ત્રણ દાયકા પહેલાં શોધાયેલી ધોળાવીરાની પથ્થરની ખાણ હવે રક્ષિત થઈ
ABHIYAAN|Sambhaav METRO 19-10-2024
ધોળાવીરામાં હજારો વર્ષો પહેલાં વસતાં લોકોએ નજીકમાં જ મળતાં સારા પથ્થરોનો ઉપયોગ પોતાના શહેરના બાંધકામ માટે કર્યો હતો. પથ્થરોનાં મણકા, વજનિયાં બનાવતાં હતાં. ૧૦૦ કિલો કે તેથી વધુ વજનના પથ્થરોને યોગ્ય ઘાટ આપીને, ઘડીને તેની નિકાસ સિંધુ સભ્યતાનાં અન્ય શહેરો, મેસોપોટામિયા સુધી કરાતી હોવાના પુરાવા મળ્યા છે. આ પથ્થરો જમીનની અંદરથી નહીં, પણ જમીન ઉપરથી જ મળતાં હતા. તેના પુરાવા આજે પણ જોવા મળે છે, અણઘડ કે અર્ધઘડ પથ્થરો તથા તે કાપતાં વધેલાં છોડિયાં ખાણની સાઇટ ઉપરથી જોવા મળે છે.
સુચિતા બોઘાણી કનર
ત્રણ દાયકા પહેલાં શોધાયેલી ધોળાવીરાની પથ્થરની ખાણ હવે રક્ષિત થઈ

૨૦૨૩માં કેન્દ્ર સરકારના ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (એ.એસ.આઈ.) દ્વારા આ ખાણ વિસ્તારને રક્ષિત સ્મારક જાહેર કરાતા તેની સુરક્ષા વધુ સારી રીતે થઈ શકશે.

સિંધુ સભ્યતાનાં પાંચ મોટાં શહેરોમાં જેની ગણના થાય છે અને જેને યુનેસ્કોની વિશ્વ વિરાસત જાહેર કર્યું છે તે ધોળાવીરા તેના સમકાલીન શહેરોથી ઘણી રીતે અલગ હતું. મોહેં-જો-દડો અને હડપ્પા જેવાં શહેરોના બાંધકામની જેમ ધોળાવીરામાં ઈંટોનું બાંધકામ જોવા મળતું નથી. અહીં પથ્થરોનો ખાસ કરીને લાઇમ સ્ટોન- ચૂનાના પથ્થરોનો ખૂબ મોટાપાયે ઉપયોગ થયો છે. અહીંની ગટર વ્યવસ્થા, પાણી સંગ્રહનું વ્યવસ્થાપન પણ તેને અન્ય નગરોથી અલગ જ ઓળખ આપે છે. જ્યારે ધોળાવીરાનું ઉત્ખનન કરાતું હતું તે સમયે અહીં નજીકમાંથી પથ્થરોની બે ખાણોના અવશેષો પણ મળી આવ્યા હતા. વન વિભાગના કબજા હેઠળની આ ખાણો અત્યાર સુધી બફર ઝોનમાં ગણાતી હતી, પરંતુ ગત વર્ષે કેન્દ્રીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (આર્કિયોલૉજિકલ સર્વે ઓફ ઇન્ડિયા- એ.એસ.આઈ.) દ્વારા તેને રક્ષિત સ્મારક જાહેર કરાઈ છે. આથી હવે આ વિસ્તારમાં બાંધકામ કે અન્ય કોઈ જ પ્રવૃત્તિઓ હાથ ધરી શકાશે નહીં કે ત્યાંથી પથ્થરો પણ ઉપાડી શકાશે નહીં. આ વિસ્તારમાં આવનારાં પ્રવાસીઓ અને અભ્યાસુઓની સુવિધા માટે બોર્ડ લગાવાશે, પરંતુ અન્ય કોઈ સગવડ વિકસાવી શકાશે નહીં. આથી પાંચેક હજાર વર્ષ જૂની આ ખાણો હાલની સ્થિતિમાં જળવાઈ રહેવાની સંભાવના વધી જાય છે. જોકે, આ ખાણ પુરાતત્ત્વવિદોના ધ્યાનમાં આવ્યાને ત્રણેક દાયકાથી વધુનો સમય વીતી ગયો છે. અત્યાર સુધી આસપાસનાં ગામોના રહેવાસી અહીંથી પથ્થરો લઈ જઈને ઘરોના બાંધકામમાં તેનો ઉપયોગ કરતા હતા. આવો ઉપયોગ હજુ પણ થઈ રહ્યો હોવાનું ચર્ચાય છે. ત્યારે આ ખાણને, ભૂતકાળની ધરોહરને યથાવત્ સ્થિતિમાં જાળવી રાખવા માટે સુરક્ષાના હજુ વધુ ઉપાયો કરવા પડશે, તે નક્કી છે.

