
ગુજરાત ભલે વ્યાપારપ્રધાન રાજ્યની ઓળખ ધરાવતું હોય અને હવે ઔદ્યોગિક ક્ષેત્રે પણ ઘણી પ્રગતિ કરી હોય, પરંતુ રાજ્યના અર્થતંત્રમાં કૃષિ ક્ષેત્રનો હજી ખાસ્સો મોટો હિસ્સો છે. આશરે પંચાવન લાખથી વધુ પરિવાર કૃષિ ક્ષેત્ર પર નિર્ભર છે. ખેડૂતો માટે સમસ્યા એ છે કે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી અતિવૃષ્ટિ, વાવાઝોડું, કમોસમી વરસાદ, પૂર જેવી કુદરતી આફત વધી રહી છે.
જો કે સમસ્યા હોય ત્યાં ઉકેલ કાઢવાની કળ લોકો પાસે હોય જ છે એટલે હવે ઘણા ભૂમિપુત્રો આવા સંકટ સામે ટક્કર લઈ શકે એવા પાક તરફ વળી રહ્યા છે. બિપરજૉય વાવાઝોડાને પગલે થયેલા ભારે વરસાદ પછી નૈઋત્યનું ચોમાસું પણ ગુજરાતમાં પહોંચી ગયું છે અને ખેડૂતો વાવણીના કામમાં વ્યસ્ત બન્યા છે ત્યારે પાક પૅટર્નમાં મોટો બદલાવ આંખ સામે આવ્યો છે. એ પરિવર્તન છે
બાગાયતી પાક તરફ ખેડૂતોનો વધતો ઝોક.
અરવિંદભાઈ નંદાણી: એક વર્ષમાં ૩૫ લાખ જેટલા રોપા તૈયાર કરી વેચ્યા.
ગુજરાતમાં આશરે ૮૬ લાખ હેક્ટર વાવણીલાયક વિસ્તાર છે. બેએક દાયકા પહેલાં ખેતીલાયક જમીનના માત્ર છ લાખ હેક્ટર પર બાગાયતી પાક લેવાતો હતો, એ આંક વર્ષ ૨૦૨૧-૨૨માં વધીને ૧૮.૯૦ લાખ હેક્ટર સુધી પહોંચી ગયો. આ સમયગાળા દરમિયાન બાગાયતી પાકોનું ઉત્પાદન આશરે ૬૦ લાખ ટનથી વધીને ૨૬૩ લાખ ટન સુધી પહોંચી ગયું. મસાલા અને શાકભાજીના પાકોમાં ગુજરાત સતત આગળ નીકળી રહ્યું છે. વરિયાળી અને જીરુંના ઉત્પાદનમાં ગુજરાત પ્રથમ અને હળદરના ઉત્પાદનમાં અત્યારે બીજે સ્થાને આવી ગયું છે. ખેડૂતો હવે જોખમ લેતા થયા છે તો સરકાર પણ એમને અનુરૂપ યોજના લાવી રહી છે.
ગુજરાત રાજ્યની સ્થાપના થયા બાદ ત્રીસેક વર્ષે બાગાયતી પાકને વેગ આપવા (વર્ષ ૧૯૯૧માં) કૃષિ વિભાગ અંતર્ગત અલગ બાગાયત ખાતાની રચના કરવામાં આવી હતી. એક સમયે સૌરાષ્ટ્રનો ખેડૂત મગફળી, કપાસ અને કઠોળનાં ઉત્પાદન પર જ ધ્યાન આપતો હતો, પરંતુ આજે સૌરાષ્ટ્રમાં કેરી, કેળાં, ખારેક, જામફળ, રીંગણ, દાડમ, લીંબુ, પપૈયાં જેવા પાક ઊતરતાં થયા છે. સૌરાષ્ટ્રમાં બાગાયતી પાક હેઠળની જમીનના પ્રમાણમાં પાંચેક વર્ષ દરમિયાન પંદરથી ૨૦ ટકાનો વધારો થયો છે.
ડ્રેગન ફ્રૂટ, દાડમ, દ્રાક્ષ, આમળાં, પપૈયાં, કેળાં, ખારેક, જામફળ, લીંબુ.. ગુજરાતના અનેક ખેડૂતો વળ્યા છે આવા પાક તરફ.
Bu hikaye Chitralekha Gujarati dergisinin July 17, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Chitralekha Gujarati dergisinin July 17, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap

સંઘર્ષ અને સફળતા સુધીની સ્વાદિષ્ટ સફર
એક સમય હતો જ્યારે એ પોતાના પરિવાર માટે જ રસોઈ બનાવતાં. બાળકોને શું ભાવે છે, પતિને શું ગમશે એ પ્રમાણે જ રસોડામાં એમનું કામ શરૂ થાય. જો કે જીવનના સાડા સાત દાયકા પછી, કોવિડ સમયે એમણે અથાણાં, નાસ્તા અને ગુજરાતી થાળીના ઑર્ડર લેવાનું શરૂ કર્યું અને પછી તો ટીવી શો ‘માસ્ટર શેફ’માં ભાગ લઈ એ બધાનાં લાડીલાં બની ગયાં.

