વરસાદ આવે એટલે આપણી માનસિક સ્થિતિમાં પરિવર્તન આવે. દૃષ્ટિ, સ્પર્શ, ઘ્રાણ જેવી ઇન્દ્રિય વડે વરસાદ સાથે સંપર્ક સધાય તે સાથે ચિત્ત પર અવનવા શૃંગ અને ગર્ત રચાય છે. ભૌતિક આકાશમાંથી વરસતા વરસાદ સાથે શબ્દ તન્માત્રા થકી માનવીના વ્યક્તિગત આકાશમાં બદલાવ થાય છે, જે એ પ્રત્યાઘાત રૂપે વિચાર અને વાણીથી સામે વહાવે છે. બહુ ઓછા એવા હશે જેમને વરસાદ આવે એ નહીં ગમતું હોય. છતમાંથી પાણી પડે, પાણી ભરાય કે તંદુરસ્તી પર વિપરીત અસર થવા જેવા ભયનો અગ્નિ જાગૃત થાય એવું બને. બાકી બહુમતીને વરસાદ પસંદ પડે. ઘણાંને ખેતી સારી થાય એટલે હાશ થાય. ઘણાંને પાણીની વ્યવસ્થા થાય એટલે ખુશી થાય. બહુ બધાંને ઉનાળાની ગરમી અને એ પછીના બાફની વિદાય થાય એટલે મોજ પડે. ઘણાંને લીલોતરી છવાઈ જાય એટલે અને ભીની માટીની સુગંધ, પક્ષીઓનો કલરવ માણવા મળે તેથી આનંદ થાય. ઘણાંને ઉપરથી પડતાં વરસાદનાં અવાજ, દશ્ય અને તેની સાથેના પ્રત્યક્ષ કે પરોક્ષ સંસર્ગથી વિસ્મય થાય, રોમાંચ થાય. બધાં પોતપોતાની રીતે વરસાદથી પોતાને જે અનુભૂતિ થાય એ કહે.
વરસાદના આગમનથી ઉદ્ભવતું મોરનું ટેંહું ટેંહું ટેંહું જેણે લાઇવ સાંભળ્યું હોય એ અજાણતા ‘તે હું', ‘તે હું' અનુભવવાના પગથિયે પહોંચી જાય. વિજ્ઞાન ભૈરવમાં કહ્યું છે કે, વરસતા વરસાદને એક ધારે જોયા જ કરો તો ધ્યાન થઈ જાય. યદ્યપિ, મનુષ્ય માટે વરસાદ પડે ત્યારે ચૂપ રહેવું અઘરું થઈ જાય છે. વરસાદમાં પલળે કે ઇચ્છાથી સ્નાન કરે, મન કશુંક તો વિચારશે જ અને જીભ કશુંક તો બોલશે જ. હવે તો વરસાદમાં નૃત્ય કરી રિલ બનાવવામાં આવે છે. નૃત્યમાં નર્તક ગુમ થઈ જવો જોઈએ તેને સ્થાને વધુ સક્રિયતાથી હાજર થાય છે. વરસાદમાં સામાજિકતાથી બેખબર નહાતાં બાળકોને જોઈને વિસ્મય થાય. થાય કે હશે, મનુષ્ય હોય એ મનુષ્યવેડા કરે એમાં કોઈ નવી બાબત નથી. બાળકો વિવિધ પ્રકારની ચીસ પાડે. ગીત ગાય. એકલો નાનો જીવ હોય એ ગણગણે અને મોટો હોય તો લલકારવા લાગે. એવામાં મોઢામાં પાણી ભરાઈ જાય, પરંતુ બહારથી પ્રવેશેલી નવી ઊર્જા ભીતરમાં જઈ મરીમસાલા સાથે રસોઈ પામી બહાર આવ્યા વિના ના રહે. વરસાદમાં દાળવડા અને ચા કે અન્ય ખાણીપીણી ચાલે તો પણ વધુ કે ઓછા પ્રમાણમાં વરસાદની અસર હેઠળ વાક્શક્તિ સાથે સંધાન થઈ જાય.
