દેશની આઝાદીના યુદ્ધનો સાક્ષી લાલ કિલ્લો મુગલકાલીન વાસ્તુકલા, સર્જનાત્મકતા અને સુંદરતાનું અનોખું ઉદાહરણ છે.
મુગલ શાસક શાહજહાએ ૧૧ વર્ષ સુધી આગ્રા એટલે અકબરાબાદથી શાસન કર્યા પછી નક્કી કર્યું કે રાજધાની દિલ્લી લાવવામાં આવે. તેણે દિલ્લીમાં લાલ કિલ્લાનો પાયો નાખ્યો. શાહજહાં એટલે ૫ મા મુગલ શહેંશાહ પોતાની ન્યાયપ્રિયતા અને વૈભવવિલાસના લીધે પોતાના સમયમાં લોકપ્રિય રહ્યા. ૧૬૩૯ માં મુગલ સમ્રાટ શાહજહાંએ દુનિયાના આ સૌથી સુંદર અને ભવ્ય કિલ્લાનું નિર્માણ શરૂ કરાવ્યું હતું.
ઈતાલવી ઈતિહાસકાર નિકોલાઓ મનુચી જણાવે છે, ‘રાજપાટથી પોતાનું ધ્યાન વહેંચવા માટે શાહજહાં સંગીત અને નૃત્યનો સહારો લેતા હતા. વિભિન્ન સંગીત વાદ્ય અને શેરોશાયરી સાંભળવી તેમના શોખ હતા. તે પોતે પણ સારું ગાતા હતા. તેમની સાથે ગાનાર અને નૃત્ય કરતી છોકરીઓનું એક ટોળું હંમેશાં રહેતું હતું.”
આગ્રામાં ખૂબ ભીડ હતી અને શાહજહાં માટે ત્યાં કામ કરવું મુશ્કેલ થઈ ગયું હતું, જ્યારે ‘દિલ્લી સેન્ટર ઓફ ટ્રેડ’ હતું, તેથી તેણે પોતાની રાજધાની દિલ્લીને બનાવવાનો નિર્ણય લીધો અને તેને શાહજાનાબાદ નામ આપ્યું. ૧૬ એપ્રિલ, ૧૬૪૮ એટલે લગભગ ૯ વર્ષમાં લાલ કિલ્લો બનીને તૈયાર થયો. તેણે લાલ કિલ્લાને ‘મુબારક એ કિલ્લો' નામ આપ્યું હતું. લગભગ દોઢ કિલોમીટરના અંતરમાં ફેલાયેલા ભારતના આભવ્ય ઐતિહાસિક સ્મારકની ચારે બાજુ લગભગ ૩૦ મીટર ઊંચી પથ્થરની દીવાલ બનેલી છે, જેમાં મુગલકાલીન વાસ્તુકલાનો ઉપયોગ કરી ખૂબ સુંદર નકશીકામ કરવામાં આવ્યું છે.
અમૂલ્ય વારસો
શાહજહાંના દરબારના ઉસ્તાદ હામિદ અને ઉસ્તાદ અહમદે લાલ કિલ્લાનું નિર્માણ કર્યું હતું. કહેવાય છે કે જ્યારે આ કિલ્લો બનાવવામાં આવી રહ્યો હતો ત્યારે શાહજહાં જલદીમાં હતા, કારણ કે યમુનાના કિનારે કિલ્લો બની રહ્યો હતો, જ્યારે બંને ઉસ્તાદ ઈચ્છતા હતા કે પાયો પહેલાં સુકાઈ જાય પછી આગળ કામ કરશે, પરંતુ શાહજહાં નહોતા માન્યા. ત્યારે તે બંને અચાનક ગાયબ થઈ ગયા હતા. તે સમયે શાહજહાંએ ૬ મહિના રાહ જોઈ અને પછી તેમની ઉપર ઈનામ રાખ્યું.
ત્યારે બંને અચાનક સામે આવ્યા અને શાહજહાંને જણાવ્યું કે તેઓ એટલે ગયા હતા, જેથી પાયો સુકાવા માટે થોડો સમય મળી જાય. જ્યારે પાયો ચેક કર્યો ત્યારે ખબર પડી કે ખરેખર આ સમયમાં સતત યમુનાનું પાણી મળવાથી પાયો મજબૂત થઈ ગયો હતો.
This story is from the July 2024 edition of Grihshobha - Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Sign In
This story is from the July 2024 edition of Grihshobha - Gujarati.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Sign In
ઉશ્કેરે છે મર્દાનગીની મજાક
કેટલાક લોકો ગુસ્સામાં અથવા મજાકમાં ઘણું બધું કહેતા હોય છે, પરંતુ શું તમે જાણો છો કે કઈ વાત ભૂલથી છોકરાઓ સામે બોલવી ન જોઈએ...
મોનસૂનમાં આ રીતે રાખો ઘરની સારસંભાળ
મોનસૂનમાં ઘરની સારસંભાળ માટે અહીં જણાવેલ ટિપ્સ તમારા માટે ખૂબ કામની સાબિત થશે...
મોનસૂનમાં સ્કિન એલર્જી
મોનસૂનમાં સ્કિનની એલર્જીથી બચવું હોય તો આ જાણકારી તમારા માટે જ છે...
શું સેક્સની મજા બગાડે છે પીડા
સેક્સ લાઈફ એન્જોય કરવા આ જાણવું તમારા માટે ખૂબ જરૂરી છે...
સેલિબ્રિટી ઘર જે બન્યું ખાસ
ઘરને જો તમે થોડું જુદી રીતે સજાવવા ઈચ્છો છો, તો અહીં જણાવેલી જાણકારી તમારા માટે જ છે...
સ્વાસ્થ્ય રક્ષા
કંન્જક્ટિવાઈટિસ જેને સામાન્ય ભાષામાં આંખ આવવી કહેવાય છે.
તેમની ફેસબુકિયા ફ્રેન્ડ્સ
પત્નીની સાહેલીઓએ જ્યારે મારા વિશે ઊંધુંસીધું કહીને તેને ભડકાવી દીધી તો હું પણ અકડાઈ ગયો પણ જલદીથી મને મારી ભૂલ દેખાવા લાગી...
સુંદર દેખાવું તમારો હક
સુંદર દેખાવું દરેક મહિલાની ઈચ્છા હોય છે, પરંતુ તેનાથી ઘરના લોકો ચિડાય અથવા તેને નાટક સમજે તો પછી તમારે શું કરવું જોઈએ...
લવ સેન્ટર કેમ બને છે જિમ
એક્સર્સાઈઝ કરતાંકરતાં પોતાના જિમ ટ્રેનરને પ્રેમ કરવો આજકાલ સામાન્ય કેમ થઈ રહ્યો છે...
૯ ટિપ્સ લોન દેખાશે ગ્રીન
લોનને સુંદર અને હરિયાળી રાખવા અહીં જણાવેલી ટિપ્સ ખૂબ કામની સાબિત થશે...