ઈશ્વર કહો કે અલ્લાહ અથવા તો માણસ જે અલૌકિક શક્તિમાં માનતો હોય એ, એની શ્રદ્ધા તદ્દન અંગત મુદ્દો છે. એમાં દેખાડાને કે દેખાદેખીને સ્થાન ન હોઈ શકે, હોવું પણ ન જોઈએ. પોતે અતિ શ્રદ્ધાળુ છે એ પુરવાર કરવા માણસે મંદિરે, મસ્જિદે, ચર્ચમાં કે ગુરુદ્વારામાં જવાની પણ જરૂર નથી.
માનો તો ભગવાન તમારા પોતાનામાં જ વસેલા છે... એવું લગભગ દરેક ધર્મ કહે છે, પરંતુ માણસો ભગવાનની શોધમાં જુદાં જુદાં ધર્મસ્થળે જાય છે. પૂજા-અર્ચના કે બંદગી, જે કહો એ માટે ધર્મસ્થળે ન જનારી વ્યક્તિને નાસ્તિક તરીકેનું લેબલ પણ બહુ જલદી લાગી જાય છે. અમુક ધર્મસ્થળોના વ્યવસ્થાપકો પાસે તો આસપાસના વિસ્તારમાં રહેનારા પોતાના સમાજ કે સંપ્રદાયના લોકોની યાદી હોય છે. બે કે ત્રણ સપ્તાહ એમાંથી કોઈ ધર્મસ્થળે હાજરી ન પુરાવે તો એ વ્યક્તિને કે એના ઘરે સંદેશો મોકલવામાં આવે છે. ક્યારેક આવી રીતે સમાજ બહાર મૂકી દેવાની ગર્ભિત ચેતવણી આપવામાં આવતી હોય તો પણ નવાઈ નહીં.
ધર્મસ્થાનકો ઓછાં હોય એમ અમુક-તમુક વાડા કે સંપ્રદાયના ગુરુના આશ્રમ હોય. ક્યાંક કોઈકના સત્સંગ અથવા મજલિસના નામે મેળાવડા થતા હોય. જે બાબા, ગુરુ કે મોલવી-મોલાના હોય એ ધર્મ વિશે પ્રવચન આપે, પણ એમાં મોટે ભાગે ઈશ્વરપૂજા કરતાં વ્યક્તિપૂજા વધુ જોવા મળે. કોઈના થકી ઉપરવાળા સુધી જતાં ભક્તિ કે શ્રદ્ધાના આ માર્ગની પસંદ-નાપસંદ એ વ્યક્તિગત મામલો છે, પરંતુ સમસ્યા ઘણી વાર એ થાય છે કે આવા બાબા કે મોલાના બહુ મોટું માથું બની જાય છે. ભક્તો એમનો પડ્યો બોલ ઝીલવા તત્પર હોય છે. એમાં પછી શાંતિ અને સમભાવ જેવા ધર્મના મૂળ સંદેશ કોરાણે મુકાઈ જાય. ભારતમાં વર્ષો સુધી આતંક વેરનારા મોટા ભાગના યુવાનો પાકિસ્તાનમાં કોઈ ને કોઈ મૌલાનાની સભા કે મજલિસમાંથી જ હિંસા આચરવાના પાઠ શીખીને આવતા હતા ને? આમાં ક્યાં રહ્યો ધરમ? શ્રદ્ધા પર વેરઝેર અને કોમી ઝનૂનનાં પડળ જામી જાય ત્યારે આવું જ થાય. મુશ્કેલી એ છે કે આંખે બાઝેલાં પડળ માણસની દૃષ્ટિને જ નહીં, બુદ્ધિને પણ કુંઠિત કરી નાખે. એવો માણસ પછી સાચા-ખોટાનો ભેદ પારખી ન શકે. એમને તો વાતવાતમાં ઉપરવાળાનું ફરમાન કે ચમત્કાર જ દેખાય.
Bu hikaye Chitralekha Gujarati dergisinin July 22, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Chitralekha Gujarati dergisinin July 22, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.
આવા કિસ્સામાં પણ આવા ભેદભાવ કેમ?
આપણી સહાનુભૂતિ અને આપણા પ્રત્યાઘાત વર્ગ, વર્ણ અને વાડાબંધીથી પર હોવાં જોઈએ.
યુરિનરી ઈનકન્ટિનન્સઃ શરમથી સમસ્યા નહીં ઉકેલે
અનિયંત્રિત પેશાબની વ્યાધિ પાછળ વધતી ઉંમર સિવાય અન્ય કારણ પણ હોઈ શકે.