શાળા-કૉલેજોમાં વિદ્યાર્થીઓનું વૅકેશન થોડાદવસો પહેલાં પૂર્ણ થયું તો એ જ અરસામાં ગીરના જંગલમાં વૅકેશન શરૂ થયું છે. હા, એશિયાઈ સિંહોના વિશ્વના એકમાત્ર સરનામા સમાન ગીર અભયારણ્યમાં ચોમાસાની સીઝનમાં ચાર મહિના વનરાજ સિંહ અને અન્ય પ્રાણી-પક્ષીઓ પણ વૅકેશનની મજા માણે છે. જંગલને ફરી પ્રાકૃતિક અવસ્થામાં લાવવા માટે આ ગાળા દરમિયાન ગીર અભયારણ્યમાં પ્રવાસીઓને પ્રવેશ અપાતો નથી. કહો કે આઠ મહિના ગીર જંગલમાં માણસોની સતત અવરજવરથી થયેલી નુકસાનીનું રિનોવેશન કરવાનો આ સમય છે.
ઉનાળા દરમિયાન 'સુકાઈ ગયેલું' ગીર વરસાદના આગમન સાથે ફરી લીલુંછમ્મ બનવા લાગે છે.
સાવજોની ડણકોથી ગાજતાં રહેતાં ગીર જંગલમાં આ દિવસોમાં પ્રવાસીઓને પ્રવેશ મળતો નથી એટલે કોઈએ ક્યારેય ગીર જંગલનું ચોમાસું માણ્યું નહીં હોય. વાદળોમાંથી વરસતા વરસાદના કુદરતી ફુવારાથી તરોતાજા બનેલી જીવસૃષ્ટિનો મનોરમ્ય અને આહ્લાદક નજારો ખરેખર કેવો અદ્ભુત હશે? આ પ્રશ્નનો જવાબ વિચારવા માત્રથી પણ મન પ્રફુલ્લિત બની જાય. માનવીની સૌથી પ્રિય ઋતુ એવી ચોમાસામાં ગીરની છટા કંઈક અલગ જ હોય છે. જાણે કે સોળે શણગાર સજી રહેલી દુલ્હન! ચાલો, આજે જાણીએ ગીર જંગલના ચોમાસાનો વિશિષ્ટ અનુભવ, વનવિભાગના અધિકારીઓ તથા વિશિષ્ટ સંજોગોમાં ગીરમાં જવાની જેમને છૂટ હોય એવા નિષ્ણાતો પાસેથી.
શું ચાલે છે ચોમાસા દરમિયાન ગીરમાં?
બીજાં દરેક જંગલની જેમ ગીરમાં પણ આ ચાર મહિનામાં આખી ફૂડ ચેન તૈયાર થાય છે. બાળકોને નાનપણમાં જે આહારકડી વિશે અભ્યાસ કરાવવામાં આવે છે એ આહારકડી આ ચાર મહિના દરમિયાન જંગલમાં તૈયાર થાય છે. ગીર જંગલના નિષ્ણાત અને વર્ષોના અનુભવી એવા સક્કરબાગ ઝૂ (પ્રાણી સંગહાલય)ના ભૂતપૂર્વ મુખ્ય અધિકારી આર.ડી. કટારા ગીરના ચોમાસા વિશે કહે છેઃ
This story is from the July 22, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the July 22, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.
આવા કિસ્સામાં પણ આવા ભેદભાવ કેમ?
આપણી સહાનુભૂતિ અને આપણા પ્રત્યાઘાત વર્ગ, વર્ણ અને વાડાબંધીથી પર હોવાં જોઈએ.
યુરિનરી ઈનકન્ટિનન્સઃ શરમથી સમસ્યા નહીં ઉકેલે
અનિયંત્રિત પેશાબની વ્યાધિ પાછળ વધતી ઉંમર સિવાય અન્ય કારણ પણ હોઈ શકે.