‘એનિમલ' ફિલ્મમાં ટૂંકો રોલ હોવા છતાં ‘નેશનલ સેન્સેશન' બનેલી અભિનેત્રી તૃપ્તિ ડિમરીએ તાજેતરમાં જ મુંબઈમાં એક વૈભવી બંગલો ખરીદતાં ફરીથી ચર્ચામાં આવી છે. તૃપ્તિએ બાંદ્રામાં ૧૪ કરોડ રૂપિયાનો વૈભવી બંગલો ખરીધો છે. ત્રણ ફ્લોર ધરાવતો આ બંગલો ૨૧૯૩ સ્ક્વેર ફીટમાં ફેલાયેલો છે અને તે તૃપ્તિએ મેરી ફર્નાન્ડિસ નામના વ્યક્તિ પાસેથી ખરીધો છે. બહુ જ ટૂંકા સમયમાં અને ખાસ તો ‘એનિમલ’ ફિલ્મથી જાણીતી થયેલી તૃપ્તિ ડિમરી કોણ છે? અને તેની ‘ એનિમલ’ ફિલ્મ સુધીની સફર કેવી હતી? આવો જાણીએ.
પહાડો કી લડકી
તૃપ્તિ ડિમરી ઉત્તરાખંડના ગરવાલના સુંદર પહાડોની વચ્ચે ઊછરી છે. તેનો જન્મ ૨૩ ફેબ્રુઆરી, ૧૯૯૪ના રોજ મીનાક્ષી અને દિનેશ ડિમરીના ઘરે થયો હતો. તેણે દિલ્હી પબ્લિક સ્કૂલ, ફિરોઝાબાદમાંથી અભ્યાસ કર્યો છે. શ્રી અરબિંદો કોલેજમાંથી મનોવિજ્ઞાન વિષયમાં ગ્રેજ્યુએટ થયેલી તૃપ્તિએ બાદમાં એફ્ટીઆઈઆઈ, પુણેમાંથી અભિનયની તાલીમ લીધી છે.
પહેલી ફિલ્મ
તૃપ્તિને પહેલી વખત સની દેઓલની સાથે ૨૦૧૭માં ‘પોસ્ટર બોય્ઝ' નામની ફિલ્મમાં મોટા પડદે કામ કરવાની તક મળી હતી, પરંતુ આ ફિલ્મ ખાસ સફ્ળ થઈ નહોતી. મુખ્ય અભિનેત્રી તરીકેની તૃપ્તિની પહેલી ફિલ્મ ૨૦૧૮ની ‘લૈલા-મજનૂ' હતી, જે એક રોમેન્ટિક લ્મિ હતી અને એમાં તેણે લૈલાનો રોલ કર્યો હતો. આ ફિલ્મ અને ફિલ્મનાં ગીતોથી તૃપ્તિ અને તેના સાથી કલાકાર અવિનાશ તિવારીને થોડીઘણી ખ્યાતિ મળી હતી.
ત્યાર બાદ દર્શકોનું ધ્યાન તૃપ્તિ તરફ ખેંચાયું ‘બુલબુલ’ ફિલ્મથી, જેમાં તેણે મુખ્ય અભિનેત્રી તરીકે કામ કર્યું હતું. તેણે ભજવેલા ‘બુલબુલ’ના રોલના બધાએ ખૂબ જ વખાણ કર્યા હતા. ત્યાર પછી તેણે કરેલી ફિલ્મ 'લા'એ પણ ખાસ્સી એવી લોકચાહના અપાવી હતી. 'કલા' ફિલ્મમાં તેણે જે રીતે પોતાના રોલની લાગણીઓને પોતાના અભિનયમાં રજૂ કરી, તેના આલોચકોએ ખૂબ વખાણ કર્યા હતા. ૨૦૨૩માં આવેલી ફિલ્મ ‘એનિમલ'થી તો તૃપ્તિની લોકપ્રિયતા આસમાને પહોંચી ગઈ અને આજે તે બોલિવૂડનો એક જાણીતો ચહેરો બની ગઈ છે.
Diese Geschichte stammt aus der Abhiyaan Magazine 22/06/2024-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der Abhiyaan Magazine 22/06/2024-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
‘ઇમોશનલ હોવું' ખામી નહીં, પણ ખૂબી બનવું જોઈએ
ઉપરછલ્લી રીતે એવું માનવામાં આવે કે જેનો આઈક્યૂ તેજ હોય તે સફળ થાય, પણ ઊંડાણથી જોઈએ તો માત્ર આઈક્યૂ નહીં, પણ જેનો EQ-જેનું ઇમોશનલ પાસું બળવાન હોય તેઓ સફળ થયા છે.
બીંજ-થિંગ
કાળી સપાટી પર જડાતી રૂપેરી ભાતઃ બિદરી ધાતુકલા
પ્રવાસન
મા હાટેશ્વરીદેવી મંદિર, હાટકોટી વેલીનું સત્ત્વ
શિક્ષણ
પશ્ચિમની યુનિવર્સિટીઓમાં ભારતની તેજસ્વિતા ઝળકે છે
સોશિયલ મીડિયા
ફિલ્મ ‘મહારાજ', કરસનદાસ મૂળજીનો જય હો
સામાજિક પ્રસંગો, ડાયરા, કથા સપ્તાહમાં વધતો જતો બાઉન્સરોનો ટ્રેન્ડ
અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર જેવાં શહેરોમાં બાઉન્સર કલ્ચર આગળ વધતું જાય છે. મોભા સાથે સલામતીમાં વધારો છેલ્લાં ૧૦ વર્ષના સામાજિક પરિવર્તનમાં કારણભૂત.
ભુજનું સ્મૃતિવન વિશ્વસ્તરે ચમક્યું
૨૦૦૧ના ભૂકંપમાં મૃત્યુ પામેલાંઓની યાદમાં ભુજમાં બનાવાયેલા સ્મૃતિવનના ભૂકંપ સંગ્રહાલયને યુનેસ્કોએ વર્ષ ૨૦૨૪ માટે વિશ્વના સૌથી સુંદર સંગ્રહાલય તરીકે સ્થાન આપ્યું છે. આ સંગ્રહાલયને આ અગાઉ પણ તેના આર્કિટેક્ચર, ડિઝાઇન, સાંસ્કૃતિક મૂલ્ય, પ્રવાસી આકર્ષણ વગેરે માટે વિશ્વસ્તરે ઍવૉર્ડ મળી ચૂક્યા છે. ભુજિયા ડુંગર પર બનાવાયેલા સ્મૃતિવન ભૂકંપ સ્મારક અને સંગ્રહાલયમાં ભારતનું સૌથી મોટું સ્મારક સંગ્રહાલય, દુનિયાનું સૌથી મોટું મિયાવાકી જંગલ છે. મ્યુઝિયમમાં પૃથ્વી, ભૂકંપ, પુનર્વસન વગેરે વિશે માહિતી આપતી સાત ગૅલેરી છે. પ્રવાસીઓ માટે આ આકર્ષણનું કેન્દ્ર બનેલું છે. પોણા બે વર્ષના ગાળામાં ૯.૫૦ લાખથી વધુ લોકો આ મ્યુઝિયમની મુલાકાત લઈ ચૂક્યા છે.
કવર સ્ટોરી
નાલંદાના પતનનું એક પ્રકરણ
કવર સ્ટોરી
નવી નાલંદા યુનિવર્સિટી કેવી છે?
એનાલિસિસ
સમાજકારણ અને રાજકારણનું દ્વંદ્વયુદ્ધ રૂપાલા સામે શા માટે?