અષાઢી બીજ એટલે ભગવાન જગન્નાથની નગરચર્યાએ નીકળવાનો અ દિવસ. દેશના પૂર્વીય તટે ઓડિશા (ઓરિસ્સા) રાજ્યનું પુરી શહેર એ જગન્નાથજીનું ધામ. પુરીની બીજી ઓળખ એટલે સોનેરી ઝાંય ધરાવતી રેતીને કારણે જાણીતો ગોલ્ડન બીચ. અષાઢી બીજે પુરીમાં લાખો લોકોના મહેરામણ વચ્ચે ભગવાન જગન્નાથની યાત્રા નીકળે. એની જેમ ગુજરાતનાં પણ અનેક શહેરોમાં રથયાત્રાનું આયોજન થાય છે. જો કે વડોદરામાં એક એવું અનોખું જગન્નાથ મંદિર આવેલું છે, જ્યાં રથયાત્રા નિમિત્તે બાળકો ભગવાનનો રથ ખેંચે છે.
વડોદરાનું આ મંદિર ૧૯૯૦માં નિર્માણ પામ્યું છે. એની પ્રાણપ્રતિષ્ઠા વડોદરા રાજપરિવારના પ્રિન્સ અશોકરાજે ગાયકવાડ અને રાણી દેવિયાની રાજે ગાયકવાડના હસ્તે કરવામાં આવી હતી. આજે પણ આ મંદિરનું સંચાલન રાણીસાહેબા દેવિયાની રાજે ગાયકવાડ જ કરે છે.
Bu hikaye Chitralekha Gujarati dergisinin July 15, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Chitralekha Gujarati dergisinin July 15, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
રોગની ચિંતા કે ચિંતાનો રોગ?
ત્યાગ વિના પ્રેમ શક્ય છે એવું માનનારા પ્રેમ કરવાની ક્ષમતાનો જ ત્યાગ કરે છે...
શૅરબજારમાં ઝટ રોકડી કરી લેવાની લાયમાં લૂંટાવું છે?
...તો, સોશિયલ મિડિયાના માર્ગે લૂંટતા લોકોની જાળમાં ફસાતા જાવ. આકર્ષક-ઊંચા વળતરની વાત અને વાયદામાં ફસાતાં જવાના કિસ્સા સતત વધતા જાય છે, જેના ઉકેલની જવાબદારી કોઈ લઈ શકે એમ નથી. તમે ભૂલ કરો અને તમે જ ભોગવો એવી આ સીધી વાત છે...
મન્કીપોક્સના વાનરવેડાથી સાવધાન
જેનો ઉદ્ભવ વાંદરાઓમાંથી જ થયો હશે કે કેમ એની ખાતરી નથી એ મન્કીપોક્સ અથવા એમપોક્સ એક ચેપી રોગ છે. ઝડપથી સંક્રમિત થતા આ રોગનાં લક્ષણો તો સામાન્ય બીમારી જેવાં છે અને એમાંથી સાજા થવું પણ બહુ અઘરું નથી, છતાં આ રોગનો ચેપ કોવિડની જેમ આખી દુનિયામાં ન ફેલાય એના માટે પૂરતી સાવચેતી રાખવી આવશ્યક છે.
હોસ્પિટલ પણ મહિલા તબીબ માટે સલામત ન હોય ત્યારે...
સમાન તક-સમાન હક માગવા માટે સ્ત્રીની મજાક ઉડાડતાં પહેલાં એને સુરક્ષિત માહોલ તો આપો.
માણો, હાળી પૂરણપોળીની લહેજત
પોષક તત્ત્વોથી ભરપૂર છે શક્કરિયાં-શિંગોડાં-રાજગરાની વેડમી.
ગર્ભાશયની બહાર વિક્સતો ગર્ભ સ્રી માટે જીવલેણ બની શકે
એક્ટોપિક પ્રેગ્નન્સીઃ ફળેલું સ્ત્રીબીજ યુટરસ તરફ જવાને બદલે ફેલોપિયન ટ્યૂબમાં જ મોટું થવા લાગે તો?
ગરીબ બાળકોના ચહેરા પર મુણ્ડાન એ જ જેમનો જીવનમંત્ર
શિક્ષણનું હાલ વ્યાપારીકરણ થઈ રહ્યું છે. મધ્યમ-ઉચ્ચ મધ્યમ વર્ગના લોકોને પણ બાળકોના અભ્યાસના ખર્ચા પોસાતા નથી ત્યારે રાજકોટનાં એક શિક્ષિકા ઝૂંપડામાં જઈને ગરીબ બાળકોને નિઃસ્વાર્થભાવે ભણાવે છે અને છોકરીઓને નિઃશુલ્ક સેનેટરી પૅડ ઉપલબ્ધ કરાવી એમને મેન્સ્ટ્રુઅલ સાઈકલની અને એકંદર આરોગ્ય જાળવણીની સમજ પણ આપે છે.
ગુતાલ ગામની સિકલ બદલી સરકારી શાળાએ
સર્જક સાથે સંવાદ: પુસ્તકમાં ભણાવાતી કૃતિના લેખક સાથે વિદ્યાર્થીઓની વાતચીત.
નિર્ભયા અને અભયા વચ્ચે કશું બદલાયું છે?
‘બંદૂક કે લાઈસન્સ કે લિયે આવેદન દીજિયે ઔર કારણ લિખિયેઃ ઘર મેં બેટિયાં હૈ ઔર શહર મેં હૈ જાનવર...' કોલકાતામાં એક મહિલા તબીબ પર હૉસ્પિટલમાં જ બળાત્કાર થયો અને પછી એને કાયમ માટે ખામોશ કરી દેવામાં આવી એ ઘટનાનો કાન ફાડી નાખે એવો વિરોધ થઈ રહ્યો છે. બાર વર્ષ પછી ફરી રેપ ઍન્ડ મર્ડરની એક ઘટનાએ આખા દેશને સુષુપ્ત જ્વાળામુખીની જેમ ઢંઢોળ્યો છે. આ આગ ઠરે એ પહેલાં જરૂરી છે કે પુરુષોની એક બીમારીનો ઈલાજ શોધવાની.
પ્રેમદીવાની મીરાંએ કેમ છોડ્યા હતા ગિરધર ગોપાલ?
દેશભરમાં જન્માષ્ટમીનો ભક્તિસભર માહોલ જામ્યો છે ત્યારે વાત કરવી છે મીરાં અને એના પ્રાણધન સમી કૃષ્ણની શ્યામવર્ણી અનુપમ પ્રતિમા સાથે જોડાયેલા રસપ્રદ ઈતિહાસની, જેનું મુખ્ય પાનું સૌરાષ્ટ્રના એક નાના ગામમાં ખૂલે છે.