ચોમાસામાં વાવાઝોડું, અતિવૃષ્ટિ, ભૂસ્ખલનની ઘટના તો અનેક બને જ છે, પરંતુ અન્ય એક આફત વીજળી સ્વરૂપે ત્રાટકે છે. વીજળી પડવાથી જાનહાનિના કિસ્સા સતત વધતા જાય છે. આકાશમાંથી પ્રકાશવેગે ત્રાટકતી વીજળીનો એક શેરડો સૂર્યની સપાટી કરતાં ત્રણ ગણો વધુ ગરમ હોઈ શકે છે. ઈલેક્ટ્રિક કરન્ટની સરખામણીએ આકાશી વીજ અતિ સૂક્ષ્મ છે, પણ એના સંપર્કમાં આવનારનું હૃદય, શ્વસનતંત્ર અને મગજ પળવારમાં કામ કરતું બંધ થઈ જાય છે.જીવી જનાર વ્યક્તિ ગંભીર રીતે દાઝવા ઉપરાંત ક્યારેક થોડા સમય માટે આઘાતમાં પણ સરી જાય છે.
દુનિયાભરમાં પ્રતિ વર્ષ આશરે ૪૫,૦૦૦ લોકો આકાશી વીજનો શિકાર બને છે. દક્ષિણ અમેરિકાના નાનકડા દેશ વેનેઝુએલાસ્થિત મારાકાઈબો સરોવરની આસપાસમાં સૌથી વધુ વીજળી ખાબકે છે. અહીંના લોકો વર્ષની લગભગ ૨૬૦ રાત સતત વીજળીના ચમકારા હેઠળ વિતાવે છે. જો કે મૃત્યુદરના હિસાબે જોઈએ તો વીજળી રૂપી વિલનનો સૌથી વધુ કાળો કેર ભારત અને પછી બાંગ્લાદેશમાં નોંધાયો છે.
હમણાં ઉત્તર કાશીમાં વીજળી ત્રાટકતાં એકસાથે ૩૦ બકરાં જીવતાં ભૂંજાઈ ગયાં. બાવીસ ઓગસ્ટે મહારાષ્ટ્રના મુરબાડ તાલુકામાં એક મહિલાને વીજળી ભરખી ગઈ. તેલંગણમાં છ જણાનો વીજળીએ જાન લીધો.
આણંદ કૃષિ યુનિવર્સિટીના રિસર્ચ ઍસોસિયેટ મેહુલ વાસાણી ચિત્રલેખાને કહે છેઃ ‘ઈશાન અને મધ્ય ભારતમાં, ગંગા નદીના પટના વિસ્તારો તેમ જ મધ્ય પ્રદેશ અને બિહારમાં વીજળી પડવાનું પ્રમાણ વધારે છે. વિશ્વના અન્ય ભાગની સરખામણીએ ગ્લોબલ વૉર્મિંગની નોંધપાત્ર અસર ભારત સહિત દક્ષિણ એશિયાના દેશોમાં વધુ છે. પરિણામે ભારતનું સરેરાશ તાપમાન સતત વધી રહ્યું છે, જે વીજળીની ઘાતકતા વધારતું સૌથી મોટું કારણ છે.’
વીજળી ત્રાટકવાની સતત વધી રહેલી ઘટના અને એની ઘાતકતા પાછળ કુદરતનું અજોડ વિજ્ઞાન કારણભૂત છે. નૅશનલ ક્રાઈમ રેકૉર્ડ બ્યૂરોના સર્વેક્ષણ મુજબ વર્ષ ૨૦૨૨માં ભારતમાં ૮૦૦૦ કરતાં વધુ લોકો કુદરતી હોનારતમાં મોત પામ્યા હતા, જેમાંથી આશરે ૨૯૦૦ લોકો વીજળી પડવાને કારણે મર્યા હતા. ઢોર-ઢાંખર તેમ જ સંપત્તિનાં નુકસાનનો આંકડો તો કલ્પી શકાય એવો નથી.