આ... અબ તો લૌટ ચલેં!
ડોનાલ્ડ ટ્રમ્પના કડક વલણ છતાં આજે પણ એવા લોકો છે, જેમને ગેરકાયદે અમેરિકા જવું છે. આ લોકોને એમ છે કે અમેરિકામાં દૂધની નદીઓ વહે છે અને ડૉલર ઝાડ પર ઊગે છે. અમેરિકા જતાંવેંત સુખ-સમૃદ્ધિ મળી જશે એવું ધારતા, અમેરિકન ડ્રીમ સાકાર કરવા લાખો-કરોડો રૂપિયા તથા જીવ જોખમમાં મૂકનારા આવા શેખચલ્લીઓ ક્યારે ચેતશે?

ગેરરીતિ સામેની લડતે ગાદી અપાવી... ગેરરીતિને લીધે ગાદી ગઈ
ભ્રષ્ટાચાર સામેના જન આંદોલનના આગેવાન તરીકે રાજકારણમાં પ્રવેશેલા અરવિંદ કેજરીવાલ પછી તો પોતે જ એના કળણમાં ખૂંપતાં ગયા અને ચાદર કરતાં પગ લાંબા કરવાની લાયમાં દિલ્હી ગુમાવી બેઠા.

મનશુદ્ધિ વગરની આપણી તનશુદ્ધિ
ગાંધીજી પાપ-પુણ્યની વાત ધર્મના અર્થમાં નહીં, પરંતુ નૈતિકતાના અર્થમાં કરતા હતા. એમના મતે મનની અશુદ્ધિ માટે સાત પાપ જવાબદાર હતાંઃ સિદ્ધાંત વગરની રાજનીતિ, શ્રમ વગરનું ધન, વિવેક વગરનું સુખ, ચરિત્ર વગરનું જ્ઞાન, નીતિ વગરનો વેપાર, માનવતા વગરનું વિજ્ઞાન અને ત્યાગ વગરની પૂજા.

નો માર્કેટિંગ
… તેમનો આભાર માનીને બહાર નીકળ્યાં, પણ ‘હવે તો બોર્ડ પણ બહાર નથી' એ તેમના વાક્ય ફરતે હજુ મન ઘૂમરાતું હતું. ‘આપણી સેલ્સ ઓફિસને બોર્ડ નહીં હોય અથવા બોર્ડ નહીં લગાવવું' એવું આપણે નક્કી કર્યું તો ?...

મજા હારમાં છે, ગજબ ગેમ છે...
જો બન્નેનાં હૈયે લગન સેમ છે હૃદય ખોલી કહી દે, ‘મને પ્રેમ છે’ હવા, વાદળો, મ્હેક કે ચાંદની મિલન બાદ ક્યાં કંઈ હતું તેમ છે.

જસ્ટ, એક મિનિટ..
વાસ્તવિકતાનો જલદીથી સ્વીકાર કરીને એવી બાબતોને પડતી મૂકીને નવી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું વધારે ડહાપણભર્યું હોય છે.

ભાંગી મારી જન્મોજનમની ખામી
ખૂબી વધારે છે કે ખામી એ ગણતરી ક્યાં કરી? જેવો હતો એવો મેં એને દિલથી અપનાવ્યો હતો.

જસ્ટ, એક મિનિટ...
કઈ તરફનો ઝુકાવ રાખવો એ જે-તે માણસના હાથની વાત છે.

સફળતાની ઠોકર વાગે ત્યારે!
તમે પહેલી વાર કાર ચલાવી હશે ત્યારે તમને યાદ હશે કે તમે અત્યંત સાવચેતીપૂર્વક ડ્રાઈવિંગ કર્યું હશે, પરંતુ જેમ જેમ કારની ગતિ વધી હશે એમ તમારો આત્મવિશ્વાસ પણ વધ્યો હશે. એ જ ગતિ અતિ આત્મવિશ્વાસ તરફ લઈ જાય છે. અકસ્માતની સંભાવના એ જ વખતે સૌથી વધુ હોય છે જ્યારે અતિ આત્મવિશ્વાસ હોય.