
૨૯ ઑક્ટોબર, ૧૮૫૩ના રોજ મુંબાઈમાં ‘પારસી નાટક મંડળી’ના સ્થાપક ફ્રામજી ગુસ્તાદજી દલાલે રજૂ કરેલા પારસી-ગુજરાતી નાટક ‘રુસ્તમ સોહરાબ’ અને ભવાઈથી લઈને જૂની રંગભૂમિ, નવી રંગભૂમિ, સમાંતર રંગભૂમિ એમ જાતજાતના વેશ રંગભૂમિ પર ભજવાયા-ભજવાઈ રહ્યા છે.
ના ના, રંગભૂમિનો ઈતિહાસ આપવાનો અહીં ઈરાદો નથી. આ તો ૬૩મા ‘વર્લ્ડ થિયેટર ડે’ નિમિત્તે મુંબઈ તથા ગુજરાતનાં વિવિધ શહેરોમાં રંગમંચની શું સ્થિતિ છે એ વિંગમાંથી જોવાનો એક યત્ન છે અને અમોને જણાવતાં ખુશી થાય છે કે ગુજરાતી રંગમંચનું ભાવિ ઉજ્જવળ છે.
છેક ૧૮૨૪માં નાટ્યકાર ડાહ્યાભાઈ ધોળશાજી ઝવેરીએ પોતાના નાટક સતી પાર્વતી માટે રચેલું બહુ જાણીતું ગીતઃ નાટક તો ગુણદોષ જોવાનું, દિલડાંનું દુઃખ ખોવાનું, ઘડીક હસાવતું, રડાવતું અને બોધ બતાવતું દુનિયાનું દર્પણ રૂડું...
અબ ઘડીએ આ પંક્તિ યાદ આવવાનું કારણ છેઃ વર્લ્ડ થિયેટર ડે, જે આવતા સપ્તાહે આવી રહ્યો છે. વસ્તુ એ છે કે પેરિસસ્થિત યુનેસ્કોની ઈન્ટરનૅશનલ થિયેટર ઈન્સ્ટિટ્યૂટ ૧૯૬૧થી દર વર્ષની ૨૭ માર્ચને વર્લ્ડ થિયેટર ડે તરીકે ઊજવે છે. હેતુ છે: થિયેટ્રિકલ સ્વરૂપના મહત્ત્વને પ્રોત્સાહન મળે. થિયેટર ન કેવળ મનોરંજન આપે છે, બલકે એ કળાનું એવું સ્વરૂપ છે, જે દર્શકને શિક્ષાની સાથે પ્રેરણા આપે છે. અને હા, વિશ્વ રંગભૂમિ દિવસ્તો દર વર્ષે થીમ એક જ હોય છેઃ થિયેટર ઍન્ડ કલ્ચર ઑફ પીસ.
મુંબઈની કમર્શિયલ રંગભૂમિ મુંબઈ જ નહીં, પણ ગુજરાતના અને દેશ-વિદેશના પ્રેક્ષકોની સારાં નાટકો માટેની ભૂખ ભાંગતી રહી છે. દરેક પ્રકારનાં નાટક... કૉમેડી, થ્રિલર, સંબંધોના આટાપાટા, પેરેલલ થિયેટર, વગેરે વગેરે. કૂંડીબંધ નાટકો તૈયાર થતાં ને ભારત જ નહીં, પણ દરિયાપારના દેશોના એના પ્રવાસ, શો થતા.
આમ બધું બરાબર ચાલતું હતું ને પ્રવેશ્યો કોઈએ ક્યારેય ન ભાળ્યો એવો ખલનાયકઃ કોવિડ. આમાં ફિલ્મે પોતાનો રસ્તો કરી લીધો. થિયેટર બંધ છે? નો પ્રોબ્લેમ. મૂકી દો ઓટીટી પર. ઓવર ધ ટૉપ તરીકે ઓળખાતું ઈન્ટરનેટનું આ માધ્યમ અમુક અંશે પ્રેક્ષકોને પણ ફાવી ગયું. યુટ્યૂબ તો હતું જ.
Esta historia es de la edición April 01, 2024 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición April 01, 2024 de Chitralekha Gujarati.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar

સંઘર્ષ અને સફળતા સુધીની સ્વાદિષ્ટ સફર
એક સમય હતો જ્યારે એ પોતાના પરિવાર માટે જ રસોઈ બનાવતાં. બાળકોને શું ભાવે છે, પતિને શું ગમશે એ પ્રમાણે જ રસોડામાં એમનું કામ શરૂ થાય. જો કે જીવનના સાડા સાત દાયકા પછી, કોવિડ સમયે એમણે અથાણાં, નાસ્તા અને ગુજરાતી થાળીના ઑર્ડર લેવાનું શરૂ કર્યું અને પછી તો ટીવી શો ‘માસ્ટર શેફ’માં ભાગ લઈ એ બધાનાં લાડીલાં બની ગયાં.

