આ હિંદુઓનું અત્યંત પવિત્ર સ્થળ હોવાથી અહીં માંસાહારી પદાર્થો લાવવા અને સેવન કરવા પ્રતિબંધિત છે... આંધ્ર પ્રદેશમાં આવેલા શ્રી વેંકટેશ્વરા સ્વામી મંદિર અર્થાત્ આપણે જેને તિરુપતિ બાલાજી નામે ઓળખીએ છીએ એની વેબસાઈટમાં ઉપર મુજબનો આદેશ લખેલો છે. વક્રતા જુઓ કે મંદિરનો વહીવટ જેના હાથમાં છે એ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ્ (ટીટીડી) બોર્ડની જ બેજવાબદારી (કે પર્યંત્ર?)ને કારણે પાછલા કેટલાય મહિનાઓથી મંદિરના લોકપ્રિય લાડુપ્રસાદ બનાવવામાં વપરાતાં ઘીમાં ગોમેદ, સુવ્વરની ચરબી તથા વેજિટેબલ ઑઈલ હોવાનું સાબિત થયું. ચોંકાવનારી વાત એ કે આ વર્ષના આરંભે અયોધ્યાના રામમંદિરના લોકાર્પણ વખતે ટીટીડીએ આવા એક લાખ લાડુ અયોધ્યા પણ મોકલ્યા હતા.
આંધ્ર પ્રદેશના વર્તમાન મુખ્ય મંત્રી ચંદ્રાબાબુ નાયડુએ લૅબ રિપોર્ટ ટાંકીને ઘીમાં અભક્ષ્ય અને અપવિત્ર સામગ્રી હોવાનો ઘટસ્ફોટ કરતાંની સાથે જ દુનિયાભરના હિંદુઓમાં રોષ ફાટી નીકળ્યો, જેને વાચા આપવાની જવાબદારી આંધ્રના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અને લોકપ્રિય અભિનેતા પવન કલ્યાણે ઉપાડી લીધી. એમણે લખ્યું:
દરેક હિંદુએ પોતાના ધર્મનું સમ્માન કરવું જોઈએ. તિરુપતિમાં જે અપરાધ થયો એ માટે તમે બધા જવાબદાર છો. મંદિરમાં એટલી બધી ગરબડ હતી છતાં તમે વિરોધ માટે ઊભા ન થયા આથી તમે સમસ્યાનો જ ભાગ છો. હું પણ તમારો જ હિસ્સો હોવાથી હું પ્રાયશ્ચિત્ત કરું છું...
હિંદીમાં ટાઈપ કરેલો આ સંદેશો સોશિયલ મિડિયા પર વાઈરલ કરીને પવન કલ્યાણ ૧૧ દિવસના ઉપવાસ પર ઊતરી ગયા. સાથે મંદિરના પૂજારીઓએ પણ શાંતિ હવન કર્યો. એમને ડ્રામેબાજ કહો કે ગમે તે, પણ આ વિશ્વપ્રસિદ્ધ મંદિરના લાડુપ્રસાદમાં વપરાયેલી અપવિત્ર સામગ્રીના વિવાદમાં રોજ રોજ નવી માહિતી આવતી જાય છે, એમાં રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી જગન મોહન રેડ્ડી અને એમના કથિત હિંદુદ્વેષની જોરદાર ટીકા થઈ રહી છે.
هذه القصة مأخوذة من طبعة October 07, 2024 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة October 07, 2024 من Chitralekha Gujarati.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
સોશિયલ મિડિયા એડિક્શનઃ તમે ભાન ભૂલી ગયા છો?
બીજાની ‘લાઈક્સ’ મેળવવાનો નશો વળગણ બની જાય એ પહેલાં ચેતો તો સારું.
આ બચૂકડાં બિયાં છે બડાં ગુણકારી
જીવનજરૂરી સત્ત્વોથી ભરપૂર સીડ્સ ઘણી બીમારી સામે આપે છે રક્ષણ.
કંઈ કરવાની જરૂરત નહોતી, પણ એને તો ઝંખના હતી સ્વઓળખ મેળવવાની
એનો જન્મ જાહોજલાલી વચ્ચે થયો. ધનાઢ્ય પિતાની એકમાત્ર દીકરી તરીકે ઉછેર પણ ભારે લાડકોડભર્યો અને પછી સાધનસંપન્ન પરિવારમાં લગ્ન. સુખસાગરથી છલોછલ આ નારીને તેમ છતાં કંઈક અધૂરપ લાગતી, હજી કંઈક ખાલીપો છે એવું લાગતું. એ ખાલી જગ્યા હતી સ્વઓળખ માટેની, જેને મેળવવા માટેની જાત સાથેની જ લડાઈ અનેક મહિલાને પ્રેરણા આપે છે.
ભારતના દિલમાં વાઘ ઉપરાંત શું શું છે જોવા જેવું?
