કચ્છમાં વિકસી રહેલો ‘કિચન ગાર્ડન'નો ખ્યાલ
ABHIYAAN|Abhiyaan Magazine 08/06/2024
મોંઘાભાવનું બજારનું શાક, ફળ ખાઈને આરોગ્યને પહોંચતી હાનિ નિવારવા માટે કિચન ગાર્ડન આદર્શ છે. પોતાના જ ઘરની અગાસી ઉપર કે આંગણામાં શાકભાજી વાવીને તાજા, આરોગ્યપ્રદ ખોરાક મેળવી શકાય છે. કોઈ પણ જાતના કેમિકલ વગર, ખરેખર ઑર્ગેનિક કે નેચરલ રીતે ઉગાડેલાં શાકભાજીનો સ્વાદ પણ બજારમાં મળતાં શાક કરતાં સવાયો હોય છે.
સુચિતા બોઘાણી કનર
કચ્છમાં વિકસી રહેલો ‘કિચન ગાર્ડન'નો ખ્યાલ

લોકો પોતાના આરોગ્ય પ્રત્યે સભાન બની રહ્યા છે. જો ખોરાક શુદ્ધ હોય, રસાયણરહિત હોય તો જ તે સ્વાસ્થ્ય પ્રદાન કરે છે, અન્યથા તે બીમારી નોતરે છે. પહેલાંના જમાનામાં ગાય આધારિત ખેતી થતી, ખાતર કે જંતુનાશકો પણ કોઈ પણ બાહ્ય રસાયણની મદદ વગર જ બનતાં, ઋતુ મુજબ અનાજ, શાક વવાતું અને ખવાતું, આ બધાંના કારણે લોકોને પ્રમાણમાં ઓછી બીમારીનો સામનો કરવો પડતો. ત્યારે દવાઓ પરની નિર્ભરતા ઓછી હતી. તે સમયે આજના પ્રમાણમાં ખોરાકની વિવિધતા ઓછી હતી, પરંતુ ગુણવત્તામાં ચડીયાતા હતા. આજે બજારમાં મળતાં તમામ શાકભાજી, ખેતપેદાશો ભેળસેળિયા અને રસાયણોયુક્ત હોવાથી તેની ગુણવત્તા નબળી હોય છે. જોકે ઘ૨માં કે આંગણામાં પૂરતી જગ્યા હોતી નથી. શાકભાજી ઉગાવવાની આવડત હોતી નથી. આથી અનેક લોકો ઇચ્છા હોવા છતાં ઘરે શાકભાજી વાવી શકતાં નથી. જો થોડા પ્રયત્નોથી થોડી જાણકારી મેળવીને, એકાદબે વખતની મહેનત ઊગી ન નીકળે તો નિરાશ થયા વગર ફરી પ્રયત્ન કરવાની તૈયારી હોય તો ઘરઆંગણે શુદ્ધ, વગર કેમિકલનાં શાકભાજી આસ્વાદ માટે મળી શકે. કચ્છમાં છેલ્લા થોડા સમયથી કિચન ગાર્ડનનો ખ્યાલ વધવા લાગ્યો છે અને વધુ ને વધુ લોકો પોતાના ઘરે શાક ઉગાડવાના પ્રયત્નો કરી રહ્યા છે.

ઘરે જ શાકભાજી વાવવા ઇચ્છનારા લોકોને બાગાયત વિભાગ પણ મદદ કરે છે. તો કુકમાના રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા પણ માર્ગદર્શન આપવામાં આવે છે. જે લોકો પોતાના ઘરે સારી રીતે શાકભાજી ઉગાડી રહ્યા છે તેઓ પણ અન્ય લોકોને મદદરૂપ થાય છે. આમ જેમને પણ રસ હોય તેમને પૂરતી માહિતી મળી રહે છે. જોકે શરૂઆતમાં તો નિષ્ફળ જવાની તૈયારી રાખીને જ કિચન ગાર્ડન માટે કામ શરૂ કરવું જોઈએ. શહેરોમાં ખેતીલાયક કે ખુલ્લી જમીનનો અભાવ હોય છે, તેથી શહેરીજનોએ શાકભાજી કે ફળો વાવવા માટે કિચન ગાર્ડન, રૂફટોપ ગાર્ડન, બાલ્કની ગાર્ડન, વર્ટિકલ ગાર્ડન વગેરે પ્રકારે શાકભાજી વાવવા જોઈએ.

આજથી ૩૦-૪૦ વર્ષ પહેલાં ઘરની મહિલાઓ ઘરના આંગણામાં વિવિધ પ્રકારનાં શાકભાજી વાવતી હતી. ઘરમાં ઊગેલા રીંગણાં, પાલખ, મેથી કે ટામેટાં તમામ સભ્યો હોંશે હોંશે ખાતાં હતાં. ત્યાર પછીના સમયમાં ઘરઆંગણાની જમીન ઘટી, ફ્લેટનું કલ્ચર વિકસ્યું અને ઘરનો બગીચો ભુલાયો. હાલના સમયમાં કોરોના જેવી મહામારીએ તાજા, સ્વચ્છ અને રસાયણરહિત શાકની જરૂરિયાત સમજાવી. તેથી ફરી વખત ઘરઆંગણાના બગીચા પ્રત્યે લોકોનું ધ્યાન ખેંચાયું છે.

