સુદાનના અનેક વિસ્તારો ભડકે બળતા હતા ત્યારે બસ પર તિરંગો લગાડીને ભારતીયો ત્યાંથી નજીકની સરહદે ભાગ્યા, જ્યાંથી આપણા વાયુદળનાં વિશેષ વિમાન એમને વતન પાછા લઈ આવ્યાં.
‘અમારાં ઘર પર ફાયરિંગ થતાં હતાં, બૉમ્બ ફેંકવામાં આવતા હતા. જીવનું જોખમ હતું. ખાવાનું ખૂટ્યું, પીવા પાણી મળતું નહોતું. બૅન્કો બંધ હોવાથી આર્થિક વ્યવહાર ઠપ થઈ ગયા.. આવી ભયાનક સ્થિતિ પહેલી વાર અનુભવી, પરંતુ ભારતની ભૂમિ પર હેમખેમ પહોંચ્યા ત્યારે જાણે નવો જન્મ મળ્યો એવી લાગણી થઈ રહી છે.’
એકશ્વાસે બોલાયેલા આ શબ્દો છે ગઈ ૨૮ અપ્રિલે સુદાનથી રાજકોટ પરત ફરેલા ગુજરાતીઓના. આંતરવિગ્રહથી સળગતા સુદાનથી જીવ બચાવી, માલમિલકત મૂકીને પહેરેલે કપડે પરત ફરેલા ગુજરાતીઓ હેમખેમ માતૃભૂમિમાં પહોંચ્યા ત્યારે એમના ચહેરા પર ખુશી જોવા મળી. અનેક ગુજરાતીઓએ ત્યાંની ભયાનક સ્થિતિનો ચિતાર આપી કહ્યું કે સુદાન છોડ્યાનો અફસોસ નથી, બલકે અહીં આવ્યાનો આનંદ છે.
‘ઑપરેશન કાવેરી’... જાન બચાવી આવેલા મૂળ ગુજરાતવાસીઓનું અમદાવાદ તથા રાજકોટમાં સ્વાગત કરવામાં આવ્યું.
૧૫ અપ્રિલે અચાનક ઉત્તર-પૂર્વ આફ્રિકન દેશ સુદાનના રક્ષક એવાં લશ્કરનાં બે બળૂકાં જૂથ વચ્ચે સત્તા માટે વિગ્રહ ફાટી નીકળ્યો. એ પછી તો પરિસ્થિતિ કાબૂબહાર ગઈ ત્યારે ત્યાં વસતા સેંકડો ગુજરાતી સહિત અનેક ભારતીયો પણ ફસાયા અને એમણે સુદાનમાંથી ઉચાળા ભરવા માંડ્યા. ભારત સરકારે હાથ ધરેલા ઑપરેશન કાવેરી હેઠળ હવે આ ભારતીયોને વતન પહોંચાડવામાં આવી રહ્યા છે, જેમાં ગુજરાતીઓની સંખ્યા મોટી છે.
નીલેશભાઈ દેસાઈ
રોજી-રોટી માટે ગુજરાતીઓ દુનિયાના ખૂણે ખૂણે પહોંચ્યા છે. આવો જ એક ખૂણો એટલે ઈજિપ્તની દક્ષિણે આવેલો દેશ સુદાન. એક સદી કરતાં વધુ સમયથી ગુજરાતીઓ આ આફ્રિકન દેશ સાથે સંબંધ ધરાવે છે. એમ કહેવાય છે કે આશરે ૧૦૦ વર્ષ પહેલાં ગુજરાતીઓ બેપાંદડે થવા આફ્રિકન દેશ સુદાન ગયેલા. મોટા ભાગના ગુજરાતીઓનાં મૂળિયાં રાજકોટનાં છે. ખાસ કરીને અહીંના જૈન સમાજનો તો દાયકાઓથી સુદાન સાથે રોટી-બેટીનો વ્યવહાર છે.
સુનંદાબહેન-મધુકાંતભાઈ જૂઠાણી
Bu hikaye Chitralekha Gujarati dergisinin May 15, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Chitralekha Gujarati dergisinin May 15, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?
જાણકારો કહે છે કે ભારત તથા આફ્રિકન રાષ્ટ્રોને વિકાસની દૃષ્ટિએ પોતાના સમોવડિયા બનતાં રોકવા માટે વિકસિત દેશોનું પાછલાં ૧૦૦ વર્ષનું સૌથી મોટું સૅમ એટલે ક્લાઈમેટ ચેન્જ.
ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ
રાજ્યમાં જૂની વર્ક્સ મિલકતોની તકરાર અને નવી વક્ત મિલકત માટે દાવા અચાનક વધ્યા છે. અલ્લાહને સમર્પિત મિલકત માટે નૈતિક અને કાનૂની આચરણ સામે હવે સવાલ કેમ ઊભા થાય છે?
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.