આ વર્ષે સાત સપ્ટેમ્બર અને શનિવારે દસ દિવસ ચાલતાં ગણેશ ઉત્સવનો પ્રારંભ થાય છે. ભાદરવા સુદ ચોથથી શરૂ કરી આનંદ ચૌદસ સુધી ઊજવાતાં આ ગણેશ ઉત્સવમાં વક્રતુંડ મહાકાય એવા ગજાનન ગણપતિની સ્થાપના થશે. ઘરે-ઘરે અને ચોરે-ચૌટે પોતપોતાના સંકલ્પ મુજબ આ એકદંત વિવિધ સ્વરૂપે અને રંગે-રૂપે સ્થપાશે અને નદી, સરોવર અને સમુદ્રમાં આ મંગલમયી વિનાયકની માટીની કે પ્લાસ્ટર ઑફ પેરિસની નાની કે ખૂબ વિશાળ મૂર્તિનું વિસર્જન પણ થશે.
વિઘ્નહર્તા લંબોદરના સર્જન, સ્થાપન, પાઠ-પૂજા, ધૂપ-દીપ, ભજન-કીર્તન, આરતી અને વિસર્જનના આ પર્વીય અને મંગળમય દિવસોમાં મહારાષ્ટ્રના અષ્ટવિનાયકનાં આઠે આઠ મંદિરોમાં તો બાપ્પાની જાહોજલાલી જોરદાર હોય જ છે, પરંતુ રાજસ્થાનની રાજધાની જયપુરનું મોતી ડુંગરી ગણેશજી મંદિર પણ ગણેશ ઉત્સવના વાઘા પહેરીને પ્રવાસીઓને તેની તરફ આકર્ષે છે.
૧૭૬૧માં શેઠ જય રામ પલ્લિવાલના નિરીક્ષણ હેઠળ બંધાયેલું આ મંદિર જયપુરના બિરલા મંદિરની બાજુમાં છે. જયપુરના હૃદય સમી ‘હિલ ઑફ પર્લ્સ' ગણાતી મોતી ડુંગરીની તળેટીમાં રહેલું આ અઢારમી સદીનું ગણેશ મંદિર જયપુર નરેશ સવાઈ માધોસિંહના પ્રાચીન સ્કોટિશ કેસલ એટલે કે સ્કોટિશ શૈલીમાં બનેલા રાજમહેલની તળેટીમાં છે.
એક જમાનામાં આ મંદિર જયપુરના છેલ્લા શાસક સવાઈ માનસિંહ બીજાના રહેઠાણની હદમાં હતું. એ પછી રાજમાતા ગાયત્રીદેવી આ સ્કોટિશ કૈસલ જેવા રાજમહેલમાં રહેતાં હતાં. હાલ આ રાજમહેલ રૉયલ ફૅમિલીની પ્રાઇવેટ પ્રોપર્ટી છે, પરંતુ તેની તળેટીમાં સ્થિત આ મોટી ડુંગરી ગણેશ મંદિર સૌ શ્રદ્ધાળુઓ માટે ખુલ્લું છે.
કહેવાય છે કે અહીં સ્થપાયેલી પાંચસો વર્ષ પ્રાચીન સિંદૂરિયા ગણેશની મૂર્તિ જયપુર નરેશ સવાઈ માધોસિંહ પ્રથમનાં રાણી સાહેબના પિયર માવલી એટલે મેવાડથી ૧૭૬૧માં લાવવામાં આવી હતી અને માવલી પહેલાં આ ગણેશ મૂર્તિ ગુજરાતથી લવાયેલી હતી.
મહારાજા સવાઈ માધોસિંહ પ્રથમ સાથે ઉદેપુરથી લવાતી આ મૂર્તિમાં જયપુર નરેશના શેઠ જયરામ પલ્લિવાલ પણ સાથે હતા. જેમની દેખરેખ નીચે સ્કોટિશ કેસલની બાંધણી ધરાવતા મોતી ડુંગરી રાજમહેલની તળેટીમાં મોતી ડુંગરી ગણેશ મંદિર બંધાયું.