Esta historia es de la edición Abhiyaan Magazine 08/06/2024 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición Abhiyaan Magazine 08/06/2024 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE ABHIYAANVer todo
ગ્રીનકાર્ડ મેળવવાનો એક વધુ રસ્તો
ABHIYAAN

ગ્રીનકાર્ડ મેળવવાનો એક વધુ રસ્તો

ઇમિજેટ રિલેટિવ કેટેગરી હેઠળ પુખ્ત વયનાં અમેરિકન સિટીઝન સંતાનો એમનાં માતા-પિતા માટે અને અમેરિકન સિટીઝનો એમની પત્ની યા પતિ માટે ગ્રીનકાર્ડ મેળવી શકે છે

time-read
3 minutos  |
Abhiyaan Magazine 28/09/2024
બિજ-થિંગ.
ABHIYAAN

બિજ-થિંગ.

‘કુમાર’ની સો વર્ષની કલા-સંપદા

time-read
5 minutos  |
Abhiyaan Magazine 28/09/2024
લાફ્ટર વાઇરસ
ABHIYAAN

લાફ્ટર વાઇરસ

...અને શાસ્ત્રીય સંગીતને અમે ભારે પડ્યા..!

time-read
5 minutos  |
Abhiyaan Magazine 28/09/2024
કચ્છમાં મળી નવી વનસ્પતિ
ABHIYAAN

કચ્છમાં મળી નવી વનસ્પતિ

જૈવવિવિધતા ધરાવતું કચ્છ સંશોધકો માટે વિપુલ તકો પૂરી પાડે છે. તાજેતરમાં જ વનસ્પતિશાસ્ત્રના અધ્યાપકોએ લખપત તાલુકામાંથી વનસ્પતિની તદ્દન નવી જ, વિશ્વમાં ક્યાંય નોંધાઈ ન હોય અને જેનું અસ્તિત્વ જોખમમાં છે, તેવી વનસ્પતિ શોધી કાઢી છે. આ વનસ્પતિ પથરાળ જમીન અને સૂકા વિસ્તારમાં ઊગે છે. તે આ વિસ્તારની ઇકોલૉજી માટે ખૂબ મહત્ત્વની છે. પશુઓ તેને ખાતા નથી, પરંતુ તે મધમાખી સહિતના અન્ય જીવજંતુઓ માટે તે આધારરૂપ છે. તેના સંવર્ધન માટે પ્રયત્ન થવો જોઈએ. આ વનસ્પતિના ઔષધીય ઉપયોગ માટે સંશોધન થવું જોઈએ.

time-read
5 minutos  |
Abhiyaan Magazine 28/09/2024
વિવાદ
ABHIYAAN

વિવાદ

ચાઇનીઝ લસણ સામે સૌરાષ્ટ્રના ખેડૂતોના વિરોધનું કારણ શું?

time-read
2 minutos  |
Abhiyaan Magazine 28/09/2024
ભેજનું પ્રમાણ વધવાથી કફ, શ્વાસ, દમનો હુમલો આવે છે
ABHIYAAN

ભેજનું પ્રમાણ વધવાથી કફ, શ્વાસ, દમનો હુમલો આવે છે

કફ વિકૃતિનું મુખ્ય કારણ બને છે. તેથી જમ્યા પછી પાણી પણ પીવાની મનાઈ છે, જે કફકારક છે. જમ્યા પહેલાં પાણી પીએ તો પથ્થરસમાન છે, જમ્યા પછી પીએ તો ઝેરસમાન છે અને જમતી વખતે પીએ તો અમૃતસમાન છે

time-read
4 minutos  |
Abhiyaan Magazine 28/09/2024
હેલ્થ સ્પેશિયલ
ABHIYAAN

હેલ્થ સ્પેશિયલ

નાની ઉમરના લોકોમાં કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે

time-read
7 minutos  |
Abhiyaan Magazine 28/09/2024
સ્વાસ્થ્ય પ્રત્યેની બેદરકારીનું પરિણામ એટલે મેટાબોલિક સિન્ડ્રોમ
ABHIYAAN

સ્વાસ્થ્ય પ્રત્યેની બેદરકારીનું પરિણામ એટલે મેટાબોલિક સિન્ડ્રોમ

*આપણે જે ભોજન આરોગીએ છીએ તેમાં રહેલાં પોષક તત્ત્વોને ઊર્જામાં બદલવાનું કામ મેટાબૉલિઝમ કરે છે. *મેટાબૉલિક સિન્ડ્રોમ વ્યક્તિની કુટેવો, સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી, મેદસ્વિતા, શારીરિક શ્રમનો અભાવ, વ્યાયામ ન કરવાનો સ્વભાવ અને વધુ પડતા તાણવાળા સ્વભાવને કારણે થાય છે.

time-read
4 minutos  |
Abhiyaan Magazine 28/09/2024
હેલ્થ સ્પેશિયલ વિનોદ પંડ્યા
ABHIYAAN

હેલ્થ સ્પેશિયલ વિનોદ પંડ્યા

આજના યુગના હાર્ટના કેટલાક હૃદયગમ્ય ઉપચારો

time-read
7 minutos  |
Abhiyaan Magazine 28/09/2024
શુભ-અશુભ, ગુડ લક, બેડ લક - માન્યતાઓની દુનિયા
ABHIYAAN

શુભ-અશુભ, ગુડ લક, બેડ લક - માન્યતાઓની દુનિયા

*દુનિયાના દરેક ખૂણામાં લોકો વિવિધ પ્રકારની માન્યતાઓ ધરાવે છે. *અમેરિકન સ્ટડીઝમાં ડૉક્ટરેટ ધરાવતા કોરીએ અમેરિકન સૈનિક, નાવિક, વિમાન ચાલક વગેરેમાં પ્રવર્તતી માન્યતાઓનો અભ્યાસ કરેલો છે, તેની વાત કરવી હોય તો પુસ્તકો લખાય. *અમેરિકાની અવકાશ સંસ્થા નાસામાં પણ અનેક માન્યતાઓ પ્રવર્તે છે.

time-read
8 minutos  |
Abhiyaan Magazine 28/09/2024