هذه القصة مأخوذة من طبعة Sambhaav METRO 19-10-2024 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة Sambhaav METRO 19-10-2024 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من ABHIYAAN مشاهدة الكل
જગતની ગત ન્યારી
ABHIYAAN

જગતની ગત ન્યારી

માઉન્ટ એવરેસ્ટ કેમ દર વર્ષે ઊંચો વધી રહ્યો છે?

time-read
1 min  |
Sambhaav METRO 19-10-2024
જગતની ગત ન્યારી
ABHIYAAN

જગતની ગત ન્યારી

૪૮ વર્ષે નોકરી માટે કરેલી અરજી પાછી આવી

time-read
1 min  |
Sambhaav METRO 19-10-2024
વિઝા વિમર્શ.
ABHIYAAN

વિઝા વિમર્શ.

તમે આવું હવાલાનું કૌભાંડ કરો છો?

time-read
3 mins  |
Sambhaav METRO 19-10-2024
કંગના રનૌત હવે ટ્રિપલ રોલમાં!
ABHIYAAN

કંગના રનૌત હવે ટ્રિપલ રોલમાં!

કંગના રનૌત હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં આવેલા ભામ્બલા (અત્યારના સુરાજપુર) ગામમાં જન્મી છે. આજે મંડી પ્રદેશની સાંસદ છે. તેની ઈમરજન્સી' ફિલ્મ સેન્સર સર્ટિફિકેટને લઈને અટકેલી છે. તેની સફળ ફ્રેન્ચાઇઝીની આગામી ફિલ્મ ‘તનુ વેડ્સ મનુ-૩'ના પણ સમાચાર છે.

time-read
2 mins  |
Sambhaav METRO 19-10-2024
બિંજ-થિંગ
ABHIYAAN

બિંજ-થિંગ

પોલ્કા-ડૉટ્સ ક્વીન કલાકાર યાયોઈ કુસામા

time-read
6 mins  |
Sambhaav METRO 19-10-2024
સાંપ્રત
ABHIYAAN

સાંપ્રત

ટ્રમ્પ જીતશે તો મૂળ ભારતની ઉષા ખીલશે, નહીં તો કમલા તો છે જ!

time-read
5 mins  |
Sambhaav METRO 19-10-2024
ત્રણ દાયકા પહેલાં શોધાયેલી ધોળાવીરાની પથ્થરની ખાણ હવે રક્ષિત થઈ
ABHIYAAN

ત્રણ દાયકા પહેલાં શોધાયેલી ધોળાવીરાની પથ્થરની ખાણ હવે રક્ષિત થઈ

ધોળાવીરામાં હજારો વર્ષો પહેલાં વસતાં લોકોએ નજીકમાં જ મળતાં સારા પથ્થરોનો ઉપયોગ પોતાના શહેરના બાંધકામ માટે કર્યો હતો. પથ્થરોનાં મણકા, વજનિયાં બનાવતાં હતાં. ૧૦૦ કિલો કે તેથી વધુ વજનના પથ્થરોને યોગ્ય ઘાટ આપીને, ઘડીને તેની નિકાસ સિંધુ સભ્યતાનાં અન્ય શહેરો, મેસોપોટામિયા સુધી કરાતી હોવાના પુરાવા મળ્યા છે. આ પથ્થરો જમીનની અંદરથી નહીં, પણ જમીન ઉપરથી જ મળતાં હતા. તેના પુરાવા આજે પણ જોવા મળે છે, અણઘડ કે અર્ધઘડ પથ્થરો તથા તે કાપતાં વધેલાં છોડિયાં ખાણની સાઇટ ઉપરથી જોવા મળે છે.

time-read
5 mins  |
Sambhaav METRO 19-10-2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

રાવણ મૃત્યુ નહીં, મુક્તિ ઇચ્છતો હતોઃ આશુતોષ

time-read
2 mins  |
Sambhaav METRO 19-10-2024
વિશ્વની પ્રત્યેક સંસ્કૃતિમાં યુદ્ધનાં દેવી દેવતા પૂજનીય છે.
ABHIYAAN

વિશ્વની પ્રત્યેક સંસ્કૃતિમાં યુદ્ધનાં દેવી દેવતા પૂજનીય છે.

વિજયાદશમીના દિવસે શસ્ત્ર પૂજનની પરંપરા છે. આ શસ્રો સ્વરક્ષણ માટે છે. સ્વરક્ષણ માટે જ યુદ્ધ થાય છે. યુદ્ધ છે ત્યાં શસ્રો છે. શસ્ત્ર અને યુદ્ધ અભિન્ન છે. વિશ્વની પ્રત્યેક સંસ્કૃતિમાં યુદ્ધનાં દેવી-દેવતા છે અને તેની છે પૂજા-અર્ચના થાય છે. યુદ્ધનાં દેવી-દેવતા આપણું રક્ષણ કરે એ જ ઉદ્દેશ.

time-read
7 mins  |
Sambhaav METRO 19-10-2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

બિહારમાં પ્રશાંત કિશોરની નવી જનસુરાજ પાર્ટીનું ભાવિ શું?

time-read
2 mins  |
Sambhaav METRO 19-10-2024