૨૦૨૨થી વિમલ પાન મસાલાની જાહેરાતમાં અજય દેવગણ, શાહરુખ ખાન અને અક્ષય કુમાર દેખાતા હતા, પરંતુ લોકોની આલોચના બાદ અક્ષય કુમાર હવે આ જાહેરાતમાંથી બહાર નીકળી ગયો છે. લોકોએ અક્ષય કુમારની નિંદા કરતા લખ્યું હતું કે, ‘એક તરફ તે સ્વાસ્થ્ય જાળવવાની વાતો કરે છે અને બીજી તરફ તે વિમલ જેવા પાન મસાલા કંપનીની જાહેરાત કરે છે.' આ પ્રકારની નિંદા બાદ તેણે આ જાહેરાતમાંથી નીકળી જવાનું નક્કી કર્યું છે અને લોકોની માફી પણ માગી છે. અક્ષય કુમારના નીકળી ગયા બાદ હવે તેની ફિલ્મ ‘છોટે મિયાં બડે મિયાં'ના કો-એક્ટર ટાઈગર શ્રોફ, વિમલ પાન મસાલાની જાહેરાતમાં જોવા મળશે.
લોકોની આલોચનાનો ભોગ બન્યા બાદ અક્ષય કુમારે એક લાંબું સ્ટેટમેન્ટ આપીને લોકોની માફી માંગતા લખ્યું હતું કે, ‘હું મારા તમામ ફેન અને શુભચિંતકોની માફી માગવા ઇચ્છું છું, કારણ કે છેલ્લા તે શ મા દિવસોમાં તમારા સૌના પ્રતિભાવથી મને ઘણું જ દુ:ખ પહોંચ્યું છે. અલબત્ત, મેં તમાકુનો પ્રચાર કર્યો નહોતો અને આગળ કરીશ પણ નહીં, તેમ છતાં વિમલ પાન મસાલાની જાહેરાતમાં મારા જોડાવવાથી તમને થયેલા દુ:ખની મને કદર છે. હું પૂરી વિનમ્રતા સાથે પીછેહઠ કરું છું અને આ જાહેરાતથી મને મળેલા પૈસા દાન કરવાનું મેં નક્કી કર્યું છે. કોન્ટ્રેક્ટનો સમયગાળો છે ત્યાં સુધી જાહેરાત તે લોકો બતાવતા રહેશે. હું આપ સૌને વચન આપું છું કે ભવિષ્યમાં આવા નિર્ણય લેતી વખતે હું સજાગ રહીશ અને એના બદલામાં આપ સૌ પાસેથી શુભેચ્છાઓની અપેક્ષા છે.'
Esta historia es de la edición Abhiyaan Magazine 11/05/2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición Abhiyaan Magazine 11/05/2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
એનાલિસિસ.
અમેરિકાના નવા પ્રમુખ માટેની ચૂંટણી પર વિશ્વની નજર
રાજકાજ
વિદેશની ધરતી પર રાહુલ ગાંધીનાં બેજવાબદાર વિધાનો
હરિયાણામાં કોંગ્રેસ અને ‘આપ’નું ગઠબંધન થયું નહીં
રસપ્રદ વાત એ છે કે બંને પક્ષોના જોડાણના આગ્રહી રાહુલ ગાંધી અત્યારે વિદેશ પ્રવાસે છે. એ સ્થિતિમાં આમ આદમી પાર્ટીએ હરિયાણામાં ધરાર એકલે હાથે ચૂંટણી લડવી પડશે
આશીર્વાદ જેમ મળેલા અવાજને ઘોંઘાટ બનાવીશું કે નાદ?
'The Noise of Time’માં લેખક જુલિયન બર્ન્સ લખે કે, ‘સમયના ઘોઘાટનો સામનો શેનાથી કરી શકાય? માત્ર આપણા આંતરિક સંગીત વડે.’ પણ આપણા આંતરિક સંગીતને સ્વરબદ્ધ કરવાની શરૂઆત આપણા શ્વાસના અવાજને સાંભળવાથી થાય?
વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ
યુએસએ વિઝા વિન્ડો (૪)
હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’
ફિલ્મોના દરેક વિષયો પર ઝીણવટપૂર્વક સંશોધન કરી અત્યંત વિશ્વસનીય અને કડાકૂટવાળું કામ કરનાર હરીશ રઘુવંશી પાસે જે માહિતી હતી, એવી માહિતી નેશનલ આર્ચિવ ઑફ ઇન્ડિયા પાસે પણ નથી.
ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,
આહારવિજ્ઞાન સાથે જોડાયેલું પ્રોફેશન - ડાયેટિશિયન
નાયકોના નાયક એવા વિનાયક ભારતીય સમાજવ્યવસ્થાનું પ્રાચીન પ્રતીક છે
ગણેશજીની જે દેહાકૃતિ છે, એમનું જે ડિવાઇનફોર્મ છે, એ આપણા લોકસમુદાયને એટલું હૃદયસ્થ છે કે ગણેશજીના સ્વરૂપને લઈને જેટલી કલાત્મકતા થાય છે, એટલી કલાત્મકતા કદાચ બીજી કોઈ ભારતીય આકૃતિને લઈને નથી થતી.
ચાલો, ફરી શેરીઓમાં રમીએ
આજે બાળકો મોબાઇલમાં ગૂંથાયેલાં જોવા મળે છે. મોબાઇલ ગેમ પાછળ બાળકો, કિશોરો પોતાનો સમય વ્યતીત કરીને આરોગ્યને પણ હાનિ પહોંચાડે છે. મોબાઇલ અને ટીવીના યુગની પહેલાંનાં બાળકો મેદાની રમતો ખૂબ રમતાં, અત્યારે જાણે દેશી શેરી રમતો તદ્દન ભુલાઈ ગઈ છે. જે રમતોથી શારીરિકની સાથે-સાથે માનસિક શક્તિનો પણ વિકાસ થતો હતો, તેને પુનર્જીવિત કરવાની જરૂર છે.
આ મેઘરાજાની મહેર કે કહેર?
સામાન્ય રીતે શ્રાવણ માસમાં સરવરિયો વરસાદ થતો હોય છે, એમાં પણ જો મઘા નક્ષત્ર હોય તો વરસાદના એંધાણ નહીં બરાબર હોય છે. કુદરતની આ ચાલ ચાલુ સિઝનમાં બદલાઈ ગઈ છે. સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક મેઘ મહેર નહીં, પરંતુ કહેર વરસી રહ્યો છે.