બિંજ-થિંગ
ABHIYAAN|Abhiyaan Magazine 29/06/2024
સી-વીડ ફાર્મિંગ : ખારાં પાણીની હરિયાળી ઊપજ
પ્રિયંકા જોષી
બિંજ-થિંગ

પ્લાનેટ બ્લ્યુ એટલે પૃથ્વી પર પાણી વધારે અને જમીન ઓછી. એટલે જમીન પર વિચરતા જીવોને દરિયાનો આશરો તો લેવો જ પડે. દરિયાને મળેલ અગાધ વિસ્તાર અને અતાગ ઊંડાણમાં એ સઘળું સમાવી લે. બે પગે ટટ્ટાર ચાલતા મૂરખ માણસની અક્ષમ્ય ભૂલો સામે નીલકંઠ બનીને પર્યાવરણને બચાવતો રહે. પૌરાણિક કથાઓ અનુસાર સમુદ્રમંથન થકી એકથી એક ચિડયાતા અમૂલ્ય ઉપહારો પ્રાપ્ત થયા હતા. એ સિલસિલો આજે પણ યથાવત્ છે. વિતેલા યુગની આ વાત આજે પણ સાંપ્રત સાબિત કરી શકાય તેવા અનેક ઉપહારો આપણને સમુદ્ર તરફથી મળતા રહ્યા છે. આ યુગમાં પ્રાપ્ત થયેલ આવો જ એક અનન્ય ઉપહાર છે સી-વીડ એટલે કે દરિયાઈ શેવાળ.

પર્યાવરણ માટે લાખ દુ:ખોં કી એક દવા જેવી આ દરિયાઈ શેવાળની અજબ લાક્ષણિકતામાં ગજબ ઉપયોગિતાઓ રહેલી છે. સી-વીડ - મૂળ, ડાળી, ફૂલ કે પાંદડાં વિનાની આ આદિમ દરિયાઈ વનસ્પતિ જીવસૃષ્ટિ માટે ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. અસંખ્ય કદ, આકાર અને રંગમાં જોવા મળતાં આ જીવતંત્રની હજારો પ્રજાતિઓ અસ્તિત્વમાં છે. જે દરિયાઈ જીવસૃષ્ટિ માટે રહેઠાણ અને રક્ષણ પૂરાં પાડે છે. દરિયાઈ શેવાળ ધારા દરિયાઈ પાણીમાં પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયાથી ઑક્સિજનનું સ્તર વધે છે. દરિયામાં જૈવિક તેમ જ રાસાયણિક કચરો ફેંકવામાં આવે છે ત્યારે દરિયાઈ જીવન માટે જોખમો ઊભાં થાય છે. ત્યારે આ ઝેરીલા તત્ત્વોને શોષીને તે ઇકોસિસ્ટમને સંતુલિત કરે છે. ક્લાઇમેટ ચેન્જ જેવા ચેલેન્જને પહોંચી વળવા માટે સમુદ્રના ૯ ટકા હિસ્સામાં સી-વીડ વડે વનીકરણ કરવાથી વાર્ષિક અબજો ટન કાર્બન ડાયોક્સાઇડને નાથવાનું શક્ય બન્યું છે. તે બીચનું ધોવાણ થતું અટકાવે છે.

સી-વીડના મુખ્ય ચાર પ્રકારને લંબાઈ અને લીલા, વાદળી, ભૂરા અને લાલ જેવા રંગના આધારે ઓળખવામાં આવે છે. આ રંગ તેની આસપાસના વાતાવરણના આધારે નક્કી થાય છે. જેમ કે ઉષ્ણકટિબંધની આસપાસના વિસ્તારોમાં લાલ અને ઠંડા કે સમશીતોષ્ણ કટિબંધની આસપાસ ભૂરા રંગની સી-વીડ ઊગે છે. વિશ્વના કુલ ૪૨ દેશોમાં એશિન દેશો ૮૦% ઉત્પાદન સાથે અગ્રેસર છે.

Esta historia es de la edición Abhiyaan Magazine 29/06/2024 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

Esta historia es de la edición Abhiyaan Magazine 29/06/2024 de ABHIYAAN.

Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.

MÁS HISTORIAS DE ABHIYAANVer todo
ગ્રીનકાર્ડ મેળવવાનો એક વધુ રસ્તો
ABHIYAAN

ગ્રીનકાર્ડ મેળવવાનો એક વધુ રસ્તો

ઇમિજેટ રિલેટિવ કેટેગરી હેઠળ પુખ્ત વયનાં અમેરિકન સિટીઝન સંતાનો એમનાં માતા-પિતા માટે અને અમેરિકન સિટીઝનો એમની પત્ની યા પતિ માટે ગ્રીનકાર્ડ મેળવી શકે છે

time-read
3 minutos  |
Abhiyaan Magazine 28/09/2024
બિજ-થિંગ.
ABHIYAAN

બિજ-થિંગ.

