
શું તમે જાણો છો કે આજે દુનિયાના ૯૧ ટકા લોકો દરરોજપ્રદુષિત હવા પોતાના શ્વાસમાં સમાવે છે. એકલું અમેરિકા જ દર વર્ષે ૬.૮ કરોડ ટન કાર્બન ડાયોક્સાઈડ હવામાં ઠાલવે છે. શહેરમાં અશુદ્ધ હવા જ નસીબે લખાતી હોવા છતાં આર્થિક કારણોસર હાલ વિશ્વની અડધાથી વધુ વસતિ શહેરોમાં રહે છે. વિટંબણા એ છે કે શહેરો પૃથ્વીનો માત્ર ત્રણ ટકા ભાગ રોકે છે એટલે શહેરોની ગીચતા વિશે વિચારી જુઓ. વળી, દુનિયામાં બનતી ઊર્જામાંથી ૭૫ ટકા શહેરોમાં વપરાય છે, જ્યારે પ્રદૂષણ ફેલાવવામાં શહેરોનો ફાળો એટલો જ ઊંચો છે.
શહેરોમાં પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવામાં ભલભલી સરકારો હાંફી જાય છે. પૃથ્વી પરનું માત્ર ત્રણ ટકા પાણી પીવાલાયક છે, જેમાંથી એક ટકા પાણી જ આપણી પહોંચમાં છે, બાકીનું પાણી બરફના રૂપમાં થીજેલું, ધરતીના પેટાળમાં ઊડે રહેલું છે.
આ ઉનાળામાં ભારતનાં અમુક શહેરોમાં તાપમાન પચાસ ડિગ્રી સેલ્સિયસને આંબી ગયું છે ત્યારે વિચારવા યોગ્ય તો એ વાત છે કે પૃથ્વી ફરતે રહેલું ઓઝોનનું સ્તર જો કાયમ માટે નષ્ટ પામે તો શું થાય? આમ તો એન્ટાર્કટિકા ખંડને માથેથી ઓઝોન રૂપી છત આપણે છીનવી જ ચૂક્યા છીએ અને હવે એ ગોખલાને રિપેર કરવાનું કામ ચાલી રહ્યું છે. કદાચ ૨૦૪૦થી ૨૦૦૦ સુધીમાં એમાં સફળતા મળશે.
ઓઝોનના નાશ માટે જવાબદાર તત્ત્વોના ઉપયોગ પર લગામ કસવા ૧૯૮૭માં એક વૈશ્વિક કરાર થયો હતો, જેની અંતર્ગત અત્યાર સુધીમાં ક્લોરિન અને બ્રોમિન જેવાં હાનિકારક તત્ત્વોનો ઉપયોગ અનુક્રમે ૧૧.૫ અને ૧૪.૫ ટકા જેટલો ઓછો થયો છે. નોંધપાત્ર ગણો તો માત્ર અમુક કેમિકલના ઉપયોગ પર નિયંત્રણ લાદવાથી દર વર્ષે આશરે બે કરોડ લોકો સ્કિન કૅન્સરનો શિકાર થતાં બચી જશે.
કુદરતને છછેડો તો બદલામાં કુદરત રૂઠે જ ને! ૧૯૮૦થી અત્યાર સુધી પૃથ્વી પર દસેક હજાર કરતાં વધારે કુદરતી આફત ત્રાટકી છે, જેમાં જાનમાલને નુકસાન થયું હોય. એ સિવાય દૂર વગડામાં અથવા તો ખુલ્લા સમુદ્રમાં આવીને જતી રહેતી પ્રાકૃતિક આપદાનો સરવાળો ક્યાંય પહોંચે.
જમીન પરનું વૃક્ષોનું કવચ નાશ પામી રહ્યું છે ને આકાશ અને પાણીમાં પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે. આમ ક્યાં સુધી ચાલશે?
Bu hikaye Chitralekha Gujarati dergisinin June 17, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Chitralekha Gujarati dergisinin June 17, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap

સંઘર્ષ અને સફળતા સુધીની સ્વાદિષ્ટ સફર
એક સમય હતો જ્યારે એ પોતાના પરિવાર માટે જ રસોઈ બનાવતાં. બાળકોને શું ભાવે છે, પતિને શું ગમશે એ પ્રમાણે જ રસોડામાં એમનું કામ શરૂ થાય. જો કે જીવનના સાડા સાત દાયકા પછી, કોવિડ સમયે એમણે અથાણાં, નાસ્તા અને ગુજરાતી થાળીના ઑર્ડર લેવાનું શરૂ કર્યું અને પછી તો ટીવી શો ‘માસ્ટર શેફ’માં ભાગ લઈ એ બધાનાં લાડીલાં બની ગયાં.