Bu hikaye Chitralekha Gujarati dergisinin September 16, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Chitralekha Gujarati dergisinin September 16, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?
જાણકારો કહે છે કે ભારત તથા આફ્રિકન રાષ્ટ્રોને વિકાસની દૃષ્ટિએ પોતાના સમોવડિયા બનતાં રોકવા માટે વિકસિત દેશોનું પાછલાં ૧૦૦ વર્ષનું સૌથી મોટું સૅમ એટલે ક્લાઈમેટ ચેન્જ.
ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ
રાજ્યમાં જૂની વર્ક્સ મિલકતોની તકરાર અને નવી વક્ત મિલકત માટે દાવા અચાનક વધ્યા છે. અલ્લાહને સમર્પિત મિલકત માટે નૈતિક અને કાનૂની આચરણ સામે હવે સવાલ કેમ ઊભા થાય છે?
આમ રચાયો પેરિસમાં ઈતિહાસ!
પૅરાલિમ્પિક્સ-૨૦૨૪ ૧૭મા સમર પૅરાલિમ્પિક્સમાં ભારતનું પ્રદર્શન શાનદાર રહ્યું. આ વખતે પૅરાલિમ્પિક્સમાં ૮૪ રમતવીર ગયેલા, જેમણે દેશ માટે સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા.
કલાઈમેટ ચેન્જ ચૂંટણીનો મુદ્દો બને છે!
પૃથ્વીનો ગોળો ધગધગી રહ્યો છે. વાતાવરણ દિવસે દિવસે બગડી રહ્યું છે. જાગ્રત નાગરિક તરીકે હમણાં લોકસભા ચૂંટણી વખતે ભારતીયોએ આ મુદ્દો રાજકારણીઓ સામે મૂકવાની જરૂર હતી. આપણે તો એ કામ ન કર્યું, પરંતુ અમેરિકામાં ટ્રમ્પ-હેરિસ વચ્ચેના જંગમાં ગ્લોબલ વૉર્મિંગ મામલો ઊખળશે ખરો.
સહાનુભૂતિની પાઠશાળા બીજાના પેંગડામાં પગ ઘાલવો
સંવેદના વ્યક્તિને એની સાથેના પ્રત્યેક માણસ સાથે એક સાર્થક અને વિશ્વાસનો સંબંધ સ્થાપિત કરવામાં મદદ કરે છે. માણસો હોય ત્યાં ગેરસમજ, નારાજગી, ટકરાવ થવાં સહજ છે. એ વખતે જવાબદાર વ્યક્તિ તરીકે તમારે દરેકનાં વિચાર અને લાગણીને સમજીને સંબંધોની નૌકા તોફાનમાં ઊંધી ન વળી જાય એ જોવું પડે. એનું નામ જ સંવેદનશીલ નેતૃત્વ.
મણિપુરને ફરી સળગવા ન દો.
શાંતિ ભ્રામક હોય એમ પૂર્વોત્તરના અતિ સંવેદનશીલ સ્થિતિ ધરાવતા રાજ્યમાં ચરુ પાછો ઊકળ્યો છે. બે વાડામાં વિભાજિત પ્રજા વચ્ચે વધુ ખટરાગ થાય એ આપણી માટે નુકસાનકારક છે અને એટલે જ મામલો વધુ બગડે એ પહેલાં સમાધાન જરૂરી છે.
જસ્ટ, એક મિનિટ...
કુદરતનું કોઈ સર્જન શુકન કે અપશુકન કરાવતું નથી હોતું. એ તો આપણે જેવું વિચારીએ અને જોઈએ એવું આપણને લાગે
કરપીણ, દયનીય, અમાનવીય
ખબર નહોતી કે આપસમાં લડ્યા કરશું ને આખરમાં આ તારું, મારું, સહિયારું બધું આમ જ વીતી જાશે.
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.