‘કુમાર’ની સો વર્ષની કલા-સંપદા

time-read
5 minutos  |
Abhiyaan Magazine 28/09/2024
લાફ્ટર વાઇરસ
ABHIYAAN

લાફ્ટર વાઇરસ

...અને શાસ્ત્રીય સંગીતને અમે ભારે પડ્યા..!

time-read
5 minutos  |
Abhiyaan Magazine 28/09/2024
કચ્છમાં મળી નવી વનસ્પતિ
ABHIYAAN

કચ્છમાં મળી નવી વનસ્પતિ

જૈવવિવિધતા ધરાવતું કચ્છ સંશોધકો માટે વિપુલ તકો પૂરી પાડે છે. તાજેતરમાં જ વનસ્પતિશાસ્ત્રના અધ્યાપકોએ લખપત તાલુકામાંથી વનસ્પતિની તદ્દન નવી જ, વિશ્વમાં ક્યાંય નોંધાઈ ન હોય અને જેનું અસ્તિત્વ જોખમમાં છે, તેવી વનસ્પતિ શોધી કાઢી છે. આ વનસ્પતિ પથરાળ જમીન અને સૂકા વિસ્તારમાં ઊગે છે. તે આ વિસ્તારની ઇકોલૉજી માટે ખૂબ મહત્ત્વની છે. પશુઓ તેને ખાતા નથી, પરંતુ તે મધમાખી સહિતના અન્ય જીવજંતુઓ માટે તે આધારરૂપ છે. તેના સંવર્ધન માટે પ્રયત્ન થવો જોઈએ. આ વનસ્પતિના ઔષધીય ઉપયોગ માટે સંશોધન થવું જોઈએ.

time-read
5 minutos  |
Abhiyaan Magazine 28/09/2024
વિવાદ
ABHIYAAN

વિવાદ

ચાઇનીઝ લસણ સામે સૌરાષ્ટ્રના ખેડૂતોના વિરોધનું કારણ શું?

time-read
2 minutos  |
Abhiyaan Magazine 28/09/2024
ભેજનું પ્રમાણ વધવાથી કફ, શ્વાસ, દમનો હુમલો આવે છે
ABHIYAAN

ભેજનું પ્રમાણ વધવાથી કફ, શ્વાસ, દમનો હુમલો આવે છે

કફ વિકૃતિનું મુખ્ય કારણ બને છે. તેથી જમ્યા પછી પાણી પણ પીવાની મનાઈ છે, જે કફકારક છે. જમ્યા પહેલાં પાણી પીએ તો પથ્થરસમાન છે, જમ્યા પછી પીએ તો ઝેરસમાન છે અને જમતી વખતે પીએ તો અમૃતસમાન છે

time-read
4 minutos  |
Abhiyaan Magazine 28/09/2024
હેલ્થ સ્પેશિયલ
ABHIYAAN

હેલ્થ સ્પેશિયલ

નાની ઉમરના લોકોમાં કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે

time-read
7 minutos  |
Abhiyaan Magazine 28/09/2024
સ્વાસ્થ્ય પ્રત્યેની બેદરકારીનું પરિણામ એટલે મેટાબોલિક સિન્ડ્રોમ
ABHIYAAN

સ્વાસ્થ્ય પ્રત્યેની બેદરકારીનું પરિણામ એટલે મેટાબોલિક સિન્ડ્રોમ

*આપણે જે ભોજન આરોગીએ છીએ તેમાં રહેલાં પોષક તત્ત્વોને ઊર્જામાં બદલવાનું કામ મેટાબૉલિઝમ કરે છે. *મેટાબૉલિક સિન્ડ્રોમ વ્યક્તિની કુટેવો, સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી, મેદસ્વિતા, શારીરિક શ્રમનો અભાવ, વ્યાયામ ન કરવાનો સ્વભાવ અને વધુ પડતા તાણવાળા સ્વભાવને કારણે થાય છે.

time-read
4 minutos  |
Abhiyaan Magazine 28/09/2024
હેલ્થ સ્પેશિયલ વિનોદ પંડ્યા
ABHIYAAN

હેલ્થ સ્પેશિયલ વિનોદ પંડ્યા

આજના યુગના હાર્ટના કેટલાક હૃદયગમ્ય ઉપચારો

time-read
7 minutos  |
Abhiyaan Magazine 28/09/2024
શુભ-અશુભ, ગુડ લક, બેડ લક - માન્યતાઓની દુનિયા
ABHIYAAN

શુભ-અશુભ, ગુડ લક, બેડ લક - માન્યતાઓની દુનિયા

*દુનિયાના દરેક ખૂણામાં લોકો વિવિધ પ્રકારની માન્યતાઓ ધરાવે છે. *અમેરિકન સ્ટડીઝમાં ડૉક્ટરેટ ધરાવતા કોરીએ અમેરિકન સૈનિક, નાવિક, વિમાન ચાલક વગેરેમાં પ્રવર્તતી માન્યતાઓનો અભ્યાસ કરેલો છે, તેની વાત કરવી હોય તો પુસ્તકો લખાય. *અમેરિકાની અવકાશ સંસ્થા નાસામાં પણ અનેક માન્યતાઓ પ્રવર્તે છે.

time-read
8 minutos  |
Abhiyaan Magazine 28/09/2024