
...અને શાસ્ત્રીય સંગીતને અમે ભારે પડ્યા..!
કચ્છમાં મળી નવી વનસ્પતિ
જૈવવિવિધતા ધરાવતું કચ્છ સંશોધકો માટે વિપુલ તકો પૂરી પાડે છે. તાજેતરમાં જ વનસ્પતિશાસ્ત્રના અધ્યાપકોએ લખપત તાલુકામાંથી વનસ્પતિની તદ્દન નવી જ, વિશ્વમાં ક્યાંય નોંધાઈ ન હોય અને જેનું અસ્તિત્વ જોખમમાં છે, તેવી વનસ્પતિ શોધી કાઢી છે. આ વનસ્પતિ પથરાળ જમીન અને સૂકા વિસ્તારમાં ઊગે છે. તે આ વિસ્તારની ઇકોલૉજી માટે ખૂબ મહત્ત્વની છે. પશુઓ તેને ખાતા નથી, પરંતુ તે મધમાખી સહિતના અન્ય જીવજંતુઓ માટે તે આધારરૂપ છે. તેના સંવર્ધન માટે પ્રયત્ન થવો જોઈએ. આ વનસ્પતિના ઔષધીય ઉપયોગ માટે સંશોધન થવું જોઈએ.
વિવાદ
ચાઇનીઝ લસણ સામે સૌરાષ્ટ્રના ખેડૂતોના વિરોધનું કારણ શું?
ભેજનું પ્રમાણ વધવાથી કફ, શ્વાસ, દમનો હુમલો આવે છે
કફ વિકૃતિનું મુખ્ય કારણ બને છે. તેથી જમ્યા પછી પાણી પણ પીવાની મનાઈ છે, જે કફકારક છે. જમ્યા પહેલાં પાણી પીએ તો પથ્થરસમાન છે, જમ્યા પછી પીએ તો ઝેરસમાન છે અને જમતી વખતે પીએ તો અમૃતસમાન છે
હેલ્થ સ્પેશિયલ
નાની ઉમરના લોકોમાં કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે
સ્વાસ્થ્ય પ્રત્યેની બેદરકારીનું પરિણામ એટલે મેટાબોલિક સિન્ડ્રોમ
*આપણે જે ભોજન આરોગીએ છીએ તેમાં રહેલાં પોષક તત્ત્વોને ઊર્જામાં બદલવાનું કામ મેટાબૉલિઝમ કરે છે. *મેટાબૉલિક સિન્ડ્રોમ વ્યક્તિની કુટેવો, સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી, મેદસ્વિતા, શારીરિક શ્રમનો અભાવ, વ્યાયામ ન કરવાનો સ્વભાવ અને વધુ પડતા તાણવાળા સ્વભાવને કારણે થાય છે.
હેલ્થ સ્પેશિયલ વિનોદ પંડ્યા
આજના યુગના હાર્ટના કેટલાક હૃદયગમ્ય ઉપચારો
શુભ-અશુભ, ગુડ લક, બેડ લક - માન્યતાઓની દુનિયા
*દુનિયાના દરેક ખૂણામાં લોકો વિવિધ પ્રકારની માન્યતાઓ ધરાવે છે. *અમેરિકન સ્ટડીઝમાં ડૉક્ટરેટ ધરાવતા કોરીએ અમેરિકન સૈનિક, નાવિક, વિમાન ચાલક વગેરેમાં પ્રવર્તતી માન્યતાઓનો અભ્યાસ કરેલો છે, તેની વાત કરવી હોય તો પુસ્તકો લખાય. *અમેરિકાની અવકાશ સંસ્થા નાસામાં પણ અનેક માન્યતાઓ પ્રવર્તે છે.