Esta historia es de la edición Abhiyaan Magazine 14/09/2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor ? Conectar
Esta historia es de la edición Abhiyaan Magazine 14/09/2024 de ABHIYAAN.
Comience su prueba gratuita de Magzter GOLD de 7 días para acceder a miles de historias premium seleccionadas y a más de 9,000 revistas y periódicos.
Ya eres suscriptor? Conectar
રાજકાજ
વિદેશની ધરતી પર રાહુલ ગાંધીનાં બેજવાબદાર વિધાનો
હરિયાણામાં કોંગ્રેસ અને ‘આપ’નું ગઠબંધન થયું નહીં
રસપ્રદ વાત એ છે કે બંને પક્ષોના જોડાણના આગ્રહી રાહુલ ગાંધી અત્યારે વિદેશ પ્રવાસે છે. એ સ્થિતિમાં આમ આદમી પાર્ટીએ હરિયાણામાં ધરાર એકલે હાથે ચૂંટણી લડવી પડશે
આશીર્વાદ જેમ મળેલા અવાજને ઘોંઘાટ બનાવીશું કે નાદ?
'The Noise of Time’માં લેખક જુલિયન બર્ન્સ લખે કે, ‘સમયના ઘોઘાટનો સામનો શેનાથી કરી શકાય? માત્ર આપણા આંતરિક સંગીત વડે.’ પણ આપણા આંતરિક સંગીતને સ્વરબદ્ધ કરવાની શરૂઆત આપણા શ્વાસના અવાજને સાંભળવાથી થાય?
વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ
યુએસએ વિઝા વિન્ડો (૪)
હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’
ફિલ્મોના દરેક વિષયો પર ઝીણવટપૂર્વક સંશોધન કરી અત્યંત વિશ્વસનીય અને કડાકૂટવાળું કામ કરનાર હરીશ રઘુવંશી પાસે જે માહિતી હતી, એવી માહિતી નેશનલ આર્ચિવ ઑફ ઇન્ડિયા પાસે પણ નથી.
ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,
આહારવિજ્ઞાન સાથે જોડાયેલું પ્રોફેશન - ડાયેટિશિયન
નાયકોના નાયક એવા વિનાયક ભારતીય સમાજવ્યવસ્થાનું પ્રાચીન પ્રતીક છે
ગણેશજીની જે દેહાકૃતિ છે, એમનું જે ડિવાઇનફોર્મ છે, એ આપણા લોકસમુદાયને એટલું હૃદયસ્થ છે કે ગણેશજીના સ્વરૂપને લઈને જેટલી કલાત્મકતા થાય છે, એટલી કલાત્મકતા કદાચ બીજી કોઈ ભારતીય આકૃતિને લઈને નથી થતી.
ચાલો, ફરી શેરીઓમાં રમીએ
આજે બાળકો મોબાઇલમાં ગૂંથાયેલાં જોવા મળે છે. મોબાઇલ ગેમ પાછળ બાળકો, કિશોરો પોતાનો સમય વ્યતીત કરીને આરોગ્યને પણ હાનિ પહોંચાડે છે. મોબાઇલ અને ટીવીના યુગની પહેલાંનાં બાળકો મેદાની રમતો ખૂબ રમતાં, અત્યારે જાણે દેશી શેરી રમતો તદ્દન ભુલાઈ ગઈ છે. જે રમતોથી શારીરિકની સાથે-સાથે માનસિક શક્તિનો પણ વિકાસ થતો હતો, તેને પુનર્જીવિત કરવાની જરૂર છે.
આ મેઘરાજાની મહેર કે કહેર?
સામાન્ય રીતે શ્રાવણ માસમાં સરવરિયો વરસાદ થતો હોય છે, એમાં પણ જો મઘા નક્ષત્ર હોય તો વરસાદના એંધાણ નહીં બરાબર હોય છે. કુદરતની આ ચાલ ચાલુ સિઝનમાં બદલાઈ ગઈ છે. સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક મેઘ મહેર નહીં, પરંતુ કહેર વરસી રહ્યો છે.
પ્રવાસન.
મોતી ડુંગરી ગણેશ મંદિર : જયપુર