ડિસ્ટોપિયા કલિયુગનાં અંધારાંમાં શ્રદ્ધાની જ્યોત :
ABHIYAAN|Abhiyaan Magazine 13/07/2024
*વર્તમાન સામાજિક-રાજકીય વ્યવસ્થાના ધ્વંસ પછી મનુષ્ય જાતિ કેવી રીતે સર્વાઇવ કરશે તેની કાલ્પનિક વિજ્ઞાનકથાઓ એટલે ડિસ્ટોપિયા. *ડિસ્ટોપિયન વિજ્ઞાનકથાઓ વિષાદી અને કંપાવનારું ભવિષ્ય ઊભું કરતી હોય છે. *કોરોના કાળમાં જનજીવન ખાસ્સું પલટાઈ ગયેલું અને ફરી નોર્મલ થશે કે નહીં, તેની ચિંતા સતાવતી હતી, ત્યારે ડિસ્ટોપિયન વિશ્વની આછી ઝલક આપણે મેળવી હતી.
સ્પર્શ હાર્દિક
ડિસ્ટોપિયા કલિયુગનાં અંધારાંમાં શ્રદ્ધાની જ્યોત :

વિશ્વની પ્રમુખ ધાર્મિક પરંપરાઓમાં અચરજ પમાડે એવા ભવિષ્યકથન મળી આવે છે, જેમાંનું એક છે પ્રલય, મહાવિનાશ, એકાર્ણવ, કયામત, લાસ્ટ જજમૅન્ટ કે સંસારના સમૂળા વિનાશની કલ્પનાઓનું કથન. વૈદિક પરંપરાની, કલ્પને અંતે જગતનો નાશ થવાની અને કલિયુગના અંતે કલ્કિના આગમનની કથાઓથી આપણે પરિચિત છીએ. બાઇબલના ‘પ્રકટીકરણ' પુસ્તકમાં સૃષ્ટિના અંતે ન્યાયના દિવસે આવના૨ા તથા દુષ્ટતાના વિજય, યુદ્ધો, દુકાળ, જનસંહારના પ્રતીક એવા ચાર અસવારોનો ઉલ્લેખ છે. ઍસ્કટૉલૉજી અર્થાત્ સંસારના અંત પછીની સ્થિતિ વિશેનું શાસ્ત્ર. પુરાણોમાંનું ઍકૅટૉલૉજી પ્રલયના ચાર પ્રકારો ગણાવે છે. નોર્મલ લાઇફમાં નાનું-મોટું જે કશું પણ નાશ પામતું રહે એ ઘટનાઓ નિત્યપ્રલય. બ્રહ્માના એક દિવસના અંતે થતો ત્રિલોકનો ક્ષય એટલે નૈમિત્તિક કે બ્રહ્મપ્રલય. અંતે, સમષ્ટિમાં જે કંઈ પણ વિદ્યમાન છે, એ સઘળું પરમાત્મામાં લીન થઈને એક થઈ જાય એ મહાન ઘટના આત્યંતિક અથવા પ્રાકૃતપ્રલય. નિત્યપ્રલયની શ્રેણીમાં સભ્યતાઓ કે સમાજના પતનની કલ્પના પણ સમાવી શકાય.

વિશ્વની વર્તમાન સામાજિક કે રાજકીય વ્યવસ્થાઓનો ધ્વંસ થાય એ પછી મનુષ્યજાતિ કેવી રીતે સર્વાઇવ કરશે, એની કલ્પનાઓને પશ્ચિમની વિજ્ઞાનકથાઓ દાયકાઓથી રમાડતી આવી છે. સંહારકાળ પશ્ચાતના ખસ્તાહાલ વિશ્વ કે સમાજ માટે વિજ્ઞાનકથાઓમાં શબ્દ છે ‘ડિસ્ટોપિયા’. આદર્શ સમાજ વ્યવસ્થા કે રામરાજ્યની કલ્પના યાને ‘યુટોપિયા'નું વિરોધી એવું ઍન્ટિ-યુટોપિયા અથવા ડિસ્ટોપિયા પશ્ચિમ વિજ્ઞાનકથાઓની પ્રિય પૃષ્ઠભૂમિમાંનું એક રહ્યું છે. ડિસ્ટોપિયન જોન્નામાં એવા ભવિષ્યનું વાર્તાવિશ્વ હોય છે, જ્યાં માનવીય કે પ્રાકૃતિક, કોઈ પ્રકારે વિશ્વની સુવ્યવસ્થા ડહોળાઈ ગઈ હોય, અરાજકતા અને કુશાસન હાવી થઈ ગયા હોય. ડિસ્ટોપિયન વિજ્ઞાનકથાઓ હાલની સામાજિક-રાજકીય સમસ્યાઓ અને એમાં રહેલાં ભયસ્થાનોમાંથી પ્રેરણા લઈને વિષાદી અને કંપાવનારું ભવિષ્ય ઊભું કરતી હોય છે.

هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 13/07/2024 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 13/07/2024 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من ABHIYAAN مشاهدة الكل
તિરુપતિ પ્રસાદના ઘીનાં ટેન્કર જીપીએસ સિસ્ટમથી સજ્જ
ABHIYAAN

તિરુપતિ પ્રસાદના ઘીનાં ટેન્કર જીપીએસ સિસ્ટમથી સજ્જ

નંદિનીનું વડું મથક જીપીએસ સિસ્ટમ મારફત ટૅન્કરો પર નજર રાખશે. ટૅન્કરો પર ગોઠવવામાં આવેલ ઇલેક્ટ્રોનિક લૉકને માત્ર વડામથક દ્વારા મોકલવામાં આવેલ ઓટીપી દ્વારા જ ખોલી શકાશે

time-read
2 mins  |
Abhiyaan Magazine 05/10/2024
હૃદય એટલે ભૌતિક અર્થમાં અંગ અને અભૌતિક અર્થમાં અનુભૂતિ...
ABHIYAAN

હૃદય એટલે ભૌતિક અર્થમાં અંગ અને અભૌતિક અર્થમાં અનુભૂતિ...

