વેલી ઓફ ફ્લાવર્સ, ધરતીનું રંગીન સ્મિત
ABHIYAAN|Abhiyaan Magazine 13/07/2024
ઉત્તરાખંડ રાજ્યનું ફૂલ ગણાતું શિવજીને પ્રિય બ્રહ્મકમલ જેમ પિંડારી, રૂપકુંડ, હેમકુંડ અને કેદારનાથમાં જોવા મળે છે, તેમ અહીં પણ ઑગસ્ટ સપ્ટેમ્બરમાં જોવા મળે છે
રક્ષા ભટ્ટ
વેલી ઓફ ફ્લાવર્સ, ધરતીનું રંગીન સ્મિત

આપણે અનેક વખત રંગીન પતંગિયાઓને રંગબેરંગી ફૂલો પર ઊડતાં જોયા છે અને અનેક વખત એવા લોકોને પણ જોયા છે જેને ફૂલો માટે, ફૂલોના દેખાવ અને સુગંધ માટે અનહદ લગાવ, આદર અને પ્રેમ હોય. આવા પુષ્પપ્રેમી લોકોને એન્થ્રોફાઇલ કહેવાય છે. આવી એન્થ્રોફાઇલ વ્યક્તિઓ ફૂલોના વાયબ્રન્ટ રંગો, તેની મીઠી સુગંધો, તેની સુંદરતા અને તેના બોટોનિકલ જગતમાં એટલા ડૂબેલા રહે છે કે આવી વ્યક્તિઓના ઘરનાં આંગણાં હોય કે દીવાનખંડ હોય, ઑફિસનો કોઈ ગમતો ખૂણો હોય કે પ્રિયજનનો જન્મદિવસ હોય તેઓ તેને રંગીન ફૂલોથી અને તેની સુગંધથી તરબતર કરીને જ જંપે છે.

આવા ફ્લાવર લવર્સ માટે ખુદ ઈશ્વરે આપણા ઉત્તરાખંડના ચમૌલીમાં વેલી ઑફ ફ્લાવર્સ નામની એક આખી ૮૯ ચોરસ કિલોમીટરની ઘાટી ડિઝાઇન કરી છે, જે જુલાઈથી સપ્ટેમ્બરમાં રંગીન પર્વતીય ફૂલોથી સભર ભરેલી હોય છે.

ફૂલોની આ ઘાટી ભારતની બોટોનિકલ વન્ડરલૅન્ડ હોવા ઉપરાંત વેલી ઑફ ફ્લાવર્સ નેશનલ પાર્ક પણ છે, જે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો તાજ પહેરીને વિશ્વ પ્રવાસીઓને આકર્ષે છે.

પશ્ચિમ હિમાલયના ગઢવાલ પ્રદેશની પુષ્પાવતી રિવર વેલીમાં સ્થિત આ ફૂલોની ઘાટી ૧૦,૯૯૭ ફૂટથી ૧૨,૦૦૧ ફૂટની ઊંચાઈ પર આવેલી છે. દક્ષિણે બદ્રીનાથ, ઉત્તરે માના, પૂર્વે હેમકુંડ સાહીબ અને નંદાદેવી રાષ્ટ્રીય ઉદ્યાન અને પશ્ચિમે કેદારનાથ બાબાની હૂંફમાં રહેલી આ ફૂલોની ઘાટી આઠ કિલોમીટર લાંબી અને બે કિલોમીટર પહોળી છે. ૧૯૩૧ સુધી છુપાયેલી રહેલી આ અંતરિયાળ વેલીમાં ૧૯૩૧માં ૨૫,૪૪૬ ફૂટ ઊંચા માઉન્ટ કામેતનું સફળ એક્સ્પિડિશન પૂર્ણ કરી પાછા ફરી રહેલા ત્રણ બ્રિટિશ પર્વતારોહકો રસ્તો ભૂલ્યા અને અચાનક અહીં આવી ચડ્યા, જ્યાં આસપાસ સર્વત્ર ફૂલો જ ફૂલો હતાં. ફૂલોથી સભર દૃશ્ય ફલકનો દિલધડક નજારો જોઈને ફ્રેન્ક સ્મિથ, હોલ્ડવર્થ અને એરિક શિપ્ટને આલ્પાઇન ફૂલોથી ભરચક આ ઘાટીને વેલી ઑફ ફ્લાવર્સ એવું નામ આપ્યું, જ્યાં હવે તો વર્ષે દહાડે વીસેક હજાર પ્રવાસીઓ પહોંચે છે.

