
આસોસુદ એકમથી સુદ એકમથી આરંભાતા શારદીય નવરાત્ર ઘટસ્થાપન, ધૂપ-દીપ, અનુષ્ઠાન, પૂજા-આરતી, આનંદનો ગરબો, નોરતાં-નૈવેદ્ય, રાસ-ગરબા અને ગરબીનો થનગનતો માહોલ લઈને તો આવે જ છે, પરંતુ તે સાથે જ શક્તિપીઠનાં ઊર્જાવાન સ્થળો-થાનકોથી સમૃદ્ધ અષ્ટદશા શક્તિપીઠની યાદી લઈને પણ પ્રગટ થાય છે.
કહે છે કે એક વખત રાજા દક્ષ પ્રજાપતિએ યજ્ઞ કર્યો હતો, પરંતુ તેમણે આદિ દેવ શિવ અને સતી સિવાય સૌ દેવી-દેવતાઓને આ યજ્ઞ પ્રસંગનું આમંત્રણ આપ્યું હતું. પિતાની આવી ઉપેક્ષા છતાં દીકરી પાર્વતી આ યજ્ઞમાં આમંત્રણ વગર હાજર રહ્યાં, પરંતુ અપમાનિત થયાં છે એવું અનુભવાતાં તેમણે યજ્ઞકુંડમાં પ્રાણ ત્યાગી દઈ જીવનનું બલિદાન આપ્યું. આ વાતની જાણ થતાં ગુસ્સાથી ભરપૂર ભોળાનાથ પોતાનું રૌદ્રસ્વરૂપ ધારણ કરીને યજ્ઞકુંડમાં રહેલાં મા પાર્વતીના મૃત શરીરને પોતાના બાહુઓ પર ઉઠાવી ઉગ્ર તાંડવ નૃત્ય કરે છે, જેનાથી ચૌદે લોક ધ્રુજી ઊઠે છે.
એ સમયે ત્રિદેવમાંથી ભગવાન વિષ્ણુ પ્રગટ થઈ શિવના તાંડવથી શરૂ થયેલા પ્રલયને રોકવા પોતાના સુદર્શન ચક્રથી દેવી પાર્વતીના શરીરના ટુકડા કરે છે અને શક્તિ સ્વરૂપા મા ગૌરીના શરીરનાં અંગો પૃથ્વી પર વિખેરાઈને પડે છે. મા સતીના શરીરના આ ૧૦૮ ભાગ પૃથ્વી પર જ્યાં જ્યાં વિખેરાઈને પડ્યા તે આપણી શક્તિપીઠ છે.
પીઠ તંત્ર અનુસાર એમાંથી એકાવન મુખ્ય શક્તિપીઠ છે અને આદિ શંકરાચાર્યએ પરિવ્રજન દરમિયાન ૧૮ શક્તિપીઠોનાં દર્શન કર્યા, તે અષ્ટદશા એટલે અઢાર મહાશક્તિપીઠ છે, જેમાંની એક છે, મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં સ્થિત શ્રી અંબાબાઈ મહાલક્ષ્મી શક્તિપીઠ, જે શ્રી અંબાબાઈ મહાલક્ષ્મી મંદિર તરીકે પ્રખ્યાત છે અને હંમેશાં હજારો દર્શનાર્થીઓથી સભર એવું કોલાસુરની કથા સાથે જોડાયેલું આ ક૨વી૨ ક્ષેત્ર ભારતનું તીર્થસ્થાન પણ છે.
Diese Geschichte stammt aus der Abhiyaan Magazine 12/09/2024-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent ? Anmelden
Diese Geschichte stammt aus der Abhiyaan Magazine 12/09/2024-Ausgabe von ABHIYAAN.
Starten Sie Ihre 7-tägige kostenlose Testversion von Magzter GOLD, um auf Tausende kuratierte Premium-Storys sowie über 8.000 Zeitschriften und Zeitungen zuzugreifen.
Bereits Abonnent? Anmelden

રાજકાજ
ટ્રમ્પ-ઝેલેન્સ્કીના ઉગ્ર સંવાદ પછી વૈશ્વિક પરિદૃશ્ય કઈ દિશામાં?

સ્ત્રી-પુરુષ સમાનતા - મંઝિલ હજુ દૂર
આપણા દેશમાં સ્રી અને પુરુષ વચ્ચેની વિષમતા હંમેશ જોવા મળે છે.

સ્ત્રી સશક્તિકરણ સ્વપ્ન કે હકીકત?
મહિલા દિન વિશેષ

સારાન્વેષ
એમેલિયા પેરેઝ : જેન્ડરની જંજાળ, કળામાં કકળાટ

આસ્થા અમીટ છે, તેને મિટાવી ન શકાય
જે મારી બંસરી ધિક્કારતા એ માણવા લાગ્યા, સુદર્શન હાથમાં લીધા પછીનો ફર્ક તો જુઓ.

સંદર્ભ
કેજરીવાલના કેગના રિપોર્ટમાં શરાબ કૌભાંડની કહાણી

રાજકાજ
શીખવિરોધી હિંસામાં સજ્જન કુમારને બીજી વખત આજીવન કારાવાસ

માલધારીઓએ ગાંડા બાવળથી મુક્ત કર્યું ગુગરિયાણા ગામ
ગાંડા બાવળના કારણે પૂરતું ઘાસ ઊગતું નથી

રસોડાની રાણી'નો કાંટાળો ખિતાબ
કેટલીક વાતો કહેવી પડે છે, શક્ય તેટલા ઊંચા અવાજે, વારંવાર કહેવી પડે છે. ન સંભળાય ત્યાં સુધી, ન સમજાય ત્યાં સુધી કહેવી પડે છે.

રાજકાજ
શરાબ નીતિ અંગે કેગનો રિપોર્ટ કેજરીવાલની મુશ્કેલી વધારશે