‘ગુજરાતની બેટી ને સોનાની પેટી’ જેવી કહેવત જે પ્રદેશ માટે હોય ત્યાંના મનુષ્ય અસામાન્ય રહ્યા હશે એવું ધારી શકાય. વેપારી તરીકે વિખ્યાત ગુજરાતીઓ સમંદર પાર ના જવાના સામાજિક વા ધાર્મિક ફરમાન બાજુમાં મૂકીને વિદેશમાં પ્રવાસ કરતાં હતા અને સાથે પોતાની દેશી સંસ્કૃતિનું જતન કરતાં હતા. પારસીઓ આશરે આઠમી સદીમાં આવ્યા ત્યારે સંજાણ બંદર હતું. છતાં સાગર સાથે સક્ષમ નાતો ધરાવતા ગોરાઓ ગોલ્ડન બર્ડ ઇન્ડિયા પહોંચવાનો દરિયાઈ માર્ગ શોધી શકતા ન હતા. ૧૪૯૭માં વાસ્કો દ ગામાને કાનજી માડમ આંગળી પકડાવી રસ્તો બતાવે છે. પાલઘરની વૈતરણા નદી પરથી જેનું નામ પડેલું એ જે. શેફર્ડ અને કુાં, મુંબઈની માલિકીનું જહાજ વૈતરણા ઉર્ફે હાજી કાસમની વીજળી ૧૮૮૮ની આઠમી ડિસેમ્બરે ડૂબ્યું. આજે આખા વિશ્વમાં ગુજરાતીઓ ફેલાયેલા છે. ગુજરાતનો સમુદ્ર અખાત કહેવાય છે. જે ખોદ્યા વગર બન્યો હોય તે ખાડો. મંદિર પાસેના પ્રાકૃ તિક તળાવને પણ અખાત કહેતા. સવાલ એ છે કે, ભૂલોક પરના સાત સમંદર નહીં, પણ ભવસાગર તરી જનારા એક ગુજરાતીને અખો કેમ કહેતાં?
અણીશુદ્ધ ચોખાને કચ્છીમાં અખા કહે. અક્ષત. વૈશાખ સુદ ત્રીજ એટલે અક્ષયતૃતીયાને ગુજરાતીઓ અખાત્રીજ કહે છે. ગામડામાં ઘણાં અષાઢને અખાડ કહે. આયખું અને અખંડ શબ્દ યાદ આવે. આખું કે આખો, આખી. ભાષાશાસ્ત્રીઓ કહે છે, અક્ષવાટ પરથી અખાડો શબ્દ આવ્યો. અક્ષય વટ જાણીતો શબ્દ છે. સંસ્કૃતથી ગુજરાતી સુધી આવેલા શબ્દો મોટે ભાગે પ્રાકૃત ભાષામાં થઈને આવેલા. દસાડાના સંતકવિ અખૈયો અથવા અખઈદાસનું નામ મળતું આવે છે. ઘણાં અખો અર્થાત્ આવક કે ઉત્પન્ન કહે છે, તો કોઈક ઝીણો કચરો. કહે છે કે, પારસીમાં શરીરમાંની એ નામની એક દિવ્ય શક્તિ હોય છે જે નેક કામ કરવાની અંતઃકરણને ચેતવણી આપતી હોવાનું મનાય છે. વિવેક? અખો નામ કેવી રીતે પડ્યું એ જાણી શકાતું નથી. અક્ષત, અક્ષય અને અખંડ સિવાય શક્યતા એવી છે કે ઈશ્વરીય ચૈતન્યના સાક્ષાત્કારમાં આગળ વધેલા જીવને સમજાઈ ગયું હોય કે સુખ અને દુઃખમાં જે ખ છે તે આકાશ મહાભૂતની ઉપર વિહરવું એ જ ખરી અવસ્થા, એ રીતે એમણે જે કોઈ ખમાં નથી તે અખ, એમ નામ પસંદ કર્યું હોય તેવું બને. આ વિચારવાનું કારણ શું? અખા પાસેથી શીખવાની શરૂઆત તેના નામ પરથી કરવી જોઈએ. આજે તો ગુજરાતીઓએ અખાને એક કવિ બનાવીને ફિક્સ ચોકઠાંમાં ફિટ કરી દીધો છે, બાકી એક કાળે લોકો અખામંડળીઓ બનાવી અખાના કાવ્યમાં મસ્તરામ બનવા કોશિશ કરતાં.
