બ્રૂટલિઝમ : કોંક્રીટના કાવ્યનું સૌંદર્ય
ABHIYAAN|Abhiyaan Magazine 03/08/2024
*પાણી પછી વિશ્વમાં સૌથી વધુ વપરાશમાં લેવાતો નક્કર પદાર્થ ક્રોંકીટ છે. *બ્રૂટલિઝમ શબ્દનાં મૂળ પડ્યાં છે ફ્રેન્ચ સંજ્ઞા બેટન-બ્રૂટ’માં. *ભારતમાં બ્રૂટલિઝમની બે જાણીતી ઇમારતોમાં એક અમદાવાદમાં બી.વી. દોશી નિર્મિત ટાગોર મેમોરિયલ હૉલ છે.
સ્પર્શ હાર્દિક
બ્રૂટલિઝમ : કોંક્રીટના કાવ્યનું સૌંદર્ય

માનવામાં આવે છે કે પાણી પછી મનુષ્યો દ્વારા સૌથી વધુ વપરાશમાં લેવાતો નક્કર પદાર્થ એટલે કોંક્રીટ. વિશ્વની પ્રત્યેક વ્યક્તિ દીઠ વર્ષે આશરે ત્રણેક ટન કોંક્રીટનો વિવિધ કાર્યોમાં ઉપયોગ થાય છે. બીજા વિશ્વયુદ્ધ પશ્ચાતના પાયમાલ થયેલા યુરોપનાં ઘણાં ખંડિત શહેરોનું નવસર્જન કે મરામતનું કાર્ય જરૂરી બનેલું, ત્યારે મુખ્યત્વે બ્રિટિશ સ્થપતિઓ ૧૯૫૦ના દાયકામાં એક નવા પ્રકારનું વાસ્તુશિલ્પ પ્રયોગમાં લાવ્યા હતા. એને કહેવાયું ‘બ્રૂટલિઝમ '. પોતાની સુંદર, ભવ્ય અને વૈભવથી છલકાતી ઇમારતો માટે વિખ્યાત યુરોપના દેશોએ વારસાને બાજુમાં મૂક્યો, કેમ કે એવું સ્થાપત્ય સર્જવા માટે સમય તથા સંસાધનો અને સેંકડો લોકોનું મરણ થયેલું એટલે માણસોની પણ અછત હતી. યુરોપના સ્થપતિઓએ ઝડપથી, ઓછા ખર્ચે અને ઓછી માનવશક્તિથી બની શકે એવું નવું સ્થાપત્ય અપનાવ્યું. પરિણામે ત્યાં કોંક્રીટનું સરળ, વિશાળ, પુનરાવર્તન પામતી ભૌમિતિક ભાત ધરાવતું, ભપકો અને કોઈ પણ પ્રકારની સાંસ્કૃતિક અસરથી અલિપ્ત હોય એવું બ્રૂટલિસ્ટ બાંધકામ સર્જવાનું શરૂ થયું. અર્વાચીન સ્થાપત્યકળામાં સમયની જરૂરિયાત પ્રમાણે આ ભલે એક નવા પ્રકારની અભિવ્યક્તિ હતી, પરંતુ સામાન્ય મનુષ્યની દૃષ્ટિએ જેને સુંદર કહેવાય, એવાં તત્ત્વોનો એમાં ખાસ્સો અભાવ હતો. જાણે કોંક્રીટના વિશાળકાય ખડકોને ગોઠવીને સર્જવામાં આવ્યું હોય એવું, આંખોને ખૂંચતું બ્રૅટલિસ્ટ બાંધકામ કળાતત્ત્વના અભાવને કારણે કદરૂપું ગણાયેલું, આજે પણ ઘણુંખરું એવું જ ગણાય છે. જોકે, હકીકતમાં છૂટલિસ્ટ સ્થાપત્યનું સૌંદર્ય નવા પ્રકારનું છે, જેને નવી દ્રષ્ટિથી જ જાણી અને માણી શકાય. ગુજરાતના સંદર્ભમાં સમજવું હોય તો અમદાવાદની પોળનાં મકાનો, હવેલીઓ કે અન્ય પરંપરાગત સ્થાપત્યની સરખામણી સદ્ગત પ્રો. બી.વી. દોશીએ ડિઝાઇન કરેલા ટાગોર મૅમોરિયલ હૉલ સાથે કરી શકાય. અમદાવાદમાં સ્થિત હોવા છતાં ટાગોર હૉલમાં આ શહેરના સ્થાપત્યની સ્પષ્ટ ઝલક નહીં મળે તથા સામાન્ય મનુષ્યની દૃષ્ટિ એમાંથી પ્રગટ થતાં સ્થાપત્યનાં સૌંદર્યને તરત ન પામી શકે.