Diese Geschichte stammt aus der Abhiyaan Magazine 13/07/2024-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der Abhiyaan Magazine 13/07/2024-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS ABHIYAANAlle anzeigen
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

યુએસએ વિઝા વિન્ડો (3)

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 07/09/2024
કચ્છ એક્સપ્રેસ'ને અમે આજીવન યાદ રાખીશું: માનસી પારેખ ગોહિલ
ABHIYAAN

કચ્છ એક્સપ્રેસ'ને અમે આજીવન યાદ રાખીશું: માનસી પારેખ ગોહિલ

કચ્છ એક્સપ્રેસ' માટે માનસી પારેખને બેસ્ટ ઍક્ટ્રેસનો ઍવૉર્ડ

time-read
1 min  |
Abhiyaan Magazine 07/09/2024
પ્રકૃતિ
ABHIYAAN

પ્રકૃતિ

હવે સિંહનું નવું ઘર બનશે ભાવનગરનો બૃહદગીર વિસ્તાર

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 07/09/2024
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ.
ABHIYAAN

ફેમિલી ઝોન-ગાર્ડનિંગ.

બગીચાને તરોતાજા રાખવાતી જુદી-જુદી પદ્ધતિઓ

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 07/09/2024
ફેમિલી ઝોન ફેશન
ABHIYAAN

ફેમિલી ઝોન ફેશન

ટેક્સટાઇલ વેસ્ટ અને ગ્લોબલ વોર્મિંગ રિસાઇકલ અને રિયુઝ

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 07/09/2024
જગતની સુંદરતાનો મોટો માપદંડ એટલે જ્યાં નારી નિર્ભય હોય!
ABHIYAAN

જગતની સુંદરતાનો મોટો માપદંડ એટલે જ્યાં નારી નિર્ભય હોય!

એક અંધારી રાત્રે એક છોકરીને બે યુવાનો લિફ્ટ આપવા ઊભા રહે છે, ત્યારે ગભરાઈને છોકરી પૂછે છે કે, ‘તમે બેઉ મને કેમ લિફ્ટ આપવા માગો છો?' બેઉ યુવાનો કહે છે કે, ‘કેમ કે અમારાં માતા-પિતાએ સારા સંસ્કાર આપ્યા છે.'

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 07/09/2024
સદીઓ પહેલાં કચ્છમાં બૌદ્ધ ધર્મનું શૈક્ષણિક કેન્દ્ર હોવાની શક્યતા
ABHIYAAN

સદીઓ પહેલાં કચ્છમાં બૌદ્ધ ધર્મનું શૈક્ષણિક કેન્દ્ર હોવાની શક્યતા

કચ્છની ધરતી પોતાના પેટાળમાં અનેક રહસ્યો ધરબીને બેઠી છે. સિંધુ સંસ્કૃતિના મહત્ત્વનાં શહેરો હજારો વર્ષો પહેલાં કચ્છમાં હતાં. અહીં બૌદ્ધ ધર્મનો પણ એક સમયે ભારે પ્રભાવ હતો. સેટેલાઇટ તસવીરોમાં ઈશાન કચ્છમાં- લખપત તાલુકામાં એંસી જેટલા બૌદ્ધ મઠો જોવા મળે છે. આટલા બધા મઠો એક સાથે હોવાનો અર્થ ત્યાં શિક્ષણનું મોટું કેન્દ્ર હતું તેવો થઈ શકે. આ અંગે હજુ સુધી કોઈ વિશેષ સંશોધન થયું નથી, પરંતુ કચ્છની ધરતીમાં દટાયેલાં નગરો અને સિંધુ સંસ્કૃતિ તથા તે પછીના સમયની વસાહતો જોતાં અહીં જો સંશોધન થાય તો ચોક્કસ કચ્છના ઇતિહાસમાં વધુ એક નવી દિશા જોવા મળી શકે.

time-read
5 Minuten  |
Abhiyaan Magazine 07/09/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

રંગદુમ બૌદ્ધ મઠ : લદ્દાખ

time-read
5 Minuten  |
Abhiyaan Magazine 07/09/2024
કચ્છમાં વાવાઝોડું નુકસાનીની સાથે-સાથે મહેરબાની પણ
ABHIYAAN

કચ્છમાં વાવાઝોડું નુકસાનીની સાથે-સાથે મહેરબાની પણ

ડીપ-ડિપ્રેશનના કારણે પડેલા સચરાચર વરસાદના પગલે કચ્છનાં નદી, નાળાં, ડેમ, તળાવો છલકાઈ ગયાં છે. જેનો લાભ ખેતીને થશે, ભૂગર્ભજળ ઊંચા આવશે. જોકે સતત વરસતા વરસાદે ચારેક લોકોએ જીવ ગુમાવ્યા છે, રસ્તાઓને ભારે હાનિ પહોંચી છે, રેલવે વ્યવહાર ખોરવાયો છે. શહેરો અને ગ્રામ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાથી જનજીવનને ભારે અસર પહોંચી છે. અમુક જગ્યાએ સંદેશાવ્યવહાર ઠપ થઈ ગયો છે. ખેતરોમાં પાણી ભરાયા છે.

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 07/09/2024
મોસમ
ABHIYAAN

મોસમ

મેઘરાજાની સૌરાષ્ટ્રમાં ક્યાંક મહેર તો ક્યાંક કહેર

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 07/09/2024