નાસ્તિકની આસ્તિકતા વિશ્વાસ એ જ ભગવાન છે!
Chitralekha Gujarati|July 01, 2024
જીવનમાં જ્યારે આપણી આશાનો ભંગ થયો હોય ત્યારે એક નિરાશા અને નિરર્થકતા આપણને લપેટાઈ જાય છે. ધર્મ ત્યારે આપણને એક જમીન પૂરી પાડે છે અને એના પર આપણે લડખડાતી જિંદગીને સ્થિરતા બક્ષવા માટે પ્રયાસ કરીએ છીએ.
રાજ ગોસ્વામી
નાસ્તિકની આસ્તિકતા વિશ્વાસ એ જ ભગવાન છે!

હસતું જીવન...

એક નાના બાળકની માતાનું અચાનક અવસાન થયું. બાળક માટે એ એની મા, મિત્ર, શિક્ષક અને ઘણું બધું હતી. માની ગેરહાજરી બાળક માટે વજ્રાઘાત જેવી હતી. એ સૂનમૂન થઈ ગયો. પિતાએ વિચાર્યું કે થોડા દિવસમાં એ સામાન્ય થઈ જશે, પણ મહિના પછી પણ એ રોજ માને યાદ કરીને રડતો રહ્યો.

એક દિવસ પિતાએ એને કહ્યું કે તું માનો કબાટ ખોલીને એની ચીજવસ્તુઓ લઈ આવ. દીકરો કમરામાં ગયો અને કબાટ ફંફોસવા લાગ્યો. એમાં એને માની અમુક ચીજ સાથે એક પત્ર મળ્યો. માએ ભગવાનને પત્ર લખ્યો હતો. દીકરો એ પિતા પાસે લઈ આવ્યો. પિતાએ પત્ર મોટેથી વાંચ્યોઃ

હે ઈશ્વર,

મને ખબર છે કે મારો અંત નજીક આવ્યો છે. હું એના માટે તૈયાર છું. અગાઉના પત્રમાં તમે મને પૂછ્યું હતું કે મૃત્યુ પછી મારે ક્યાં રહેવું છે. બહુ વિચાર કર્યા પછી મને લાગે છે કે હું મારા દીકરાના હાસ્યમાં રહેવાનું પસંદ કરીશ. મને ખબર છે કે એ હસશે ત્યારે જ હું ત્યાં હોઈશ અને રડશે તો નહીં હોઉં, પણ ભગવાન તમે ચિંતા ના કરશો, એ કાયમ આનંદિત અને હસતો હોય છે એટલે મારું સ્થાન નિશ્ચિત જ છે.

- તમારી દીકરી

પિતાએ ચિંતાથી દીકરા તરફ જોયું. દીકરો સમજી ગયો. એણે પિતાના હાથમાંથી પત્ર લઈ લીધો અને હસતાં હસતાં કહ્યું: ‘પાપા, ચિંતા ન કરશો. હવેથી હું કાયમ હસતો રહીશ.’ પિતાના મોઢા પર હાસ્ય પથરાઈ ગયું. એમની યુક્તિ કામ કરી ગઈ હતી.

***

સ્વર્ગસ્થ અભિનેત્રી શ્રીદેવીની પુત્રી જાહ્નવી કપૂરે એકરાર કર્યો છે કે એની માતાના અકાળ અવસાન પછી એ ધાર્મિક થઈ ગઈ છે. એક ટીવીચૅનલ સાથે વાત કરતી વખતે ૨૭ વર્ષની આ અભિનેત્રીએ કહ્યું હતુંઃ

This story is from the July 01, 2024 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

This story is from the July 01, 2024 edition of Chitralekha Gujarati.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

MORE STORIES FROM CHITRALEKHA GUJARATIView All
ભારતના દિલમાં વાઘ ઉપરાંત શું શું છે જોવા જેવું?
Chitralekha Gujarati

ભારતના દિલમાં વાઘ ઉપરાંત શું શું છે જોવા જેવું?