આ... અબ તો લૌટ ચલેં!
ડોનાલ્ડ ટ્રમ્પના કડક વલણ છતાં આજે પણ એવા લોકો છે, જેમને ગેરકાયદે અમેરિકા જવું છે. આ લોકોને એમ છે કે અમેરિકામાં દૂધની નદીઓ વહે છે અને ડૉલર ઝાડ પર ઊગે છે. અમેરિકા જતાંવેંત સુખ-સમૃદ્ધિ મળી જશે એવું ધારતા, અમેરિકન ડ્રીમ સાકાર કરવા લાખો-કરોડો રૂપિયા તથા જીવ જોખમમાં મૂકનારા આવા શેખચલ્લીઓ ક્યારે ચેતશે?

ગેરરીતિ સામેની લડતે ગાદી અપાવી... ગેરરીતિને લીધે ગાદી ગઈ
ભ્રષ્ટાચાર સામેના જન આંદોલનના આગેવાન તરીકે રાજકારણમાં પ્રવેશેલા અરવિંદ કેજરીવાલ પછી તો પોતે જ એના કળણમાં ખૂંપતાં ગયા અને ચાદર કરતાં પગ લાંબા કરવાની લાયમાં દિલ્હી ગુમાવી બેઠા.

મનશુદ્ધિ વગરની આપણી તનશુદ્ધિ
ગાંધીજી પાપ-પુણ્યની વાત ધર્મના અર્થમાં નહીં, પરંતુ નૈતિકતાના અર્થમાં કરતા હતા. એમના મતે મનની અશુદ્ધિ માટે સાત પાપ જવાબદાર હતાંઃ સિદ્ધાંત વગરની રાજનીતિ, શ્રમ વગરનું ધન, વિવેક વગરનું સુખ, ચરિત્ર વગરનું જ્ઞાન, નીતિ વગરનો વેપાર, માનવતા વગરનું વિજ્ઞાન અને ત્યાગ વગરની પૂજા.

નો માર્કેટિંગ
… તેમનો આભાર માનીને બહાર નીકળ્યાં, પણ ‘હવે તો બોર્ડ પણ બહાર નથી' એ તેમના વાક્ય ફરતે હજુ મન ઘૂમરાતું હતું. ‘આપણી સેલ્સ ઓફિસને બોર્ડ નહીં હોય અથવા બોર્ડ નહીં લગાવવું' એવું આપણે નક્કી કર્યું તો ?...

મજા હારમાં છે, ગજબ ગેમ છે...
જો બન્નેનાં હૈયે લગન સેમ છે હૃદય ખોલી કહી દે, ‘મને પ્રેમ છે’ હવા, વાદળો, મ્હેક કે ચાંદની મિલન બાદ ક્યાં કંઈ હતું તેમ છે.

જસ્ટ, એક મિનિટ..
વાસ્તવિકતાનો જલદીથી સ્વીકાર કરીને એવી બાબતોને પડતી મૂકીને નવી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું વધારે ડહાપણભર્યું હોય છે.

ભાંગી મારી જન્મોજનમની ખામી
ખૂબી વધારે છે કે ખામી એ ગણતરી ક્યાં કરી? જેવો હતો એવો મેં એને દિલથી અપનાવ્યો હતો.

જસ્ટ, એક મિનિટ...
કઈ તરફનો ઝુકાવ રાખવો એ જે-તે માણસના હાથની વાત છે.

સફળતાની ઠોકર વાગે ત્યારે!
તમે પહેલી વાર કાર ચલાવી હશે ત્યારે તમને યાદ હશે કે તમે અત્યંત સાવચેતીપૂર્વક ડ્રાઈવિંગ કર્યું હશે, પરંતુ જેમ જેમ કારની ગતિ વધી હશે એમ તમારો આત્મવિશ્વાસ પણ વધ્યો હશે. એ જ ગતિ અતિ આત્મવિશ્વાસ તરફ લઈ જાય છે. અકસ્માતની સંભાવના એ જ વખતે સૌથી વધુ હોય છે જ્યારે અતિ આત્મવિશ્વાસ હોય.