
ક્યાંક ઘાસિયાં મેદાન તો ક્યાંક હરિયાળાં વૃક્ષો, આછી આછી ટેકરીઓ, ખળખળ વહેતી નદી, ગાઢ ઝાડીઝાંખરાં, એ વચ્ચે ફેલાયેલું વિશાળ સરોવર અને આ બધાં વચ્ચે દૂર દૂર સુધી માણસનું ક્યાંય નામોનિશાન નહીં.
આમ તો આવાં દશ્યો ઘણાં જંગલમાં જોવા મળે. હા, આ પણ એક વનવિસ્તાર જ છે. એ છે મધ્ય પ્રદેશનું સાતપૂડા જંગલ. રાજ્યની વચ્ચોવચ આવેલા નર્મદાપુરમ જિલ્લામાં નર્મદા નદીના કિનારે જ આ વિશાળ જંગલ છે. કુલ ૨૧૦૦ સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલું આ વિશાળ જંગલ કુદરતી સૌંદર્ય અને અઢળક જંગલી જીવોનું ઘર છે. સાથે જ આ જંગલ વાઘનો પણ પ્રાકૃતિક આવાસ છે માટે ૧૯૮૧થી સાતપૂડાના કેટલાક વિસ્તારને ટાઈગર રિઝર્વ જાહેર કરી દેવામાં આવ્યો છે, જ્યારે બાકીનો વિસ્તાર સાતપૂડા રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાણીતો છે.
વર્ષ ૨૦૧૦માં સાતપૂડામાં માત્ર ૧૩ વાઘ હતા, જેની સંખ્યા ૨૦૨૧માં વધીને ૪૮ સુધી પહોંચી ગઈ અને આ જ કારણે ગયા વર્ષે સાતપૂડાને TX2 તરીકે ઓળખાતો પ્રતિષ્ઠિત એવૉર્ડ મળ્યો. સાતપૂડાની ખાસિયત એ છે કે એ ભારતનાં સૌથી જૂનાં આરક્ષિત જંગલમાંથી એક છે અને મધ્ય ભારતસ્થિત સાતપૂડા પર્વતમાળામાં મોટા ભાગે માનવપ્રભાવથી ભેળસેળ રહિત એવો સંરક્ષિત વિસ્તાર છે. આ અનોખો વિસ્તાર મધ્ય પ્રદેશના પ્રથમ બાયોસ્ફિયર રિઝર્વનો ભાગ છે. મધ્ય ભારતની સૌથી સમૃદ્ધ જૈવવિવિધતા (બાયો-ડાઈવર્સિટી) પણ અહીં જોવા મળે છે. આ ખાસિયતને કારણે જ ભારત સરકારે બે વર્ષ અગાઉ જ સાતપૂડા ટાઈગર રિઝર્વનો યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ લિસ્ટમાં સમાવેશ કરવા રજૂઆત કરી છે. સાતપૂડાના જંગલમાં ૫૦ જેટલા અતિ પ્રાચીન રૉક શેલ્ટર છે અને આવી કેટલીક ગુફામાં સદીઓ અગાઉ પથ્થર પર કોતરાયેલાં ચિત્રો છે. આ હકીકત પણ સાતપૂડાને બીજા વનવિસ્તારોથી વેંત ઊંચું સ્થાન આપે છે.
આ જંગલમાં આજે કુલ ૫૦ વાઘ વિચરે છે. એ ઉપરાંત, રીંછ, દીપડા, ગૌર (ગ્રેટ ઈન્ડિયન બફેલો), બારાસિંગા, ચોસિંગા, હરણ, સાબર, ઝરખ, શિયાળ, લંગૂર, યુરેશિયન ઓટર, વગેરે પ્રાણી, અનેક પ્રજાતિનાં પક્ષી અને અઢળક પ્રકારના સરીસૃપ આ જંગલમાં જોવા મળે છે. મહારાષ્ટ્રનું સ્ટેટ એનિમલ ઈન્ડિયન જાયન્ટ સ્ક્વેિરલ (ભારતમાં જોવા મળતી ખિસકોલીની સૌથી મોટી પ્રજાતિ) પણ મધ્ય પ્રદેશમાં માત્ર અહીં જ જોવા મળે છે. સાતપૂડા ટાઈગર રિઝર્વનો લોગો પણ આ ખિસકોલી જ છે.
This story is from the October 07, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the October 07, 2024 edition of Chitralekha Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In

સંઘર્ષ અને સફળતા સુધીની સ્વાદિષ્ટ સફર
એક સમય હતો જ્યારે એ પોતાના પરિવાર માટે જ રસોઈ બનાવતાં. બાળકોને શું ભાવે છે, પતિને શું ગમશે એ પ્રમાણે જ રસોડામાં એમનું કામ શરૂ થાય. જો કે જીવનના સાડા સાત દાયકા પછી, કોવિડ સમયે એમણે અથાણાં, નાસ્તા અને ગુજરાતી થાળીના ઑર્ડર લેવાનું શરૂ કર્યું અને પછી તો ટીવી શો ‘માસ્ટર શેફ’માં ભાગ લઈ એ બધાનાં લાડીલાં બની ગયાં.