સાતપૂડા ટાઈગર રિઝર્વ મધ્ય પ્રદેશમાં છ-છ ટાઈગર રિઝર્વ છે. જો કે એ બધાંમાં સાતપૂડાનું સ્થાન કંઈક ઔર છે. ખાસ્સો મોટો વિસ્તાર અને એમાં વન્યજીવોની ભરમાર. છોગામાં, સદીઓ અગાઉના રૉક પેન્ટિંગ્સ સાથેની અનેક ગુફા સાતપૂડાને અન્ય જંગલથી અલગ પાડે છે. વળી, એની નજીકમાં જ છે મધ્ય પ્રદેશનું કશ્મીર ગણાતું પંચમઢી હિલસ્ટેશન.

time-read
5 mins  |
October 07, 2024
નકલી ઘી એટલે ક્ષતિ કે ષડયંત્ર?
Chitralekha Gujarati

નકલી ઘી એટલે ક્ષતિ કે ષડયંત્ર?

બાલાજી મંદિર ૧૮૫૭માં ગૌમાંસની ચરબી ચોડેલા કારતૂસની અફવા પ્રસરી ત્યારે અંગ્રેજો સામે ભારતીયોએ વિપ્લવ કર્યો હતો, હવે તિરુપતિના વેંકટેશ્વરા મંદિરના લાડુપ્રસાદમાં વપરાયેલાં ઘીમાં ગાયની ચરબી તથા અન્ય વાંધાજનક સામગ્રી મળી હોવાના લૅબ રિપોર્ટથી દુનિયાભરના હિંદુઓ ખળભળી ઊઠ્યા છે. વિશ્વમાં સૌથી ધનિક ગણાતા આ બાલાજી મંદિરનું સંચાલન રાજ્ય સરકાર નિયંત્રિત બોર્ડના હાથમાં છે. નકલી ઘીનો વર્તમાન વિવાદ મોટી આગ પકડશે તો આ દેવસ્થાનમમાં ભક્તોએ ભાવથી ચઢાવેલી રોકડ ભેટનો ઉપયોગ ઈતર ધર્મીઓના તુષ્ટીકરણ માટે થતો હોવાનો અને એના વહીવટી મંડળમાં બિનહિંદુઓના સમાવેશના મુદ્દા પણ ઊછળશે જ.

time-read
6 mins  |
October 07, 2024
વેદનાની હાઈ-ટેક વસૂલાત...
Chitralekha Gujarati

વેદનાની હાઈ-ટેક વસૂલાત...

પેજર, વૉકીટૉકી બૉમ્બધડાકા, એક જ હવાઈ હુમલામાં સાડા ચારસોથી વધુ લેબનીસ નાગરિકનાં મોત... લેબેનોનમાં હિઝબુલ્લાહના વિનાશવાદીઓ સામે બદલો લેવા ઈઝરાયલે કરેલા હાઈ-ટેક અટેક પાછળ જેનું ભેજું કામ કરે છે એ યુનિટ તથા એની વિવિધ કામગીરીની અલ્પ જાણીતી વાતો.

time-read
6 mins  |
October 07, 2024
જૂથવાદનો ગિરનારી પવન કોનું વહાણ ડુબાડશે?
Chitralekha Gujarati

જૂથવાદનો ગિરનારી પવન કોનું વહાણ ડુબાડશે?

ભાજપમાં એક તરફ સદસ્યતા અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે જૂનાગઢમાં જવાહર ચાવડાએ પાર્ટી સામે જાહેરમાં જંગ છેડીને પ્રદેશ નેતાગીરીને પડકારી છે.

time-read
2 mins  |
October 07, 2024
૩૬૫ દિવસ ૨૪ કલાક ખુલ્લું રહેતું પુસ્તકાલયઃ ન કોઈ ડિપોઝિટ-ન લવાજમ
Chitralekha Gujarati

૩૬૫ દિવસ ૨૪ કલાક ખુલ્લું રહેતું પુસ્તકાલયઃ ન કોઈ ડિપોઝિટ-ન લવાજમ

આ છે જિતુભાઈ ચૂડાસમાની તાળાં વારની લાઈબ્રેરી: અહીં તો વાચકો જ બને છે પુસ્તકોના રખેવાળ.

time-read
3 mins  |
October 07, 2024
મન કે ઝરોખે મેં ઝાંક કર તો દેખિયે...
Chitralekha Gujarati

મન કે ઝરોખે મેં ઝાંક કર તો દેખિયે...

