આપણે ત્યાં એક કહેવત છે કે ગધેડો તમાકુના ખેતરમાંથી પસાર થાય તો વ્યસન ન કરે. જો કે માણસ માટે આવી ગૅરન્ટી ન આપી શકાય. આ કહેવતના આધારે આપણે એવું માનતાં હોઈએ કે મનુષ્ય સિવાયના જીવો વ્યસન કરતા નથી તો એ હકીકત નથી. ઝૂઓલૉજિસ્ટોએ એમનાં સંશોધનોમાં એવું નોંધ્યું છે કે ઘણાં પ્રાણી જંગલમાં હાજર હોય એ જે મળે એનું વ્યસન કરતાં જોવા મળે છે. હાથીઓ ભાંગનું, વાંદરા દારૂનું અને પોપટ જેવાં પક્ષી મદ્ય ફળોનું સેવન કરીને નશાની અસર હેઠળ જોવા મળે છે. મનુષ્ય પણ તો સામાજિક પ્રાણી જ છે એથી એ પણ અવનવાં વ્યસન કરીને દુઃખદાયી જીવનમાંથી ભાગી જવા પ્રયત્ન કરતો હોય છે. વયસ્ક થયા પછી માણસ પોતાની સંપૂર્ણ જાગ્રત અવસ્થામાં વ્યસન કરે તો એનાથી કદાચ ઓછું નુકસાન થતું હશે, પરંતુ કુમળી વયે વ્યસનોનો ભોગ બાળકો-તરુણો માટે વિનાશકારી જ નીવડે એ બાબતમાં કોઈ બેમત નથી.
આપણે એવી ગેરમાન્યતા ધરાવીએ છીએ કે અમેરિકા જેવા મૉડર્ન દેશ કે આફ્રિકા ખંડના કોઈ ગરીબ દેશ અથવા ભારતમાં ગરીબ-પછાત વર્ગમાં જ નાની ઉંમરમાં વ્યસનો જોવા મળે છે, પરંતુ એ હકીકત નથી. દરેક દેશ-સમાજમાં ઓછા-વત્તા અંશે તરુણો-યુવાનોમાં સસ્તા-મોંઘા નશા કરવાની કુટેવ જોવા મળે જ છે. તરુણાવસ્થા-યુવાવસ્થા એ વિકાસની સૌથી નિર્બળ અવસ્થા હોય છે, જ્યારે વ્યક્તિ આવી નકારાત્મક જાળમાં આસાનીથી ફસાઈ શકે.
هذه القصة مأخوذة من طبعة July 29, 2024 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة July 29, 2024 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
નવ વર્ષ મેં કંઈ દીકરીનાં લગ્નની ઉંમર છે?
છોકરી શારીરિક અને માનસિક રીતે પરિપક્વ ન થાય ત્યાં સુધી કોઈ પણ સંબંધમાં ‘સલામત અંતર’ રાખવું હિતાવહ છે.
સામતા પર કેમ મેળવશો અંકુશ
તમને કે બીજાને નુકસાન પહોંચાડી શકે એવું વર્તન બદલવા આટલું કરો.
ચોમાસું છે ત્યાં સુધી મકાઈ ખાઈ લો..
આમ તો હવે લગભગ બારે મહિના કૉર્ન મળે છે, પરંતુ વરસાદમાં મસાલેદાર ડૂંડાંની મજા કંઈક વિશેષ છે.
પ્રકૃતિ વચાળે તાજગીનો શ્વાસ લેવા નીકળો છો ને?
મેઘરાજાએ હેત વરસાવ્યા બાદ સૌરાષ્ટ્ર-ગુજરાતના ગ્રામ્યવિસ્તારમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠી છે. ધરતીએ લીલીછમ ચાદર ઓઢી હોય એવું દૃશ્ય હરકોઈનું મન મોહી લે છે ત્યારે કૉન્ક્રીટનાં જંગલોથી દૂર જઈને પ્રકૃતિના ખોળે રમવા વધુ ને વધુ લોકો બહાર નીકળી રહ્યા છે.
જુવાન દીકરીને જોખમ સમયે મદદ કરે એવી કોઈ ઍપ ખરી?
ઘરનાં મહિલા સદસ્યોના ફોનમાં આમાંથી કોઈ એક ઍપ અને આ બન્ને હેલ્પલાઈન નંબર છે કે નહીં એ આજે જ ચેક કરજો...
હવે પડશે દ્વારકાનો વટ...
પ્રાચીન મંદિરોમાં યાત્રાળુઓને વધુ મોકળાશ, વધુ સુવિધા, વધુ આરામ મળી રહે એ હેતુથી કાશી, મહાકાલ અને અયોધ્યાના કોરિડોર બન્યા છે. એ જ ધોરણે ગુજરાત સરકારે દ્વારકા અને બેટ દ્વારકાની કાયાપલટ કરવાનું આયોજન કર્યું છે. આગામી સમયમાં દ્વારકાધીશની નગરી કદાચ આપણે ઓળખી ન શકીએ એવી બની જાય.
તીર્થરક્ષા માટે જંગ છેડ્યો એક સાધુ... અને એક સંસારી સ્ત્રીએ
પર્યટનસ્થળ તરીકે વિકસાવવાની સાથે આવતી કેટલીક અનીતિથી જૈનોના યાત્રાધામ સમ્મેત શિખરજીને બચાવવાને લગતો કેસ આખરે વીસ વર્ષે સુપ્રીમ કોર્ટમાં ખૂલ્યો છે ત્યારે જોઈએ, આ સંકટ નિવારવા અદાલતની બહાર શું ચાલી રહ્યું છે.
ભોજનનો બગાડ અટકાવી ભૂખ્યાને ભોજન આપીએ...
ઘરે કે હોટેલમાં, કોઈ પાર્ટીમાં કે લગ્નસમારંભમાં આપણે કેટલું અન્ન વેડફીએ છીએ એનો કોઈ અંદાજ જ આપણને નથી. કમોસમી વરસાદને કારણે ખેતરમાં પલળીને બગડી જતાં કે ગોદામોમાં સરખી સાચવણને અભાવે સડી જતાં અનાજના જથ્થાના પ્રમાણ વિશે પણ આપણે અજાણ છીએ. આપણે સુધરવાનું નામ ક્યારે લેશું?
હરિશંકર પરસાઈની વ્યંગની વાંસળી
ગુજરાતી વાચકોએ હિંદી ભાષાના આ અનન્ય સર્જકનો પરિચય કેળવવા જેવો છે. એમણે ભારતીય સમાજની અને રાજનીતિની એવી સૂક્ષ્મતાઓને ઉજાગર કરી હતી, જે ભાષાની સીમા તોડીને હરેક ભારતીયનાં દિલને સ્પર્શતી હતી. આઝાદી પહેલાંના ભારતને સમજવા માટે પ્રેમચંદને અને આઝાદી પછીની પરિસ્થિતિને સમજવા માટે હરિશંકર પરસાઈને વાંચવા જરૂરી છે.
સ્ટેજ નું કૅન્સર? ડરવાની નહીં, યોગ્ય સમયે નિષ્ણાત ડોક્ટરો પાસે સારવારની જરૂર છે...
HIPEC મશીન દ્વારા કીમોથેરેપી સોલ્યુસનથી સારવાર