એક એવી કથા છે કે ભગવાને સૃષ્ટિની રચના કરી અને બધી વસ્તુઓ યોગ્ય જગ્યા પર ગોઠવી. એમાં છેલ્લે સત્ય વધ્યું, ઘણું વિચાર્યા બાદ ભગવાને સત્યને માણસના હૃદયમાં મૂક્યું !

time-read
3 mins  |
Abhiyaan Magazine 05/10/2024
ગ્રીનકાર્ડ મેળવવાનો એક વધુ રસ્તો
ABHIYAAN

ગ્રીનકાર્ડ મેળવવાનો એક વધુ રસ્તો

ઇમિજેટ રિલેટિવ કેટેગરી હેઠળ પુખ્ત વયનાં અમેરિકન સિટીઝન સંતાનો એમનાં માતા-પિતા માટે અને અમેરિકન સિટીઝનો એમની પત્ની યા પતિ માટે ગ્રીનકાર્ડ મેળવી શકે છે

time-read
3 mins  |
Abhiyaan Magazine 28/09/2024
બિજ-થિંગ.
ABHIYAAN

બિજ-થિંગ.

‘કુમાર’ની સો વર્ષની કલા-સંપદા

time-read
5 mins  |
Abhiyaan Magazine 28/09/2024
લાફ્ટર વાઇરસ
ABHIYAAN

લાફ્ટર વાઇરસ

...અને શાસ્ત્રીય સંગીતને અમે ભારે પડ્યા..!

time-read
5 mins  |
Abhiyaan Magazine 28/09/2024
કચ્છમાં મળી નવી વનસ્પતિ
ABHIYAAN

કચ્છમાં મળી નવી વનસ્પતિ

જૈવવિવિધતા ધરાવતું કચ્છ સંશોધકો માટે વિપુલ તકો પૂરી પાડે છે. તાજેતરમાં જ વનસ્પતિશાસ્ત્રના અધ્યાપકોએ લખપત તાલુકામાંથી વનસ્પતિની તદ્દન નવી જ, વિશ્વમાં ક્યાંય નોંધાઈ ન હોય અને જેનું અસ્તિત્વ જોખમમાં છે, તેવી વનસ્પતિ શોધી કાઢી છે. આ વનસ્પતિ પથરાળ જમીન અને સૂકા વિસ્તારમાં ઊગે છે. તે આ વિસ્તારની ઇકોલૉજી માટે ખૂબ મહત્ત્વની છે. પશુઓ તેને ખાતા નથી, પરંતુ તે મધમાખી સહિતના અન્ય જીવજંતુઓ માટે તે આધારરૂપ છે. તેના સંવર્ધન માટે પ્રયત્ન થવો જોઈએ. આ વનસ્પતિના ઔષધીય ઉપયોગ માટે સંશોધન થવું જોઈએ.

time-read
5 mins  |
Abhiyaan Magazine 28/09/2024
વિવાદ
ABHIYAAN

વિવાદ

ચાઇનીઝ લસણ સામે સૌરાષ્ટ્રના ખેડૂતોના વિરોધનું કારણ શું?

time-read
2 mins  |
Abhiyaan Magazine 28/09/2024
ભેજનું પ્રમાણ વધવાથી કફ, શ્વાસ, દમનો હુમલો આવે છે
ABHIYAAN

ભેજનું પ્રમાણ વધવાથી કફ, શ્વાસ, દમનો હુમલો આવે છે

કફ વિકૃતિનું મુખ્ય કારણ બને છે. તેથી જમ્યા પછી પાણી પણ પીવાની મનાઈ છે, જે કફકારક છે. જમ્યા પહેલાં પાણી પીએ તો પથ્થરસમાન છે, જમ્યા પછી પીએ તો ઝેરસમાન છે અને જમતી વખતે પીએ તો અમૃતસમાન છે

time-read
4 mins  |
Abhiyaan Magazine 28/09/2024
હેલ્થ સ્પેશિયલ
ABHIYAAN

હેલ્થ સ્પેશિયલ

નાની ઉમરના લોકોમાં કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે

time-read
7 mins  |
Abhiyaan Magazine 28/09/2024
સ્વાસ્થ્ય પ્રત્યેની બેદરકારીનું પરિણામ એટલે મેટાબોલિક સિન્ડ્રોમ
ABHIYAAN

સ્વાસ્થ્ય પ્રત્યેની બેદરકારીનું પરિણામ એટલે મેટાબોલિક સિન્ડ્રોમ

*આપણે જે ભોજન આરોગીએ છીએ તેમાં રહેલાં પોષક તત્ત્વોને ઊર્જામાં બદલવાનું કામ મેટાબૉલિઝમ કરે છે. *મેટાબૉલિક સિન્ડ્રોમ વ્યક્તિની કુટેવો, સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી, મેદસ્વિતા, શારીરિક શ્રમનો અભાવ, વ્યાયામ ન કરવાનો સ્વભાવ અને વધુ પડતા તાણવાળા સ્વભાવને કારણે થાય છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 28/09/2024