કહેવાય છે કે, બાળકનો જન્મ થાય એટલે છઠ્ઠા દિવસે આ દેખીતી વિધાતા તેના લેખ લખે છે. તેનું કોઈ દેખીતું પ્રમાણ નથી. વાત આસ્થાની છે, પણ વ્યક્તિ જીવનના પ્રતિપળ પોતાના લેખ જાતે લખતો હોય છે. વાતને કોઈ પ્રમાણની પણ જરૂર નથી. પોતાના કલાત્મક પદચાપ વડે જેમણે પોતાના જીવનની સુંદર ભાત ઊપસાવી છે, તેવાં ભારતીય શાસ્ત્રીય નૃત્યકાર સ્મિતા શાસ્ત્રીનું નામ ખૂબ જાણીતું છે. અમદાવાદની ભૂમિ ૫૨ વસતાં કલારત્નો, જેમની આભા અને પ્રતિભાનો વ્યાપ દેશ-દેશાંતર સુધી ફેલાયેલો છે, તેમાં તેમનું નામ પ્રથમ પંક્તિમાં ઝળહળે છે. સિત્તેર વર્ષથી તેમની કારકિર્દીનો સૂર્ય મધ્યાહ્ને સ્થિર છે. તેઓ એક ઉત્કૃષ્ટ નૃત્યકાર તો છે જ, પરંતુ તેમનાં કાર્યો થકી તેઓ સ્વયં કલાસંસ્થાન સરખી વિભૂતિ પ્રાપ્ત કરી શક્યાં છે. ભારતીય શાસ્ત્રીય નૃત્યનાં આજીવન આરાધક સુશ્રી સ્મિતા શાહનું કલા પ્રત્યેનું આગવું દર્શન અને તેમણે ખેડેલી યાત્રા ખૂબ રસપ્રદ અને પ્રેરક છે.
પરિવારમાં સાહિત્ય, સંગીત અને કલાપ્રીતિનું વાતાવરણ તો પહેલેથી જ હતું, પણ પિતા ડૉક્ટર હોવા છતાં, પોતે અભ્યાસમાં તેજસ્વી હોવા છતાં સ્મિતાબહેન નૃત્યકાર શી રીતે બન્યાં તેની પાછળ એક રોચક કથા છે. વાત જાણે એમ બનેલી કે કોઈ વર્ષો પહેલાં કોઈ જ્યોતિષે તેમના પિતાનું ભવિષ્ય ભાખેલું કે, સંતાનોમાં બે દીકરીઓ થશે. જેમાંથી એક વિશ્વવિખ્યાત નૃત્યાંગના બનશે. એ સમયે તો તેમનાં લગ્ન પણ થયાં ન હતાં. સુષુપ્તપણે તેમના મનમાં રોપાયેલો આ ભાવ સમયાંતરે દઢ થતો ગયો. સ્મિતાબહેનના જન્મ થતાં તેને પુષ્ટિ મળી. તેથી ચાર વર્ષની વયનાં સ્મિતાબહેનને તેમણે નૃત્યની તાલીમ માટે મોકલવાનું શરૂ કર્યું.
هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 13/07/2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة Abhiyaan Magazine 13/07/2024 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
વિઝા વિમર્શ,
યુએસએ વિઝા વિન્ડો (3)
કચ્છ એક્સપ્રેસ'ને અમે આજીવન યાદ રાખીશું: માનસી પારેખ ગોહિલ
કચ્છ એક્સપ્રેસ' માટે માનસી પારેખને બેસ્ટ ઍક્ટ્રેસનો ઍવૉર્ડ
પ્રકૃતિ
હવે સિંહનું નવું ઘર બનશે ભાવનગરનો બૃહદગીર વિસ્તાર
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ.
બગીચાને તરોતાજા રાખવાતી જુદી-જુદી પદ્ધતિઓ
ફેમિલી ઝોન ફેશન
ટેક્સટાઇલ વેસ્ટ અને ગ્લોબલ વોર્મિંગ રિસાઇકલ અને રિયુઝ
જગતની સુંદરતાનો મોટો માપદંડ એટલે જ્યાં નારી નિર્ભય હોય!
એક અંધારી રાત્રે એક છોકરીને બે યુવાનો લિફ્ટ આપવા ઊભા રહે છે, ત્યારે ગભરાઈને છોકરી પૂછે છે કે, ‘તમે બેઉ મને કેમ લિફ્ટ આપવા માગો છો?' બેઉ યુવાનો કહે છે કે, ‘કેમ કે અમારાં માતા-પિતાએ સારા સંસ્કાર આપ્યા છે.'
સદીઓ પહેલાં કચ્છમાં બૌદ્ધ ધર્મનું શૈક્ષણિક કેન્દ્ર હોવાની શક્યતા
કચ્છની ધરતી પોતાના પેટાળમાં અનેક રહસ્યો ધરબીને બેઠી છે. સિંધુ સંસ્કૃતિના મહત્ત્વનાં શહેરો હજારો વર્ષો પહેલાં કચ્છમાં હતાં. અહીં બૌદ્ધ ધર્મનો પણ એક સમયે ભારે પ્રભાવ હતો. સેટેલાઇટ તસવીરોમાં ઈશાન કચ્છમાં- લખપત તાલુકામાં એંસી જેટલા બૌદ્ધ મઠો જોવા મળે છે. આટલા બધા મઠો એક સાથે હોવાનો અર્થ ત્યાં શિક્ષણનું મોટું કેન્દ્ર હતું તેવો થઈ શકે. આ અંગે હજુ સુધી કોઈ વિશેષ સંશોધન થયું નથી, પરંતુ કચ્છની ધરતીમાં દટાયેલાં નગરો અને સિંધુ સંસ્કૃતિ તથા તે પછીના સમયની વસાહતો જોતાં અહીં જો સંશોધન થાય તો ચોક્કસ કચ્છના ઇતિહાસમાં વધુ એક નવી દિશા જોવા મળી શકે.
પ્રવાસન
રંગદુમ બૌદ્ધ મઠ : લદ્દાખ
કચ્છમાં વાવાઝોડું નુકસાનીની સાથે-સાથે મહેરબાની પણ
ડીપ-ડિપ્રેશનના કારણે પડેલા સચરાચર વરસાદના પગલે કચ્છનાં નદી, નાળાં, ડેમ, તળાવો છલકાઈ ગયાં છે. જેનો લાભ ખેતીને થશે, ભૂગર્ભજળ ઊંચા આવશે. જોકે સતત વરસતા વરસાદે ચારેક લોકોએ જીવ ગુમાવ્યા છે, રસ્તાઓને ભારે હાનિ પહોંચી છે, રેલવે વ્યવહાર ખોરવાયો છે. શહેરો અને ગ્રામ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાથી જનજીવનને ભારે અસર પહોંચી છે. અમુક જગ્યાએ સંદેશાવ્યવહાર ઠપ થઈ ગયો છે. ખેતરોમાં પાણી ભરાયા છે.
મોસમ
મેઘરાજાની સૌરાષ્ટ્રમાં ક્યાંક મહેર તો ક્યાંક કહેર