આ... અબ તો લૌટ ચલેં!
ડોનાલ્ડ ટ્રમ્પના કડક વલણ છતાં આજે પણ એવા લોકો છે, જેમને ગેરકાયદે અમેરિકા જવું છે. આ લોકોને એમ છે કે અમેરિકામાં દૂધની નદીઓ વહે છે અને ડૉલર ઝાડ પર ઊગે છે. અમેરિકા જતાંવેંત સુખ-સમૃદ્ધિ મળી જશે એવું ધારતા, અમેરિકન ડ્રીમ સાકાર કરવા લાખો-કરોડો રૂપિયા તથા જીવ જોખમમાં મૂકનારા આવા શેખચલ્લીઓ ક્યારે ચેતશે?

ગેરરીતિ સામેની લડતે ગાદી અપાવી... ગેરરીતિને લીધે ગાદી ગઈ
ભ્રષ્ટાચાર સામેના જન આંદોલનના આગેવાન તરીકે રાજકારણમાં પ્રવેશેલા અરવિંદ કેજરીવાલ પછી તો પોતે જ એના કળણમાં ખૂંપતાં ગયા અને ચાદર કરતાં પગ લાંબા કરવાની લાયમાં દિલ્હી ગુમાવી બેઠા.

મનશુદ્ધિ વગરની આપણી તનશુદ્ધિ
ગાંધીજી પાપ-પુણ્યની વાત ધર્મના અર્થમાં નહીં, પરંતુ નૈતિકતાના અર્થમાં કરતા હતા. એમના મતે મનની અશુદ્ધિ માટે સાત પાપ જવાબદાર હતાંઃ સિદ્ધાંત વગરની રાજનીતિ, શ્રમ વગરનું ધન, વિવેક વગરનું સુખ, ચરિત્ર વગરનું જ્ઞાન, નીતિ વગરનો વેપાર, માનવતા વગરનું વિજ્ઞાન અને ત્યાગ વગરની પૂજા.

નો માર્કેટિંગ
… તેમનો આભાર માનીને બહાર નીકળ્યાં, પણ ‘હવે તો બોર્ડ પણ બહાર નથી' એ તેમના વાક્ય ફરતે હજુ મન ઘૂમરાતું હતું. ‘આપણી સેલ્સ ઓફિસને બોર્ડ નહીં હોય અથવા બોર્ડ નહીં લગાવવું' એવું આપણે નક્કી કર્યું તો ?...

મજા હારમાં છે, ગજબ ગેમ છે...
જો બન્નેનાં હૈયે લગન સેમ છે હૃદય ખોલી કહી દે, ‘મને પ્રેમ છે’ હવા, વાદળો, મ્હેક કે ચાંદની મિલન બાદ ક્યાં કંઈ હતું તેમ છે.

જસ્ટ, એક મિનિટ..
વાસ્તવિકતાનો જલદીથી સ્વીકાર કરીને એવી બાબતોને પડતી મૂકીને નવી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું વધારે ડહાપણભર્યું હોય છે.

ભાંગી મારી જન્મોજનમની ખામી
ખૂબી વધારે છે કે ખામી એ ગણતરી ક્યાં કરી? જેવો હતો એવો મેં એને દિલથી અપનાવ્યો હતો.

જસ્ટ, એક મિનિટ...
કઈ તરફનો ઝુકાવ રાખવો એ જે-તે માણસના હાથની વાત છે.

સફળતાની ઠોકર વાગે ત્યારે!
તમે પહેલી વાર કાર ચલાવી હશે ત્યારે તમને યાદ હશે કે તમે અત્યંત સાવચેતીપૂર્વક ડ્રાઈવિંગ કર્યું હશે, પરંતુ જેમ જેમ કારની ગતિ વધી હશે એમ તમારો આત્મવિશ્વાસ પણ વધ્યો હશે. એ જ ગતિ અતિ આત્મવિશ્વાસ તરફ લઈ જાય છે. અકસ્માતની સંભાવના એ જ વખતે સૌથી વધુ હોય છે જ્યારે અતિ આત્મવિશ્વાસ હોય.