‘ગુજરાતની બેટી ને સોનાની પેટી’ જેવી કહેવત જે પ્રદેશ માટે હોય ત્યાંના મનુષ્ય અસામાન્ય રહ્યા હશે એવું ધારી શકાય. વેપારી તરીકે વિખ્યાત ગુજરાતીઓ સમંદર પાર ના જવાના સામાજિક વા ધાર્મિક ફરમાન બાજુમાં મૂકીને વિદેશમાં પ્રવાસ કરતાં હતા અને સાથે પોતાની દેશી સંસ્કૃતિનું જતન કરતાં હતા. પારસીઓ આશરે આઠમી સદીમાં આવ્યા ત્યારે સંજાણ બંદર હતું. છતાં સાગર સાથે સક્ષમ નાતો ધરાવતા ગોરાઓ ગોલ્ડન બર્ડ ઇન્ડિયા પહોંચવાનો દરિયાઈ માર્ગ શોધી શકતા ન હતા. ૧૪૯૭માં વાસ્કો દ ગામાને કાનજી માડમ આંગળી પકડાવી રસ્તો બતાવે છે. પાલઘરની વૈતરણા નદી પરથી જેનું નામ પડેલું એ જે. શેફર્ડ અને કુાં, મુંબઈની માલિકીનું જહાજ વૈતરણા ઉર્ફે હાજી કાસમની વીજળી ૧૮૮૮ની આઠમી ડિસેમ્બરે ડૂબ્યું. આજે આખા વિશ્વમાં ગુજરાતીઓ ફેલાયેલા છે. ગુજરાતનો સમુદ્ર અખાત કહેવાય છે. જે ખોદ્યા વગર બન્યો હોય તે ખાડો. મંદિર પાસેના પ્રાકૃ તિક તળાવને પણ અખાત કહેતા. સવાલ એ છે કે, ભૂલોક પરના સાત સમંદર નહીં, પણ ભવસાગર તરી જનારા એક ગુજરાતીને અખો કેમ કહેતાં?
અણીશુદ્ધ ચોખાને કચ્છીમાં અખા કહે. અક્ષત. વૈશાખ સુદ ત્રીજ એટલે અક્ષયતૃતીયાને ગુજરાતીઓ અખાત્રીજ કહે છે. ગામડામાં ઘણાં અષાઢને અખાડ કહે. આયખું અને અખંડ શબ્દ યાદ આવે. આખું કે આખો, આખી. ભાષાશાસ્ત્રીઓ કહે છે, અક્ષવાટ પરથી અખાડો શબ્દ આવ્યો. અક્ષય વટ જાણીતો શબ્દ છે. સંસ્કૃતથી ગુજરાતી સુધી આવેલા શબ્દો મોટે ભાગે પ્રાકૃત ભાષામાં થઈને આવેલા. દસાડાના સંતકવિ અખૈયો અથવા અખઈદાસનું નામ મળતું આવે છે. ઘણાં અખો અર્થાત્ આવક કે ઉત્પન્ન કહે છે, તો કોઈક ઝીણો કચરો. કહે છે કે, પારસીમાં શરીરમાંની એ નામની એક દિવ્ય શક્તિ હોય છે જે નેક કામ કરવાની અંતઃકરણને ચેતવણી આપતી હોવાનું મનાય છે. વિવેક? અખો નામ કેવી રીતે પડ્યું એ જાણી શકાતું નથી. અક્ષત, અક્ષય અને અખંડ સિવાય શક્યતા એવી છે કે ઈશ્વરીય ચૈતન્યના સાક્ષાત્કારમાં આગળ વધેલા જીવને સમજાઈ ગયું હોય કે સુખ અને દુઃખમાં જે ખ છે તે આકાશ મહાભૂતની ઉપર વિહરવું એ જ ખરી અવસ્થા, એ રીતે એમણે જે કોઈ ખમાં નથી તે અખ, એમ નામ પસંદ કર્યું હોય તેવું બને. આ વિચારવાનું કારણ શું? અખા પાસેથી શીખવાની શરૂઆત તેના નામ પરથી કરવી જોઈએ. આજે તો ગુજરાતીઓએ અખાને એક કવિ બનાવીને ફિક્સ ચોકઠાંમાં ફિટ કરી દીધો છે, બાકી એક કાળે લોકો અખામંડળીઓ બનાવી અખાના કાવ્યમાં મસ્તરામ બનવા કોશિશ કરતાં.
