આપણા દેશમાં ધાર્મિક સમારંભો, ધર્મસ્થાનો કે વિશેષ આયોજનો પર શ્રદ્ધાળુઓની ભીડની ભાગદોડથી અત્યંત દુઃખદ કહી શકાય તેવી દુર્ઘટનાઓ ઘણીવાર સર્જાઈ છે, જેમાં સેંકડો નિર્દોષ લોકો માર્યા ગયા છે. તાજેતરમાં આવી જ એક અત્યંત દર્દનાક ઘટના ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લાના સિકંદરારાઉ વિસ્તારમાં ઘટી. ત્યાંના એક ભોલેબાબાના સત્સંગ સમારોહમાં સત્સંગ પૂરો થયા પછી પબ્લિકની ભાગદોડમાં ૧૨૧ લોકોનાં મૃત્યુ થયાં, જેમાં ૧૦૦થી વધારે મહિલાઓ હતી. અનેક ઘાયલ થયા. કહે છે કે ભોલેબાબાનો કાફલો નીકળી રહ્યો હતો ત્યારે તેમની ચરણરજ (ચરણસ્પર્શ થયેલી ધૂળ) લેવા ભીડમાં દોડાદોડી થઈ. કોઈ કહે છે કે ત્યાં નળમાં જે પીવાનું પાણી આવતું હતું, તે પીવાથી કોઈ પણ રોગ નિર્મૂળ થાય છે, તેવું ચમત્કારી હોવાનું માનીને તે પાણી લેવા માટે પણ પડાપડી થયેલી! ૨૦૦ વીઘા જેટલી જમીન પર બાબાનાં દર્શન કરવા બે લાખથી વધારે મેદની ઊમટી હતી. આવા સમયે ઉત્તર પ્રદેશની સરકારના વહીવટી તંત્રએ ત્યાં માત્ર ૬૯ પોલીસ જવાનો, એક એમ્બ્યુલન્સ અને એક ફાયરબ્રિગેડનું અગ્નિશામક વાહન ફાળવ્યા હતા. એક પણ ડૉક્ટર ત્યાં ફરજ પર નહોતા. સમારંભ સ્થળ હાઇવેના કિનારે હોવા છતાં વ્યવસ્થામાં ટ્રાફિક પોલીસ માત્ર ૪ હતા!
હવે આ દુર્ઘટના પછી જે શોરબકોર સંભળાય છે, તેમાં પોલીસ અને વહીવટી તંત્રની લાપરવાહી, આયોજકોની ગુનાહિત બેદરકારી, ભોલેબાબાની નિષ્ફિકર ભૂમિકા જેવું ઘણું ઘણું સંભળાય છે. વળી, ભોલેબાબાના વકીલ તો આશ્ચર્યજનક થિયરી લઈ આવ્યા છે. તેમણે ચાર દિવસ પછી શોધી કાઢ્યું કે, કોઈએ ભોલેબાબાની ઈર્ષ્યા ખાતર ષડયંત્ર કર્યું છે, કેટલાક લોકોના ટિફિનમાંથી ઝેરીલો પદાર્થ મળ્યો છે’! સરકારે મુખ્ય સ્વયંસેવકને પકડવા એક લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું અને હવે તેણે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે. ભોલેબાબાનું નામ એફઆઈઆરમાં નથી, અને બાબા કયાં છે તેની કોઈને ખબર નથી! હવે દુર્ઘટના અંગે પોલીસ તપાસ સાથે જ હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશના વડપણ હેઠળ ત્રણ સભ્યોની એક ટીમની પણ રચના થઈ છે. સરકારે મૃતકોના પરિવારજનો અને ઘાયલોને રાહતરૂપી નાણાં ફાળવીને હાલ પૂરતો મામલો શાંત કર્યો છે.
દુર્ઘટનાઓનો વણથંભ્યો સિલસિલો :
Diese Geschichte stammt aus der Abhiyaan Magazine 20/07/2024-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der Abhiyaan Magazine 20/07/2024-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
હિડન કોસ્ટ - આ બધાનો ફોડ પાડી લેજો
શરૂઆતમાં તેઓ ખૂબ જ ઓછી ફી જણાવે છે. પછીથી ઝીણી-ઝીણી બાબત માટે તમારી આગળથી પૈસા ઉઘરાવે છે. આ કારણસર તમે જ્યારે કોઈ પણ એટર્ની, ભારતીય કે અમેરિકનને, તમારું કામ સોંપો તો એ બાબતની ચોખવટ કરી લેજો કે તેઓ જે ફી જણાવે છે એનાથી વધુ કંઈ આપવાનું રહેશે?
મૂવી ટીવી
ઑસ્કરના આંગણે ‘લાપતા લેડીઝ’
નવરાત્રી સ્પેશિયલ
ભાવનગરમાં પ્રાચીન અર્વાચીન નવરાત્રી મહોત્સવની રંગત
નવરાત્રી સ્પેશિયલ
વરસાદ! એ પણ નવરાત્રીમાં? આ તો સોનામાં સુગંધ ભળી
મઢમાં બિરાજે આશાપુરા માવડી, કચ્છ ધરાની દેવી રે...
પશ્ચિમ કચ્છના ત્રણ તાલુકા અબડાસા, લખપત, નખત્રાણાના ત્રિભેટે આવેલું મા આશાપુરાનું મંદિર લગભગ ૧૨૦૦ વર્ષ જૂનું અને માતાજીની મૂર્તિ ૨૦૦૦ વર્ષ પુરાણી હોવાનું મનાય છે. આદ્યશક્તિના આ સ્થાનકમાં સમગ્ર કચ્છની પ્રજા ભારે આસ્થા ધરાવે છે. આસો નવરાત્રી દરમિયાન દૂર દૂરથી ભાવિકો દર્શનાર્થે આવે છે, તેમાં પગપાળા આવનારા લોકોની સંખ્યા પણ નાની-સૂની હોતી નથી.
લાફ્ટર વાઇરસ
ભૂપતભાઈ : રમૂજના રાજા!
નવરાત્રી સ્પેશિયલ
કોલ્હાપુરનું શ્રી અંબાબાઈ મહાલક્ષ્મી મંદિર
માડી! તારું કંકુ ખર્યું 'ને કોસ્મોસ ઊગ્યું
બિગ-બેંગ પછી ક્ષણના સોમા ભાગની અંદર સૃષ્ટિમાં ઊર્જાનું સર્જાયેલું લાલિત્ય આજે ઍડવાન્સમાં ઍડવાન્સ એ.આઈ. પણ કલ્પના ન કરી શકે એટલું અદ્ભુત હશે
નવરાત્રી કે નવરાત્ર?
એક-એક અક્ષરનું આધ્યાત્મિક શાસ્ત્રમાં મહત્ત્વ છે. વિજ્ઞાન કે ઇજનેરીના મેથેમેટિકલ ઇક્વેશનમાં એક ઝીણું દેખાતું કશુંક બદલાઈ જાય તો કેવો મામલો બગડે? એવું શાસ્ત્રના શબ્દનું મોસ્ટલી હોય છે
સ્પોર્ટ્સ
ક્રિકેટમાં ભારતના દબદબાનો ચેપ દુનિયાને વળગ્યો ઃ યુકેમાં હન્ડ્રેડ બોલની લીગ રચાઈ