આ... અબ તો લૌટ ચલેં!
ડોનાલ્ડ ટ્રમ્પના કડક વલણ છતાં આજે પણ એવા લોકો છે, જેમને ગેરકાયદે અમેરિકા જવું છે. આ લોકોને એમ છે કે અમેરિકામાં દૂધની નદીઓ વહે છે અને ડૉલર ઝાડ પર ઊગે છે. અમેરિકા જતાંવેંત સુખ-સમૃદ્ધિ મળી જશે એવું ધારતા, અમેરિકન ડ્રીમ સાકાર કરવા લાખો-કરોડો રૂપિયા તથા જીવ જોખમમાં મૂકનારા આવા શેખચલ્લીઓ ક્યારે ચેતશે?

ગેરરીતિ સામેની લડતે ગાદી અપાવી... ગેરરીતિને લીધે ગાદી ગઈ
ભ્રષ્ટાચાર સામેના જન આંદોલનના આગેવાન તરીકે રાજકારણમાં પ્રવેશેલા અરવિંદ કેજરીવાલ પછી તો પોતે જ એના કળણમાં ખૂંપતાં ગયા અને ચાદર કરતાં પગ લાંબા કરવાની લાયમાં દિલ્હી ગુમાવી બેઠા.

મનશુદ્ધિ વગરની આપણી તનશુદ્ધિ
ગાંધીજી પાપ-પુણ્યની વાત ધર્મના અર્થમાં નહીં, પરંતુ નૈતિકતાના અર્થમાં કરતા હતા. એમના મતે મનની અશુદ્ધિ માટે સાત પાપ જવાબદાર હતાંઃ સિદ્ધાંત વગરની રાજનીતિ, શ્રમ વગરનું ધન, વિવેક વગરનું સુખ, ચરિત્ર વગરનું જ્ઞાન, નીતિ વગરનો વેપાર, માનવતા વગરનું વિજ્ઞાન અને ત્યાગ વગરની પૂજા.

નો માર્કેટિંગ
… તેમનો આભાર માનીને બહાર નીકળ્યાં, પણ ‘હવે તો બોર્ડ પણ બહાર નથી' એ તેમના વાક્ય ફરતે હજુ મન ઘૂમરાતું હતું. ‘આપણી સેલ્સ ઓફિસને બોર્ડ નહીં હોય અથવા બોર્ડ નહીં લગાવવું' એવું આપણે નક્કી કર્યું તો ?...

મજા હારમાં છે, ગજબ ગેમ છે...
જો બન્નેનાં હૈયે લગન સેમ છે હૃદય ખોલી કહી દે, ‘મને પ્રેમ છે’ હવા, વાદળો, મ્હેક કે ચાંદની મિલન બાદ ક્યાં કંઈ હતું તેમ છે.

જસ્ટ, એક મિનિટ..
વાસ્તવિકતાનો જલદીથી સ્વીકાર કરીને એવી બાબતોને પડતી મૂકીને નવી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું વધારે ડહાપણભર્યું હોય છે.

ભાંગી મારી જન્મોજનમની ખામી
ખૂબી વધારે છે કે ખામી એ ગણતરી ક્યાં કરી? જેવો હતો એવો મેં એને દિલથી અપનાવ્યો હતો.

જસ્ટ, એક મિનિટ...
કઈ તરફનો ઝુકાવ રાખવો એ જે-તે માણસના હાથની વાત છે.

સફળતાની ઠોકર વાગે ત્યારે!
તમે પહેલી વાર કાર ચલાવી હશે ત્યારે તમને યાદ હશે કે તમે અત્યંત સાવચેતીપૂર્વક ડ્રાઈવિંગ કર્યું હશે, પરંતુ જેમ જેમ કારની ગતિ વધી હશે એમ તમારો આત્મવિશ્વાસ પણ વધ્યો હશે. એ જ ગતિ અતિ આત્મવિશ્વાસ તરફ લઈ જાય છે. અકસ્માતની સંભાવના એ જ વખતે સૌથી વધુ હોય છે જ્યારે અતિ આત્મવિશ્વાસ હોય.