
નાર્સિસસ એ ગ્રીક પૌરાણિક કથાઓનું એક રસપ્રદ પુરુષપાત્ર છે, જે એટલો સુંદર હતો કે સ્વિમિંગ પૂલનાં પાણીમાં ઝીલાતા એના શરીર સાથે પ્રેમમાં પડ્યો હતો. સ્વાભાવિક રીતે આ એકતરફી પ્રેમ એને ક્યાંય ન લઈ ગયો. એ પોતાને સ્વિમિંગ પૂલથી દૂર ન ખેંચી શક્યો, નિરાશામાં ડૂબી ગયો અને આખરે તરસ અને ભૂખમરાથી મરી ગયો. કહેવાય છે કે એનું શબ ફૂલોમાં ફેરવાઈ ગયું, જે આજે પણ નાર્સિસસ ફૂલના નામથી જણાય છે.
નાર્સિસિસ્ટ-આ શબ્દ જે લોકો પોતાના દેખાવથી ભ્રમિત છે અથવા પોતાને બીજા બધાથી ઉપર માનતા હોય એમના માટે સમાનાર્થી તરીકે પણ વપરાય છે. જો કે નાર્સિસિસ્ટિક પર્સનાલિટી ડિસઑર્ડર એ એક માનસિક બીમારી છે. વધુ સ્પષ્ટ રીતે કહીએ તો આ એક વ્યક્તિત્વની અવ્યવસ્થિતતા દર્શાવે છે.
વ્યક્તિત્વના આ વિકારની અસર વ્યક્તિના આંતરિક અનુભવોમાં, વર્તનમાં અને વિચારવાની પૅટર્નમાં દેખાય છે, જે એ વ્યક્તિના જીવનનાં બધાં જ પાસાંમાં અને સાથે સંબંધોમાં પણ ઓછા-વધતા પ્રમાણમાં દેખાય છે. નાર્સિસિસ્ટિક પર્સનાલિટી ડિસઑર્ડરનાં લક્ષણોઃ
* વ્યક્તિના વર્તનમાં ભવ્યતા (grandiosity) જોવા મળે છે-એ પોતાની જાતને સર્વશ્રેષ્ઠ માને છે.
* આવા માણસો એવા ભ્રમ સાથે જીવે છે કે લોકો એમની ઈર્ષા કરે છે. હકીકતમાં આ લોકો પોતે જ ઘણા ઈર્ષાળુ હોય છે.
Bu hikaye Chitralekha Gujarati dergisinin March 18, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Chitralekha Gujarati dergisinin March 18, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap

સંઘર્ષ અને સફળતા સુધીની સ્વાદિષ્ટ સફર
એક સમય હતો જ્યારે એ પોતાના પરિવાર માટે જ રસોઈ બનાવતાં. બાળકોને શું ભાવે છે, પતિને શું ગમશે એ પ્રમાણે જ રસોડામાં એમનું કામ શરૂ થાય. જો કે જીવનના સાડા સાત દાયકા પછી, કોવિડ સમયે એમણે અથાણાં, નાસ્તા અને ગુજરાતી થાળીના ઑર્ડર લેવાનું શરૂ કર્યું અને પછી તો ટીવી શો ‘માસ્ટર શેફ’માં ભાગ લઈ એ બધાનાં લાડીલાં બની ગયાં.

આ... અબ તો લૌટ ચલેં!
ડોનાલ્ડ ટ્રમ્પના કડક વલણ છતાં આજે પણ એવા લોકો છે, જેમને ગેરકાયદે અમેરિકા જવું છે. આ લોકોને એમ છે કે અમેરિકામાં દૂધની નદીઓ વહે છે અને ડૉલર ઝાડ પર ઊગે છે. અમેરિકા જતાંવેંત સુખ-સમૃદ્ધિ મળી જશે એવું ધારતા, અમેરિકન ડ્રીમ સાકાર કરવા લાખો-કરોડો રૂપિયા તથા જીવ જોખમમાં મૂકનારા આવા શેખચલ્લીઓ ક્યારે ચેતશે?

ગેરરીતિ સામેની લડતે ગાદી અપાવી... ગેરરીતિને લીધે ગાદી ગઈ
ભ્રષ્ટાચાર સામેના જન આંદોલનના આગેવાન તરીકે રાજકારણમાં પ્રવેશેલા અરવિંદ કેજરીવાલ પછી તો પોતે જ એના કળણમાં ખૂંપતાં ગયા અને ચાદર કરતાં પગ લાંબા કરવાની લાયમાં દિલ્હી ગુમાવી બેઠા.

મનશુદ્ધિ વગરની આપણી તનશુદ્ધિ
ગાંધીજી પાપ-પુણ્યની વાત ધર્મના અર્થમાં નહીં, પરંતુ નૈતિકતાના અર્થમાં કરતા હતા. એમના મતે મનની અશુદ્ધિ માટે સાત પાપ જવાબદાર હતાંઃ સિદ્ધાંત વગરની રાજનીતિ, શ્રમ વગરનું ધન, વિવેક વગરનું સુખ, ચરિત્ર વગરનું જ્ઞાન, નીતિ વગરનો વેપાર, માનવતા વગરનું વિજ્ઞાન અને ત્યાગ વગરની પૂજા.

નો માર્કેટિંગ
… તેમનો આભાર માનીને બહાર નીકળ્યાં, પણ ‘હવે તો બોર્ડ પણ બહાર નથી' એ તેમના વાક્ય ફરતે હજુ મન ઘૂમરાતું હતું. ‘આપણી સેલ્સ ઓફિસને બોર્ડ નહીં હોય અથવા બોર્ડ નહીં લગાવવું' એવું આપણે નક્કી કર્યું તો ?...

મજા હારમાં છે, ગજબ ગેમ છે...
જો બન્નેનાં હૈયે લગન સેમ છે હૃદય ખોલી કહી દે, ‘મને પ્રેમ છે’ હવા, વાદળો, મ્હેક કે ચાંદની મિલન બાદ ક્યાં કંઈ હતું તેમ છે.

જસ્ટ, એક મિનિટ..
વાસ્તવિકતાનો જલદીથી સ્વીકાર કરીને એવી બાબતોને પડતી મૂકીને નવી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું વધારે ડહાપણભર્યું હોય છે.

ભાંગી મારી જન્મોજનમની ખામી
ખૂબી વધારે છે કે ખામી એ ગણતરી ક્યાં કરી? જેવો હતો એવો મેં એને દિલથી અપનાવ્યો હતો.

જસ્ટ, એક મિનિટ...
કઈ તરફનો ઝુકાવ રાખવો એ જે-તે માણસના હાથની વાત છે.

સફળતાની ઠોકર વાગે ત્યારે!
તમે પહેલી વાર કાર ચલાવી હશે ત્યારે તમને યાદ હશે કે તમે અત્યંત સાવચેતીપૂર્વક ડ્રાઈવિંગ કર્યું હશે, પરંતુ જેમ જેમ કારની ગતિ વધી હશે એમ તમારો આત્મવિશ્વાસ પણ વધ્યો હશે. એ જ ગતિ અતિ આત્મવિશ્વાસ તરફ લઈ જાય છે. અકસ્માતની સંભાવના એ જ વખતે સૌથી વધુ હોય છે જ્યારે અતિ આત્મવિશ્વાસ હોય.