Diese Geschichte stammt aus der Abhiyaan Magazine 03/08/2024-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

Diese Geschichte stammt aus der Abhiyaan Magazine 03/08/2024-Ausgabe von ABHIYAAN.

Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.

WEITERE ARTIKEL AUS ABHIYAANAlle anzeigen
હેલ્થ સ્પેશિયલ
ABHIYAAN

હેલ્થ સ્પેશિયલ

લિવરની કાર્યશક્તિ ક્ષીણ થતી જાય ત્યારે શું થાય છે?

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 22/02/2025
કિસી ને ભેજા હૈ ગુલાબ મુઝે
ABHIYAAN

કિસી ને ભેજા હૈ ગુલાબ મુઝે

ગુલાબનું પુષ્પ, તેનો રંગ, તેની તાજગી, તેની કોમળતા અને ઋજુતા, તેની મંદ-મંદ સુગંધ, તેની ઠંડક અને ભીનાશ - આ બધું જ જ પ્રણય-ભાવની એક દિવ્ય કવિતા સમાન હોય છે

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 22/02/2025
હેલ્થ સ્પેશિયલ
ABHIYAAN

હેલ્થ સ્પેશિયલ

પાચનતંત્ર સુધારનારાં જુદાં-જુદાં પાણી

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 22/02/2025
હેલ્થ સ્પેશિયલ
ABHIYAAN

હેલ્થ સ્પેશિયલ

એવું માનવામાં આવે છે કે શરીરનું સૌથી ઓછું ઉષ્ણતામાન સવારે ચાર વાગ્યા આસપાસ રહે છે. એ જ રીતે સવારે વર્કઆઉટના સ્થાને યોગ પર ભાર મૂકવામાં આવતો. સવારે પૂજાપાઠમાં યોગનું મહત્ત્વ રહેતું હતું

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 22/02/2025
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

દિલ્હીની ચૂંટણીનાં પરિણામોની સાઇડ ઇફેક્ટ્સ

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 22/02/2025
વિશ્લેષણ
ABHIYAAN

વિશ્લેષણ

આમ આદમીના રાજકારણની શતરંજમાં કેજરીવાલ મહાત કે સમાપ્ત!

time-read
6 Minuten  |
Abhiyaan Magazine 22/02/2025
વિઝા વિમર્શ.
ABHIYAAN

વિઝા વિમર્શ.

અમેરિકાની કઈ યુનિવર્સિટીમાં ભણવા જશો?

time-read
3 Minuten  |
Abhiyaan Magazine 08/02/2025
મનોરંજન
ABHIYAAN

મનોરંજન

ઇમર્જન્સી : લક્ષ્યવેધ વિનાની ફિલ્મ

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 08/02/2025
સેવા સંસ્થાઓનું પ્રભાવી સમ્મિલિત રૂપ
ABHIYAAN

સેવા સંસ્થાઓનું પ્રભાવી સમ્મિલિત રૂપ

ઈસાઈ મિશનરીઓનાં સેવા કાર્યોથી આપણે અભિભૂત થતા રહ્યા છીએ અને એ સાથે આપણા મનમાં એક પ્રશ્ન થતો રહ્યો છે કે આપણી ધાર્મિક-આધ્યાત્મિક સંસ્થાઓ, મઠ-મંદિરોનાં અઢળક ભંડોળ છતાં તેઓ કેમ સેવા કાર્યો કરતાં નથી? આ પ્રશ્નના ઉત્તર રૂપે અમદાવાદમાં યોજાઈ ગયેલ હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળામાં પ્રસ્તુત થયેલ તથ્યો આપણો પ્રશ્ન નિરર્થક બનાવી દે એટલાં વ્યાપક સેવા કાર્યો ચાલી રહ્યાં છે.

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 08/02/2025
વામા-વિશ્વ બ્યુટી
ABHIYAAN

વામા-વિશ્વ બ્યુટી

હોમમેડ હેર સીરમ આપશે વાળને પોષણ

time-read
2 Minuten  |
Abhiyaan Magazine 08/02/2025