સાતપૂડા ટાઈગર રિઝર્વ મધ્ય પ્રદેશમાં છ-છ ટાઈગર રિઝર્વ છે. જો કે એ બધાંમાં સાતપૂડાનું સ્થાન કંઈક ઔર છે. ખાસ્સો મોટો વિસ્તાર અને એમાં વન્યજીવોની ભરમાર. છોગામાં, સદીઓ અગાઉના રૉક પેન્ટિંગ્સ સાથેની અનેક ગુફા સાતપૂડાને અન્ય જંગલથી અલગ પાડે છે. વળી, એની નજીકમાં જ છે મધ્ય પ્રદેશનું કશ્મીર ગણાતું પંચમઢી હિલસ્ટેશન.
નકલી ઘી એટલે ક્ષતિ કે ષડયંત્ર?
બાલાજી મંદિર ૧૮૫૭માં ગૌમાંસની ચરબી ચોડેલા કારતૂસની અફવા પ્રસરી ત્યારે અંગ્રેજો સામે ભારતીયોએ વિપ્લવ કર્યો હતો, હવે તિરુપતિના વેંકટેશ્વરા મંદિરના લાડુપ્રસાદમાં વપરાયેલાં ઘીમાં ગાયની ચરબી તથા અન્ય વાંધાજનક સામગ્રી મળી હોવાના લૅબ રિપોર્ટથી દુનિયાભરના હિંદુઓ ખળભળી ઊઠ્યા છે. વિશ્વમાં સૌથી ધનિક ગણાતા આ બાલાજી મંદિરનું સંચાલન રાજ્ય સરકાર નિયંત્રિત બોર્ડના હાથમાં છે. નકલી ઘીનો વર્તમાન વિવાદ મોટી આગ પકડશે તો આ દેવસ્થાનમમાં ભક્તોએ ભાવથી ચઢાવેલી રોકડ ભેટનો ઉપયોગ ઈતર ધર્મીઓના તુષ્ટીકરણ માટે થતો હોવાનો અને એના વહીવટી મંડળમાં બિનહિંદુઓના સમાવેશના મુદ્દા પણ ઊછળશે જ.
વેદનાની હાઈ-ટેક વસૂલાત...
પેજર, વૉકીટૉકી બૉમ્બધડાકા, એક જ હવાઈ હુમલામાં સાડા ચારસોથી વધુ લેબનીસ નાગરિકનાં મોત... લેબેનોનમાં હિઝબુલ્લાહના વિનાશવાદીઓ સામે બદલો લેવા ઈઝરાયલે કરેલા હાઈ-ટેક અટેક પાછળ જેનું ભેજું કામ કરે છે એ યુનિટ તથા એની વિવિધ કામગીરીની અલ્પ જાણીતી વાતો.
જૂથવાદનો ગિરનારી પવન કોનું વહાણ ડુબાડશે?
ભાજપમાં એક તરફ સદસ્યતા અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે જૂનાગઢમાં જવાહર ચાવડાએ પાર્ટી સામે જાહેરમાં જંગ છેડીને પ્રદેશ નેતાગીરીને પડકારી છે.
૩૬૫ દિવસ ૨૪ કલાક ખુલ્લું રહેતું પુસ્તકાલયઃ ન કોઈ ડિપોઝિટ-ન લવાજમ
આ છે જિતુભાઈ ચૂડાસમાની તાળાં વારની લાઈબ્રેરી: અહીં તો વાચકો જ બને છે પુસ્તકોના રખેવાળ.
મન કે ઝરોખે મેં ઝાંક કર તો દેખિયે...
‘રણ સહસ્ર યોદ્ધા લડે, જીતે યુદ્ધ હજાર, પર જો જીતે સ્વયં કો, વહી શૂર સરદાર.’ અઢી હજાર વર્ષ પહેલાં ભગવાન બુદ્ધે જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ જેવા ભવરોગથી મુક્તિ પામવા સ્વયંને જીતવાની સાધના કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. સંસારની દરેક વ્યક્તિ બુદ્ધપદે ન પહોંચી શકે, પણ બુદ્ધે આપેલી વિપશ્યના સાધનાના અભ્યાસ થકી પોતાના મનને તો જીતી જ શકે. અઢી સૈકા જૂની, પણ ભારતમાંથી લુપ્ત થયેલી આ પ્રાચીન ધ્યાનપદ્ધતિને પંચાવન વર્ષ પહેલાં ફરી સ્વદેશ લઈ આવનારા સત્યનારાયણ ગોએન્કાજીએ મુંબઈમાં નિર્મિત કરેલા પગોડામાં ભગવાન બુદ્ધનો સંદેશ હવે લાઈટ ઍન્ડ સાઉન્ડ મ્યુઝિયમ રૂપે સમજવા મળે છે.
આપણે કોની પાછળ ભાગીએ છીએ?
આંબી શકતા નથી ચરણ એને એટલી ઝડપે પ્યાસ ચાલે છે એમ ચાલે છે જિંદગી જાણે જિંદગીનો રકાસ ચાલે છે.