૧૩-૧૪ વર્ષ પહેલાંની વાત. મુંબઈમાં રહેતાં નમ્રતા ત્રિવેદીને એવી તો ખાંસી ઊપડી કે બંધ જ ન થાય. કફ નહીં, પણ સતત સૂકી ખાંસી. છ મહિના સુધી ડૉક્ટરોએ કફ સિરપ બદલાવ્યાં, પણ ખાંસીની ઉપાધિ ઠેરની ઠેર. પછી તો ક્ષય રોગ (ટીબી)ની શંકા પડી. સીટી સ્કેનમાં જો કે ટીબી ન આવ્યું, પણ ફેફસાંમાં તકલીફ છે એ સાબિત થયું. સ્થાનિક ચેસ્ટ સ્પેશિયાલિસ્ટ કહી દીધું કે તમે માત્ર ત્રણ વર્ષ જીવશો. એ ડૉક્ટરે લંગ ફાઈબ્રોસિસની ભારે દવા ચાલુ કરાવી. ત્રણ મહિના દવા લીધી, પણ એનાથીય કોઈ ફરક પડ્યો નહીં, ઊલટું આડઅસરમાં ત્વચા કાળી થવા માંડી.
નમ્રતા ત્રિવેદી ચિત્રલેખાને કહે છે: એક મિત્રની ભલામણથી મુંબઈના જાણીતા ચેસ્ટ સ્પેશિયાલિસ્ટ ડૉ. ઝરીર ઉદવાડિયાને દેખાડ્યું. એમણે બ્રોન્કોસ્કોપી, બાયોપ્સી અને બીજી ચકાસણીથી નિદાન કર્યું કે ફાઈબ્રોસિસ નહીં, હાઈપર-સેન્સિટિવિટી ન્યુમોનાઈટિસ (એચપી) છે, જે કબૂતરના જે સંસર્ગમાં રહેવાથી ફંગસ લાગવાને કારણે થયો છે.’
હકીકતમાં એ વખતે ઉપનગર કાંદિવલીના ઠાકુર કૉમ્પ્લેક્સમાં રહેતાં નમ્રતાબહેનની પડોશમાં એનઆરઆઈના ખાલી ફ્લૅટની બાલ્કનીમાં કબૂતરાં આવતાં. નમ્રતાબહેન એમને ચણ નાખતાં. એમાંથી ફંગસ એમનાં ફેફસાંમાં ઘૂસી ગઈ. એચપી તરીકે ઓળખાતા એ રોગની ભારે દવાઓથી એમનું વજન વધી ગયું અને હાડકાં એટલાં નબળાં પડ્યાં કે આજ સુધી ૬૦ ફ્રેક્ચર એ ભોગવી ચૂક્યાં છે! અન્ય આડઅસરને કારણે આંખમાં સફેદ છારી જામી ગઈ, એની ત્રણ વાર સર્જરી કરવી પડી. હિમોગ્લોબિન ચારથી નીચે જવાને લીધે મોતના મુખમાંથી પાછાં ફર્યાં. આ બધું ભોળાભટાક જણાતાં કબૂતર પર પ્રેમ રાખવાથી થયું.
આગળ જતાં નમ્રતા ત્રિવેદીએ મુંબઈના ડૉ. પ્રહ્લાદ પ્રભુદેસાઈના રિહેબ સેન્ટરમાં સાત વર્ષ ફેફસાંના વ્યાયામ કર્યા ત્યારે એમનો રોગ મહદંશે ઠીક થયો. હવે એમની દવા બંધ થઈ છે, પણ આ રોગ પ્રત્યેની જનજાગૃતિ ઝુંબેશ એ જોરશોરથી ચલાવી રહ્યાં છે. નમ્રતા ત્રિવેદીએ કબૂતરના સંસર્ગમાં રહેવાથી થતા ફેફસાંના રોગો પ્રત્યે લોકોને જાગ્રત કરવા એકોક્તિ પણ ભજવી. કબૂતરની સમસ્યાને કારણે એમણે ઘર બદલવું પડ્યું. અમુક જૈન કે ઈતર સોસાયટીમાં કબૂતરને જાર નાખવાનું ચાલુ હોય ત્યાંની કમિટીના હોદ્દેદારોનું હવે નમ્રતાબહેન કાઉન્સેલિંગ પણ કરે છે.
Bu hikaye Chitralekha Gujarati dergisinin July 29, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Chitralekha Gujarati dergisinin July 29, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.
આવા કિસ્સામાં પણ આવા ભેદભાવ કેમ?
આપણી સહાનુભૂતિ અને આપણા પ્રત્યાઘાત વર્ગ, વર્ણ અને વાડાબંધીથી પર હોવાં જોઈએ.
યુરિનરી ઈનકન્ટિનન્સઃ શરમથી સમસ્યા નહીં ઉકેલે
અનિયંત્રિત પેશાબની વ્યાધિ પાછળ વધતી ઉંમર સિવાય અન્ય કારણ પણ હોઈ શકે.