Diese Geschichte stammt aus der Abhiyaan Magazine 27/07/2024-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der Abhiyaan Magazine 27/07/2024-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden
દેશી વહાણોના નવા યુગનો પ્રારંભ થશે
પ્રાચીન કાળથી ભારતમાં બનતાં વહાણોનો જમાનો વીતી ગયો હોય તેમ મોટાં મોટાં બંદરો ઉપર નાનાં એવાં દેશી વહાણો દેખાતાં બંધ થયાં હતાં, પરંતુ તાજેતરમાં દીનદયાળ પોર્ટ ઑથોરિટી દ્વારા દેશી વહાણોને કાર્ગો જેટી ઉપર લાંગરવાની મંજૂરી આપીને તે માટે જગ્યાની ફાળવણી કરાઈ છે. આ વહાણો થકી નાના જથ્થાનો અને દેશનાં અન્ય બંદરો તરફનો કાર્ગો ઓછા સમયમાં, ઓછા ખર્ચામાં જઈ આવી શકશે. તેમ જ નવી રોજગારીની તકો ઊભી થશે, અર્થતંત્રમાં રૂપિયો ઝડપથી ફરતો થશે.
અવાજોનો ઓચ્છવ કરતા અતરંગી ASMR વીડિયો
*ઑટોનૉમસ સેન્સરી મેરિડિયન રિસ્પોન્સ (એએસએમઆર) આપમેળે ચરમસીમાએ પહોંચતી ઉત્તેજનાને પ્રેરનારી પ્રતિક્રિયા. આ સંજ્ઞાનો સૌથી વધુ ઉપયોગ થયો છે યુ-ટ્યૂબ પર. *૨૦૧૦માં જૅનિફર એલન નામની મહિલાએ સૌપ્રથમ આ ટર્મ કોઇન કરેલી. *ASMR વીડિયો અનેકોને કોઈ ને કોઈ પ્રકારે માનસિક રાહત આપવાનું કાર્ય કરે છે.
તમે અમને વોટ આપો, અમે તમને પૈસા સાથે પાયમાલી આપીશું
મફતની યોજનાનો અમલ કરનારાં રાજ્યો બરબાદીના માર્ગે ધકેલાઈ રહ્યાં છે, અનેક રાજ્યોમાં તેનાં આર્થિક દુષ્પરિણામો બહાર આવી રહ્યાં છે.
એનાલિસિસ.
અમેરિકાના નવા પ્રમુખ માટેની ચૂંટણી પર વિશ્વની નજર
રાજકાજ
વિદેશની ધરતી પર રાહુલ ગાંધીનાં બેજવાબદાર વિધાનો
હરિયાણામાં કોંગ્રેસ અને ‘આપ’નું ગઠબંધન થયું નહીં
રસપ્રદ વાત એ છે કે બંને પક્ષોના જોડાણના આગ્રહી રાહુલ ગાંધી અત્યારે વિદેશ પ્રવાસે છે. એ સ્થિતિમાં આમ આદમી પાર્ટીએ હરિયાણામાં ધરાર એકલે હાથે ચૂંટણી લડવી પડશે
આશીર્વાદ જેમ મળેલા અવાજને ઘોંઘાટ બનાવીશું કે નાદ?
'The Noise of Time’માં લેખક જુલિયન બર્ન્સ લખે કે, ‘સમયના ઘોઘાટનો સામનો શેનાથી કરી શકાય? માત્ર આપણા આંતરિક સંગીત વડે.’ પણ આપણા આંતરિક સંગીતને સ્વરબદ્ધ કરવાની શરૂઆત આપણા શ્વાસના અવાજને સાંભળવાથી થાય?
વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ
યુએસએ વિઝા વિન્ડો (૪)
હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’
ફિલ્મોના દરેક વિષયો પર ઝીણવટપૂર્વક સંશોધન કરી અત્યંત વિશ્વસનીય અને કડાકૂટવાળું કામ કરનાર હરીશ રઘુવંશી પાસે જે માહિતી હતી, એવી માહિતી નેશનલ આર્ચિવ ઑફ ઇન્ડિયા પાસે પણ નથી.
ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,
આહારવિજ્ઞાન સાથે જોડાયેલું પ્રોફેશન - ડાયેટિશિયન