Esta historia es de la edición Abhiyaan Magazine 20/07/2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición Abhiyaan Magazine 20/07/2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ
યુએસએ વિઝા વિન્ડો (૪)
હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’
ફિલ્મોના દરેક વિષયો પર ઝીણવટપૂર્વક સંશોધન કરી અત્યંત વિશ્વસનીય અને કડાકૂટવાળું કામ કરનાર હરીશ રઘુવંશી પાસે જે માહિતી હતી, એવી માહિતી નેશનલ આર્ચિવ ઑફ ઇન્ડિયા પાસે પણ નથી.
ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,
આહારવિજ્ઞાન સાથે જોડાયેલું પ્રોફેશન - ડાયેટિશિયન
નાયકોના નાયક એવા વિનાયક ભારતીય સમાજવ્યવસ્થાનું પ્રાચીન પ્રતીક છે
ગણેશજીની જે દેહાકૃતિ છે, એમનું જે ડિવાઇનફોર્મ છે, એ આપણા લોકસમુદાયને એટલું હૃદયસ્થ છે કે ગણેશજીના સ્વરૂપને લઈને જેટલી કલાત્મકતા થાય છે, એટલી કલાત્મકતા કદાચ બીજી કોઈ ભારતીય આકૃતિને લઈને નથી થતી.
ચાલો, ફરી શેરીઓમાં રમીએ
આજે બાળકો મોબાઇલમાં ગૂંથાયેલાં જોવા મળે છે. મોબાઇલ ગેમ પાછળ બાળકો, કિશોરો પોતાનો સમય વ્યતીત કરીને આરોગ્યને પણ હાનિ પહોંચાડે છે. મોબાઇલ અને ટીવીના યુગની પહેલાંનાં બાળકો મેદાની રમતો ખૂબ રમતાં, અત્યારે જાણે દેશી શેરી રમતો તદ્દન ભુલાઈ ગઈ છે. જે રમતોથી શારીરિકની સાથે-સાથે માનસિક શક્તિનો પણ વિકાસ થતો હતો, તેને પુનર્જીવિત કરવાની જરૂર છે.
આ મેઘરાજાની મહેર કે કહેર?
સામાન્ય રીતે શ્રાવણ માસમાં સરવરિયો વરસાદ થતો હોય છે, એમાં પણ જો મઘા નક્ષત્ર હોય તો વરસાદના એંધાણ નહીં બરાબર હોય છે. કુદરતની આ ચાલ ચાલુ સિઝનમાં બદલાઈ ગઈ છે. સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક મેઘ મહેર નહીં, પરંતુ કહેર વરસી રહ્યો છે.
પ્રવાસન.
મોતી ડુંગરી ગણેશ મંદિર : જયપુર
સબૉટેજ : આતંકનું આસુરી અત્ર
*સબૉટેજ યાને અસંતુષ્ટો અથવા શત્રુઓ દ્વારા જાણીજોઈને કરાતી વિધ્વંસ કે ભાંગફોડની પ્રવૃત્તિ. *૧૮૯૪ની ઘટના, ૧૯૦૭ની નવલકથા ધ સિક્રેટ એજન્ટ’ અને ૧૯૩૬ની આલ્ફ્રેડ હિચકોકની ફિલ્મ ‘સબૉટેજ’. * સિસ્ટમ, સમાજ કે દેશની સુરક્ષાને સબૉટેજ કરવાનાં કાવતરાંઓ નવા સ્વરૂપના આતંકવાદ તરીકે સામે આવ્યા છે.
ડિમાન્ડ, કમ્પ્લેન, પ્રાર્થના
*માનવી પોતાના આગવા ડેટા-સ્ટોર, સ્મૃતિ પર આધાર રાખે છે. સ્મૃતિમાં જે આવ્યું હોય તે પોતાના પરસેપ્શનના ફિલ્ટરમાંથી આવ્યું હોય. *ભગવાન પર ભરોસો છે, એવું ક્યારે કહેવાય? જ્યારે કોઈ ડિમાન્ડ ના હોય, કોઈ કમ્પ્લેન ના હોય. * આપણે ગૅરંટી આપીએ છીએ કે આપણી ડિમાન્ડ કે પ્રાર્થના ફળશે, પૂર્ણ થશે, પછી આપણે કોઈ કમ્પ્લેન નહીં કરીએ?
એનાલિસિસ.
શું બળાત્કારની સમસ્યાનો ભારતમાં કોઈ જ ઉકેલ નથી?