ભૂતકાળમાંથી પાઠ શીખવાની દાનત મહારાષ્ટ્ર સરકાર કે સ્થાનિક વહીવટી તંત્રમાં હોત તો ૧૯ જુલાઈના મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં ખાલાપર તાલુકામાંનું નાનકડું ગામ ઈર્શાળવાડી ડુંગર પરથી ધસી આવેલી લાલ માટીના ઢગની નીચે દબાઈ ગયું ન હોત. ભૂસ્ખલનની આ ઘટનામાં માત્ર ૨૭ શબ હાથ લાગ્યાં, પણ બચાવકાર્ય હવે પડતું મુકાયું એટલે લાપતા ઘોષિત થયેલા ૫૭ ગ્રામીણો કાયમના દટાયેલા જ રહેશે. જો કે બિનસત્તાવાર અહેવાલ પ્રમાણે મરણનો કુલ આંક ૮૪ નહીં, પરંતુ એકસોથી વધુ છે.
જિયોલૉજિકલ સર્વે ઑફ ઈન્ડિયાના એક અહેવાલ અનુસાર મહારાષ્ટ્રના ૩૦ ટકા હિસ્સા પર ભૂસ્ખલનનું જોખમ સતત હોય છે. જુલાઈ, ૨૦૧૪માં ભારે વરસાદને કારણે પુણે જિલ્લામાં માંલીન નામનું આખું ગામ ભૂસ્ખલનથી ધસી આવેલી માટી નીચે દબાઈ ગયું એમાં ૧૫૧ લોકોના પ્રાણ ગયા હતા.
૨૦૨૧માં રાયગઢ જિલ્લામાં મહાડ તાલુકાના તળીયે ગામ પર માટીનો આખો ડુંગર ધસી પડ્યો ત્યારે ૮૫ લોકોના જાન ગયા હતા. હવે ઈર્શાળવાડીમાં ૧૯ જુલાઈએ ૨૪ કલાકમાં ૧૬ ઈંચ વરસાદ ખાબક્યો એમાં રાત્રે ૧૧ વાગ્યાની આસપાસ ડુંગર તૂટ્યો, માટી ગામ પર ધસી આવી અને પલકવારમાં ગામ ૧૫થી ૨૦ ફૂટ ઢગ નીચે દબાઈ ગયું.
ગામની જનસંખ્યા ૨૨૮ લોકોની છે. ૫૦ ઘરમાંથી ૧૭ ઘર દટાઈ ગયાં. ૯૩ જણને બચાવી લેવાયા, પણ બચાવકાર્ય બંધ કરી દેવાતાં બાકીનાની લાશ કાઢી શકાય નહીં.
મોત માથે આવ્યું: ઊંચા ડુંગર પરથી ભેખડ ધસી આવી ને ઈર્શાળવાડી ગામના આદિવાસીઓનાં અનેક ઘરને જમીનમાં ગરક કરી દીધાં. બીજો વિકલ્પ નહોતો એટલે નજીકની જ જમીનમાં ખાડા ખોદી મૃતકોને દફનાવવામાં આવ્યા.
Bu hikaye Chitralekha Gujarati dergisinin August 07, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Chitralekha Gujarati dergisinin August 07, 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?
જાણકારો કહે છે કે ભારત તથા આફ્રિકન રાષ્ટ્રોને વિકાસની દૃષ્ટિએ પોતાના સમોવડિયા બનતાં રોકવા માટે વિકસિત દેશોનું પાછલાં ૧૦૦ વર્ષનું સૌથી મોટું સૅમ એટલે ક્લાઈમેટ ચેન્જ.
ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ
રાજ્યમાં જૂની વર્ક્સ મિલકતોની તકરાર અને નવી વક્ત મિલકત માટે દાવા અચાનક વધ્યા છે. અલ્લાહને સમર્પિત મિલકત માટે નૈતિક અને કાનૂની આચરણ સામે હવે સવાલ કેમ ઊભા થાય છે?
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.