‘રણ સહસ્ર યોદ્ધા લડે, જીતે યુદ્ધ હજાર, પર જો જીતે સ્વયં કો, વહી શૂર સરદાર.’ અઢી હજાર વર્ષ પહેલાં ભગવાન બુદ્ધે જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ જેવા ભવરોગથી મુક્તિ પામવા સ્વયંને જીતવાની સાધના કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. સંસારની દરેક વ્યક્તિ બુદ્ધપદે ન પહોંચી શકે, પણ બુદ્ધે આપેલી વિપશ્યના સાધનાના અભ્યાસ થકી પોતાના મનને તો જીતી જ શકે. અઢી સૈકા જૂની, પણ ભારતમાંથી લુપ્ત થયેલી આ પ્રાચીન ધ્યાનપદ્ધતિને પંચાવન વર્ષ પહેલાં ફરી સ્વદેશ લઈ આવનારા સત્યનારાયણ ગોએન્કાજીએ મુંબઈમાં નિર્મિત કરેલા પગોડામાં ભગવાન બુદ્ધનો સંદેશ હવે લાઈટ ઍન્ડ સાઉન્ડ મ્યુઝિયમ રૂપે સમજવા મળે છે.

time-read
4 mins  |
October 07, 2024
આપણે કોની પાછળ ભાગીએ છીએ?
Chitralekha Gujarati

આપણે કોની પાછળ ભાગીએ છીએ?

આંબી શકતા નથી ચરણ એને એટલી ઝડપે પ્યાસ ચાલે છે એમ ચાલે છે જિંદગી જાણે જિંદગીનો રકાસ ચાલે છે.

time-read
2 mins  |
October 07, 2024
પ્રકાશનું પ્રદૂષણઃ આ વળી કઈ બલા છે?
Chitralekha Gujarati

પ્રકાશનું પ્રદૂષણઃ આ વળી કઈ બલા છે?

હજી થોડાં વર્ષ અગાઉ ચોખ્ખું આકાશ આપણાં નસીબમાં હતું. લોકો તારલા જોવાની પ્રવૃત્તિ કરતા. હવે ઊંચી ઊંચી ઈમારતો વચ્ચે બારીમાંથી ક્યાંક ડોકાઈ જતો આકાશનો ટુકડો આપણા ભાગે આવે છે અને એમાંય તારા દેખાતા નથી. પૃથ્વીના ગોળા પરની રોશનીએ પોલ્યુશનનું એવું તો પડળ આપણી ફરતે ફેલાવી દીધું છે કે...

time-read
5 mins  |
October 07, 2024
સ્વાસ્થ્ય, સ્વતંત્રતા, સંબંધ અને સંપત્તિ
Chitralekha Gujarati

સ્વાસ્થ્ય, સ્વતંત્રતા, સંબંધ અને સંપત્તિ

સમૃદ્ધિની છત-અછત પૈસાદાર હોવું અને સમૃદ્ધ હોવું એમાં ફરક છે. પૈસા ન હોય છતાં આપણે સુખી હોઈએ એ સમૃદ્ધિ. તમારી પાસે અઢળક પૈસા હોય, પણ જો તમે માનસિક અને શારીરિક રીતે સંતાપમાં હો, સંબંધો બગડેલા હોય, પોતાના કે બીજાના માટે સમયનો અભાવ હોય તો સુખની અનુભૂતિ તો દૂરની વાત છે, એની કલ્પના પણ કરવી અર્થહીન છે.

time-read
5 mins  |
October 07, 2024
અમેરિકા કેમ આપે છે ભારતવિરોધી માહોલને હવા?
Chitralekha Gujarati

અમેરિકા કેમ આપે છે ભારતવિરોધી માહોલને હવા?

મોદી-બાઈડનની મુલાકાતના કલાકો પહેલાં અમેરિકી પ્રશાસને ખાલિસ્તાની વિભાજનવાદીઓ સાથે મસલત કરી, જેને કારણે થોડા દિવસ અગાઉ રાહુલ ગાંધીએ અમેરિકામાં જ શીખ સમાજની કથિત અવદશા વિશે કરેલાં બેફામ વિધાનોને જાણે સમર્થન મળી ગયું!

time-read
5 mins  |
October 07, 2024