એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સ જેવા આંતરરાષ્ટ્રીય રમતોત્સવનું આયોજન કરી ચૂકેલ ભારત હવે ૨૦૩૬માં ઑલિમ્પિક રમતોત્સવનું યજમાન બનવા ઇચ્છે છે. પેરિસમાં જુલાઈના ચોથા સપ્તાહમાં શરૂ થઈ રહેલા ઑલિમ્પિક રમતોત્સવ દરમિયાન ૨૦૩૬ના ઑલિમ્પિકનો નિર્ણય થવાનો છે અને તેને માટે ભારત પણ પોતાની દાવેદારી રજૂ કરશે. ભારતમાં તેને માટે છેલ્લા કેટલાક સમયથી ઇન્ડિયન સ્પોર્ટ્સ ઑથોરિટી અંતર્ગત રચાયેલ મિશન ઑલિમ્પિક કમિટી (એમ. ઓ.સી.) તૈયારીમાં વ્યસ્ત હતી. હવે એ સમય આવી ગયો છે અને ભારતીય મિશન પેરિસ ઑલિમ્પિકમાં દાવેદારી માટે જોરશોરથી લોબિંગ કરશે. એમ.ઓ.સી.એ ઑલિમ્પિકના આયોજનનો દાવો કરવા માટેનો વિસ્તૃત રિપોર્ટ કેન્દ્રીય ખેલ મંત્રી મનસુખ માંડવિયાને સુપરત કરી દીધો છે. ૨૦૩૬માં ભારતના આંગણે ઑલિમ્પિકનું આયોજન કરવું હોય તો તેને માટે આંતરરાષ્ટ્રીય ઑલિમ્પિક સમિતિ (આઇ.ઓ.એ.)ને પ્રભાવિત કરવી પડશે. મિશન ઑલિમ્પિકના એક સભ્યના જણાવવા પ્રમાણે પેરિસ ઑલિમ્પિક દરમિયાન આઇ. ઓ.સી. સમક્ષ લોબિંગ કરવું પડશે અને અમે સમગ્ર પ્લાન સાથે તેને માટે તૈયાર છીએ.
Diese Geschichte stammt aus der Abhiyaan Magazine 13/07/2024-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der Abhiyaan Magazine 13/07/2024-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
વિઝા વિમર્શ,
યુએસએ વિઝા વિન્ડો (3)
કચ્છ એક્સપ્રેસ'ને અમે આજીવન યાદ રાખીશું: માનસી પારેખ ગોહિલ
કચ્છ એક્સપ્રેસ' માટે માનસી પારેખને બેસ્ટ ઍક્ટ્રેસનો ઍવૉર્ડ
પ્રકૃતિ
હવે સિંહનું નવું ઘર બનશે ભાવનગરનો બૃહદગીર વિસ્તાર
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ.
બગીચાને તરોતાજા રાખવાતી જુદી-જુદી પદ્ધતિઓ
ફેમિલી ઝોન ફેશન
ટેક્સટાઇલ વેસ્ટ અને ગ્લોબલ વોર્મિંગ રિસાઇકલ અને રિયુઝ
જગતની સુંદરતાનો મોટો માપદંડ એટલે જ્યાં નારી નિર્ભય હોય!
એક અંધારી રાત્રે એક છોકરીને બે યુવાનો લિફ્ટ આપવા ઊભા રહે છે, ત્યારે ગભરાઈને છોકરી પૂછે છે કે, ‘તમે બેઉ મને કેમ લિફ્ટ આપવા માગો છો?' બેઉ યુવાનો કહે છે કે, ‘કેમ કે અમારાં માતા-પિતાએ સારા સંસ્કાર આપ્યા છે.'
સદીઓ પહેલાં કચ્છમાં બૌદ્ધ ધર્મનું શૈક્ષણિક કેન્દ્ર હોવાની શક્યતા
કચ્છની ધરતી પોતાના પેટાળમાં અનેક રહસ્યો ધરબીને બેઠી છે. સિંધુ સંસ્કૃતિના મહત્ત્વનાં શહેરો હજારો વર્ષો પહેલાં કચ્છમાં હતાં. અહીં બૌદ્ધ ધર્મનો પણ એક સમયે ભારે પ્રભાવ હતો. સેટેલાઇટ તસવીરોમાં ઈશાન કચ્છમાં- લખપત તાલુકામાં એંસી જેટલા બૌદ્ધ મઠો જોવા મળે છે. આટલા બધા મઠો એક સાથે હોવાનો અર્થ ત્યાં શિક્ષણનું મોટું કેન્દ્ર હતું તેવો થઈ શકે. આ અંગે હજુ સુધી કોઈ વિશેષ સંશોધન થયું નથી, પરંતુ કચ્છની ધરતીમાં દટાયેલાં નગરો અને સિંધુ સંસ્કૃતિ તથા તે પછીના સમયની વસાહતો જોતાં અહીં જો સંશોધન થાય તો ચોક્કસ કચ્છના ઇતિહાસમાં વધુ એક નવી દિશા જોવા મળી શકે.
પ્રવાસન
રંગદુમ બૌદ્ધ મઠ : લદ્દાખ
કચ્છમાં વાવાઝોડું નુકસાનીની સાથે-સાથે મહેરબાની પણ
ડીપ-ડિપ્રેશનના કારણે પડેલા સચરાચર વરસાદના પગલે કચ્છનાં નદી, નાળાં, ડેમ, તળાવો છલકાઈ ગયાં છે. જેનો લાભ ખેતીને થશે, ભૂગર્ભજળ ઊંચા આવશે. જોકે સતત વરસતા વરસાદે ચારેક લોકોએ જીવ ગુમાવ્યા છે, રસ્તાઓને ભારે હાનિ પહોંચી છે, રેલવે વ્યવહાર ખોરવાયો છે. શહેરો અને ગ્રામ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાથી જનજીવનને ભારે અસર પહોંચી છે. અમુક જગ્યાએ સંદેશાવ્યવહાર ઠપ થઈ ગયો છે. ખેતરોમાં પાણી ભરાયા છે.
મોસમ
મેઘરાજાની સૌરાષ્ટ્રમાં ક્યાંક મહેર તો ક્યાંક કહેર