This story is from the Abhiyaan Magazine 27/07/2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the Abhiyaan Magazine 27/07/2024 edition of ABHIYAAN.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ
યુએસએ વિઝા વિન્ડો (૪)
હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’
ફિલ્મોના દરેક વિષયો પર ઝીણવટપૂર્વક સંશોધન કરી અત્યંત વિશ્વસનીય અને કડાકૂટવાળું કામ કરનાર હરીશ રઘુવંશી પાસે જે માહિતી હતી, એવી માહિતી નેશનલ આર્ચિવ ઑફ ઇન્ડિયા પાસે પણ નથી.
ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,
આહારવિજ્ઞાન સાથે જોડાયેલું પ્રોફેશન - ડાયેટિશિયન
નાયકોના નાયક એવા વિનાયક ભારતીય સમાજવ્યવસ્થાનું પ્રાચીન પ્રતીક છે
ગણેશજીની જે દેહાકૃતિ છે, એમનું જે ડિવાઇનફોર્મ છે, એ આપણા લોકસમુદાયને એટલું હૃદયસ્થ છે કે ગણેશજીના સ્વરૂપને લઈને જેટલી કલાત્મકતા થાય છે, એટલી કલાત્મકતા કદાચ બીજી કોઈ ભારતીય આકૃતિને લઈને નથી થતી.
ચાલો, ફરી શેરીઓમાં રમીએ
આજે બાળકો મોબાઇલમાં ગૂંથાયેલાં જોવા મળે છે. મોબાઇલ ગેમ પાછળ બાળકો, કિશોરો પોતાનો સમય વ્યતીત કરીને આરોગ્યને પણ હાનિ પહોંચાડે છે. મોબાઇલ અને ટીવીના યુગની પહેલાંનાં બાળકો મેદાની રમતો ખૂબ રમતાં, અત્યારે જાણે દેશી શેરી રમતો તદ્દન ભુલાઈ ગઈ છે. જે રમતોથી શારીરિકની સાથે-સાથે માનસિક શક્તિનો પણ વિકાસ થતો હતો, તેને પુનર્જીવિત કરવાની જરૂર છે.
આ મેઘરાજાની મહેર કે કહેર?
સામાન્ય રીતે શ્રાવણ માસમાં સરવરિયો વરસાદ થતો હોય છે, એમાં પણ જો મઘા નક્ષત્ર હોય તો વરસાદના એંધાણ નહીં બરાબર હોય છે. કુદરતની આ ચાલ ચાલુ સિઝનમાં બદલાઈ ગઈ છે. સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક મેઘ મહેર નહીં, પરંતુ કહેર વરસી રહ્યો છે.
પ્રવાસન.
મોતી ડુંગરી ગણેશ મંદિર : જયપુર
સબૉટેજ : આતંકનું આસુરી અત્ર
*સબૉટેજ યાને અસંતુષ્ટો અથવા શત્રુઓ દ્વારા જાણીજોઈને કરાતી વિધ્વંસ કે ભાંગફોડની પ્રવૃત્તિ. *૧૮૯૪ની ઘટના, ૧૯૦૭ની નવલકથા ધ સિક્રેટ એજન્ટ’ અને ૧૯૩૬ની આલ્ફ્રેડ હિચકોકની ફિલ્મ ‘સબૉટેજ’. * સિસ્ટમ, સમાજ કે દેશની સુરક્ષાને સબૉટેજ કરવાનાં કાવતરાંઓ નવા સ્વરૂપના આતંકવાદ તરીકે સામે આવ્યા છે.
ડિમાન્ડ, કમ્પ્લેન, પ્રાર્થના
*માનવી પોતાના આગવા ડેટા-સ્ટોર, સ્મૃતિ પર આધાર રાખે છે. સ્મૃતિમાં જે આવ્યું હોય તે પોતાના પરસેપ્શનના ફિલ્ટરમાંથી આવ્યું હોય. *ભગવાન પર ભરોસો છે, એવું ક્યારે કહેવાય? જ્યારે કોઈ ડિમાન્ડ ના હોય, કોઈ કમ્પ્લેન ના હોય. * આપણે ગૅરંટી આપીએ છીએ કે આપણી ડિમાન્ડ કે પ્રાર્થના ફળશે, પૂર્ણ થશે, પછી આપણે કોઈ કમ્પ્લેન નહીં કરીએ?
એનાલિસિસ.
શું બળાત્કારની સમસ્યાનો ભારતમાં કોઈ જ ઉકેલ નથી?