ક્ષમતા મુજબ યોગદાન...
એક યુવાન રોજ દરિયાકિનારેથી પસાર થાય. એક દિવસ એણે જોયું કે દરિયાની ભરતીમાં અસંખ્ય માછલી કિનારા પર રેતીમાં ફેંકાઈને તરફડતી હતી અને એક વયોવૃદ્ધ માણસ એક પછી એક માછલીને ઊંચકીને પાછી દરિયામાં ફેંકતો હતો.
યુવાન એની નજીક ગયો અને બોલ્યોઃ ‘વડીલ, એકસાથે આટલી બધી માછલી પાણી બહાર આવી ગઈ છે. તમે એક-એક કરીને એને પાછી પાણીમાં ફેંકશો તો એનાથી કોઈ ફરક નહીં પડે. વ્યર્થ મહેનત કરો છો.'
વૃદ્ધે યુવાન તરફ જોયું. કંઈ બોલ્યા વગર એણે નીચે નમીને એક માછલી પકડી અને જોરથી દૂર પાણીમાં નાખી. પછી યુવાન તરફ વળીને કહ્યું: બેટા, આ એક માછલીને તો ફરક પડ્યો ને?’ (સારઃ પ્રત્યેક વ્યક્તિ એની ક્ષમતા મુજબ બદલાવમાં યોગદાન આપી શકે છે.)
***
બ્રેઈન ડ્રેઈનના પ્રવાહમાં ઘસડાઈને દુનિયાની માંધાતા ટેક કંપનીઓમાં ઉચ્ચ હોદ્દા પર કામ કરી રહેલા ભારતીયોમાં એક નામ સત્યા નડેલાનું છે. હૈદરાબાદમાં સંસ્કૃતની શિક્ષિકા માતા અને આઈએએસ પિતાના પુત્ર સત્યાનારાયણ નડેલા કમ્પ્યુટર સાયન્સ અને બિઝનેસ ઍડ્મિનિસ્ટ્રેશનની ડિગ્રી મેળવી અમેરિકાની સન માઈક્રોસિસ્ટમમાં કામ કરતા હતા અને પછી ૧૯૯૨માં માઈક્રોસૉફ્ટમાં જોડાયા હતા. માઈક્રોસૉફ્ટમાં એમના નામે ક્લાઉડ કમ્પ્યુટિંગનું ક્રાંતિકારી ઈનોવેશન બોલે છે.
નડેલાની નેતૃત્વકળાથી પ્રેરાઈને માઈક્રોસૉફ્ટમાં એમને ૨૦૧૪માં સીઈઓ બનાવવામાં આવ્યા હતા. બિલ ગેટ્સ અને સ્ટીવ બાલમેર પછી એ માઈક્રોસૉફ્ટમાં ત્રીજા અને પહેલા ભારતીય સીઈઓ છે. એમના સંચાલનમાં માઈક્રોસૉફ્ટની જબરદસ્ત પ્રગતિ થઈ છે. નડેલાએ આવતાંવેંત કંપનીમાં વૈચારિક અને કાર્યશૈલીમાં ધરખમ બદલાવ આણ્યો હતો. એમણે દુનિયાભરમાં પથરાયેલા સવા બે લાખ કર્મચારીઓને કામ કરવા માટે ત્રણ શબ્દો આપ્યા હતાઃ સંવેદના, સહકાર અને વિકાસ.
નડેલા કંપનીને પ્રૉફિટમેકિંગ બનાવવા માગતા હતા અને એના માટે એમણે નિખાલસ કૉમ્યુનિકેશન, સાહસિક ઈનોવેશન, નમ્રતા અને સંવેદનાસભર લીડરશિપ પર ભરોસો મૂક્યો હતો. એ માનતા હતા કે કંપનીનું વાતાવરણ કેટલું પોઝિટિવ અને ઊર્જાવાન છે એના પર સિદ્ધિ અને સફળતાનો આધાર છે.
This story is from the September 23, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the September 23, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?
જાણકારો કહે છે કે ભારત તથા આફ્રિકન રાષ્ટ્રોને વિકાસની દૃષ્ટિએ પોતાના સમોવડિયા બનતાં રોકવા માટે વિકસિત દેશોનું પાછલાં ૧૦૦ વર્ષનું સૌથી મોટું સૅમ એટલે ક્લાઈમેટ ચેન્જ.
ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ
રાજ્યમાં જૂની વર્ક્સ મિલકતોની તકરાર અને નવી વક્ત મિલકત માટે દાવા અચાનક વધ્યા છે. અલ્લાહને સમર્પિત મિલકત માટે નૈતિક અને કાનૂની આચરણ સામે હવે સવાલ કેમ ઊભા થાય છે?
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.